Surat : કાપડ ઉદ્યોગ માટે જીએસટીના દરમાં ફેરબદલ કરવા ફરી માંગ, 5 ટકાનો દર કરવા કરી માંગ

Surat : કાપડ ઉદ્યોગમાંથી (Textile Industry) જીએસટીના (GST) દરમાં ફેરબદલની ફરી એકવાર માંગ ઉઠી છે. યાર્ન ઉત્પાદકોએ એક સમાન પાંચ ટકાનો દર અમલમાં મૂકવા કેન્દ્રીય કાપડ અને વાણિજય મંત્રાલયને રજૂઆત કરી છે.

Surat : કાપડ ઉદ્યોગ માટે જીએસટીના દરમાં ફેરબદલ કરવા ફરી માંગ, 5 ટકાનો દર કરવા કરી માંગ
જીએસટીના દરમાં ફેરબદલ કરવા ફરી માંગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 2:18 PM

Surat : કાપડ ઉદ્યોગમાંથી (Textile Industry) જીએસટીના (GST) દરમાં ફેરબદલની ફરી એકવાર માંગ ઉઠી છે. યાર્ન ઉત્પાદકોએ એક સમાન પાંચ ટકાનો દર અમલમાં મૂકવા કેન્દ્રીય કાપડ અને વાણિજય મંત્રાલયને રજૂઆત કરી છે. રો મટિરિયલ્સની 18% માં ખરીદી તેમાંથી ઉત્પાદિત યાર્ન 12 ટકાના દરે વેચવાના લીધે નુકશાન થતું હોવાનું યાર્ન ઉત્પાદકોની દલીલ છે. આવનારી જીએસટી કાઉન્સિલ આ મુદ્દે ચર્ચા થાય તેવી સંભાવના જોવાઇ રહી છે.

એક દેશ એક કરનું સૂત્ર કાપડ ઉદ્યોગ માટે બંધબેસતું નથી. આ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ કરના દર જોવા મળી રહ્યા છે. યાર્ન ઉત્પાદકો પીટીએ, એમઇજી જેવા રો મટીરીયલ્સ પર 18 ટકા ટેક્સ ચૂકવે છે. ત્યારબાદ ઉત્પાદન કરેલુ યાર્ન 12% ટેક્સ પર વેચે છે. આગળ વિવર્સ યાર્નમાંથી ગ્રે બનાવી તેની પર પાંચ ટકા જીએસટી લગાવી કાપડ વેપારીને વેચે છે.

આ સમગ્ર ચેઇનમાં 12%માં યાર્ન ખરીદી પાંચ ટકા જીએસટી લગાવી કાપડ વેપારીને વેચે છે. તેમાં વિવર્સને 7 ટકાનું રિટર્ન મળે છે. પરંતુ 18% માં કાચો માલ ખરીદી યાર્ન બનાવનાર સ્પિનર્સને 12 ટકામાં યાર્ન વેચ્યા બાદ ફરકના 6% નું રિફંડ મળતું નથી.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

The synthetic textile export promotion council દ્વારા આ સમસ્યા મુદ્દે કેન્દ્રીય કાપડ મંત્રાલય અને વાણિજય મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે. આ સંસ્થાના વાઇસ ચેરમેનના જણાવ્યાનુસાર અન્યાયી જોગવાઇઓને લીધે સ્પિનર્સને દરમાં અંતરને લીધે ઊભી થતી ટેક્સ ક્રેડિટનું નુકસાન ઊઠાવવું પડે છે. કારણકે જીએસટીની સિસ્ટમમાં સ્પિનરને રિફંડ ચૂકવવા બાબતે કોઈ જોગવાઈ નથી.

માર્કેટમાં ભાવના ઉતાર-ચઢાવ અને મંદી તેજીની અસર પણ થતી હોય છે. આવા મુશ્કેલીના સમયમાં spinners પર ઉત્પાદનનો બોજો વધી જાય છે. છેલ્લા ચાર વર્ષમાં સ્પિનર્સોએ હજારો કરોડનું નુકસાન વેઠ્યું છેમ તેમણે વધુમાં ઉમેર્યું છે કે કાપડ ઉદ્યોગમાં એક સમાન કર લાગુ કરવા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.

અમીરો કોટનના કપડા પહેરે છે છતાં કોટન પર પાંચ ટકા જ્યારે જે કપડું ગરીબો વાપરે છે તે સિન્થેટિક યાર્ન પર 18 ટકા અને 12 ટકા જેવા કરના દર અન્યાયી છે તે દૂર કરવા માટે દેશભરના સ્પિનર્સ દ્વારા માંગણી કરવામાં આવી છે અને તે અંગે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી અપેક્ષા છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">