Breaking News: રક્ષાબંધનની પર ભાઇને મીઠાઇ ખવડાવતા પહેલા સાવધાન, સુરતમાં મીઠાઈની દુકાનના માવાના સેમ્પલ ફેઈલ, જુઓ Video
રક્ષાબંધનના પર્વ પર બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધીને મોં મીઠું કરાવવા માટે મીઠાઈ ખરીદતી હોય છે. પરંતુ જો આ મીઠાઈમાં અખાદ્ય અથવા હલકી ગુણવત્તાનો માવો વપરાયો હોય તો ખુશીના આ પર્વમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે છે. આવી જ ચિંતાજનક સ્થિતિ સુરતમાં સામે આવી છે, જ્યાં મીઠાઈની દુકાનમાંથી લેવાયેલા માવાના સેમ્પલ તપાસમાં ફેઈલ થયા છે.

રક્ષાબંધનના પર્વ પર બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધીને મોં મીઠું કરાવવા માટે મીઠાઈ ખરીદતી હોય છે. પરંતુ જો આ મીઠાઈમાં અખાદ્ય અથવા હલકી ગુણવત્તાનો માવો વપરાયો હોય તો ખુશીના આ પર્વમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે છે. આવી જ ચિંતાજનક સ્થિતિ સુરતમાં સામે આવી છે, જ્યાં મીઠાઈની દુકાનમાંથી લેવાયેલા માવાના સેમ્પલ તપાસમાં ફેઈલ થયા છે.
જયમા વૈષ્ણવી સ્વીટમાંથી લેવાયેલા માવાના સેમ્પલ ફેઈલ
સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી જયમા વૈષ્ણવી સ્વીટમાંથી સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. લેબોરેટરી તપાસ બાદ આ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ એટલે કે નિર્ધારિત ગુણવત્તાના ધોરણો પ્રમાણે ન હોવાનું સામે આવ્યું છે. રક્ષાબંધનના પર્વ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મીઠાઈની ખરીદી કરતા હોવાથી આ મામલો વધુ ગંભીર બની રહ્યો છે.
સેમ્પલ ફેઈલ છતાં દુકાન ચાલુ જોવા મળી
સૌથી મોટો સવાલ એ છે કે માવાના સેમ્પલ ફેઈલ થયા હોવા છતાં દુકાન ચાલુ જોવા મળી રહી છે. એક તરફ તહેવારને પગલે મીઠાઈની માંગ વધી રહી છે, ત્યારે બીજી તરફ જે દુકાનના માવાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ સાબિત થયા છે ત્યાં વેચાણ ચાલુ રહેતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
દુકાનદારનો મોટો દાવો
દુકાનદાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે કોર્પોરેશન તરફથી માવાના સેમ્પલ ફેઈલ થયા અંગે કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. જો દુકાનદારનો દાવો સાચો હોય તો સવાલ એ થાય છે કે સેમ્પલ ફેઈલ થયા બાદ સંબંધિત વેપારીને જાણ કરવાની પ્રક્રિયા શું છે અને તેમાં વિલંબ કેમ થયો?
કોર્પોરેશનની જાણકારી કે દુકાનદારનો દાવો ખોટો?
હવે સમગ્ર મામલે બે સવાલ સૌથી મહત્વના બની રહ્યા છે—શું કોર્પોરેશને ખરેખર દુકાનદારને સેમ્પલ ફેઈલ થયાની જાણકારી આપી નથી કે પછી દુકાનદાર દ્વારા પોતાનો બચાવ કરવા માટે આવો દાવો કરવામાં આવી રહ્યો છે? તહેવારની ખરીદી વચ્ચે આ સવાલનો જવાબ મળવો જરૂરી છે, જેથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય.
તહેવારમાં મીઠાઈ ખરીદતા ગ્રાહકોએ પણ સાવચેતી રાખવી જરૂરી
રક્ષાબંધનના પર્વ પર મીઠાઈની ભારે ખરીદી થતી હોવાથી ગ્રાહકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે. મીઠાઈ ખરીદતી વખતે દુકાનની સ્વચ્છતા, મીઠાઈની ગુણવત્તા, પેકિંગ અને શક્ય હોય ત્યાં ઉત્પાદન તથા સમયસીમા જેવી વિગતો તપાસવી જોઈએ. કારણ કે ભાઈ-બહેનના પવિત્ર સંબંધના આ તહેવારમાં મોં મીઠું કરાવવાની મીઠાઈ જ કોઈની તબિયત બગાડવાનું કારણ ન બને તે સૌથી મહત્વનું છે.
આ પણ વાંચો- ગુજરાત બનશે ઇલેક્ટ્રોનિક્સ હબ! ફોક્સકોન 200 એકરથી વધુ જમીનની શોધમાં, સાણંદમાં કંપનીની નજર