Surat : પાઈપલાઈનનુ ભંગાણ 40 કલાકે રીપેર કરાયું, આવતીકાલથી પાણીનો પુરવઠો પૂર્વવત થવાની શક્યતા

મહાનગર પાલિકાના (SMC) વહીવટી તંત્ર દ્વારા આ સંદર્ભે વધુ જાણકારી આપતાં જણાવાયું હતું કે, ભંગાણની મોટા ભાગની સમસ્યા દુર થઈ ચુકી છે અને સાંજ સુધીમાં પ્રભાવિત ઓવરહેડ ટાંકીઓમાં પાણી પુરવઠો પહોંચાડવામાં આવશે.

Surat : પાઈપલાઈનનુ ભંગાણ 40 કલાકે રીપેર કરાયું, આવતીકાલથી પાણીનો પુરવઠો પૂર્વવત થવાની શક્યતા
Water Shortage in Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 2:49 PM

સુરત મહાનગર પાલિકાની(SMC)  સરથાણાથી અલથાણ જતી પાણીની (Water ) પાઈપ લાઈનમાં ભંગાણને (leakage )પગલે આજે પણ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં નાગરિકોને પાણી માટે વલખા મારવાની નોબત આવી હતી. છેલ્લા 40 કલાકથી સતત રિપેરિંગ કામગીરી બાદ આજે સાંજથી સ્થિતિ પૂર્વવત થાય તેવી શક્યતાઓ વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આજે સવારથી જ શહેરના લિંબાયત, સેન્ટ્રલ ઝોન, ઉધના ઝોન અને અઠવા ઝોન સહિતના વિસ્તારોમાં મોટા ભાગની સોસાયટીઓમાં પીવાના પાણીના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગના અધિકારીઓ  પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શનિવારે રાત્રે 12 કલાકની આસપાસ સરથાણાથી અલથાણ જતી 1000 એમએમની પાણીની પાઈપ લાઈનમાં 14 ફુટ ઉંડે ભંગાણ પડ્યું હતું. મુખ્ય પાઈપ લાઈનમાં ભંગાણને પગલે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધસ્તરે રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, છેલ્લા 40 કલાક સુધી અવિરત કામગીરી બાદ આજે બપોરે મોટા ભાગની પાઈપ લાઈનના ભંગાણની સમસ્યા દુર કરવામાં આવી છે.

આ કામગીરી માટે શહેરના ઉધના – અઠવા સહિતના ત્રણ ઝોનની ટીમો દ્વારા 20 ડિવોટરિંગ પમ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શહેરના 60 લાખથી વધુ નાગરિકોને નિયમિત પાણી પુરવઠો પુરો પાડતા આઠ જળ વિતરણ મથકોમાંથી આ ભંગાણને કારણે ત્રણ જળ વિતરણ મથકો પ્રભાવિત થયા હતા અને જેને પગલે શહેરના 15 લાખથી વધુ નાગરિકો આજે વહેલી સવારથી પાણી માટે વલખા મારી રહેલા નજરે પડ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ સંદર્ભે વધુ જાણકારી આપતાં જણાવાયું હતું કે, ભંગાણની મોટા ભાગની સમસ્યા દુર થઈ ચુકી છે અને સાંજ સુધીમાં પ્રભાવિત ઓવરહેડ ટાંકીઓમાં પાણી પુરવઠો પહોંચાડવામાં આવશે. જોકે, આવતીકાલે શહેરના તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી પુરવઠાનું વિતરણ થાય તે માટેની કવાયત યુદ્ધ સ્તરે હાથ ધરવામાં આવી છે. આજે સર્જાયેલી સમસ્યાને પગલે લિંબાયત, ઉધના, સેન્ટ્રલ ઝોન અને અઠવા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી લોકો પાણી માટે ઠેર – ઠેર લાઈનમાં ઉભા રહેલા નજરે પડ્યા હતા. આગોતરી જાણકારી ન હોવાને કારણે પાણીનો સંગ્રહ ન કરી શકતા કેટલાક લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">