Surat : પરવત ગામમાં 2 સંતાનની માતાના આપઘાત કેસમાં આરોપી પતિની ધરપકડ

સુરતમાં (Surat) પર્વત ગામની 2 સંતાનોની માતાએ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. મહિલાએ તેમના હાથ પર હિન્દી ભાષામાં સુસાઇડ નોટ લખી આપઘાત પાછળ તેના પતિને જવાબદાર ઠેરવ્યો છે.

Surat : પરવત ગામમાં 2 સંતાનની માતાના આપઘાત કેસમાં આરોપી પતિની ધરપકડ
મૃતક સીતાના પતિની પોલીસે ધરપકડ કરી
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 27, 2023 | 4:46 PM

સુરતના લીંબાયત વિસ્તાર ની ઘટના ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં હાથ પર હિન્દી ભાષામાં ‘પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું’ એમ લખી પરવત ગામની મહિલાએ મંગળવારે સાંજે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મહિલાએ ભરેલા અણધાર્યા પગલાને લીધે તેણીના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. લીંબાયત પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.

પતિના ત્રાસથી કંટાળી પત્નીનો આપઘાત

સુરતમાં પર્વત ગામની 2 સંતાનોની માતાએ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. મહિલાએ તેમના હાથ પર હિન્દી ભાષામાં સુસાઇડ નોટ લખી આપઘાત પાછળ તેના પતિને જવાબદાર ઠેરવ્યો છે. મહિલાએ તેના હાથ પર લખ્યું છે કે ‘પતિ મુજે હેરાન-પરેશાન કરતા હૈ, મેં તંગ આ ગઇ હું’. મામલાની જાણ થતાં જ લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર કેસમાં લીંબાયત પોલીસે ગુનો નોંધ્યો હતો. જે પછી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ

સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની સીતા પ્રવીન ગોસ્વામી (ઉં.વ.27) પતિ અને બે સંતાનો સહિતના પરિવાર સાથે પરવત ગામ સ્થિત સીતાનગરમાં રહેતી હતી. તે દરમિયાન મંગળવારે સાંજે સીતાનો મૃતદેહ ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી સીતાને હોસ્પિટલમાં લઈ જવા માટે પરિવારના સભ્યોએ 108-ને જાણ કરી હતી. પરંતુ 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા સીતાનું મોત થઈ ચૂક્યું હતું.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સમગ્ર મામલે પીએસઆઈ એચ. આર. મારૂએ તપાસ શરુ કરી હતી. જેમાં સીતાએ આપઘાત કરતા પહેલા હાથ પર હિન્દી ભાષામાં ‘પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું’ એમ લખ્યું હતું. જેના પરથી સીતાએ પતિના ત્રાસના કારણે કંટાળી જઈને અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યુ છે. ત્યારે સમગ્ર મામલે મૃતક સીતાના પતિ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધાયો હતો. સાથે દહેજ માગવા સહિતની કલમો લગાવી ગુનો નોંધાયો હતો. જેના આધારે પોલીસે મૃતક સીતાના પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">