AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો ત્રિદિવસીય પાટીદાર બિઝનેસ સમિટનો પ્રારંભ, કહ્યુ ”દેશના સૌથી ઝડપી વિકસીત થતા શહેરોમાં સુરતનું નામ”

વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) ચૂંટણી પહેલાં પાટીદારોને આકર્ષવાના પ્રયાસોના ભાગ રૂપે એપ્રિલ મહિનામાં જ બીજી વખત પાટીદાર સમાજના (Patidar Community) લોકોને સંબોધન કર્યુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો ત્રિદિવસીય પાટીદાર બિઝનેસ સમિટનો પ્રારંભ, કહ્યુ ''દેશના સૌથી ઝડપી વિકસીત થતા શહેરોમાં સુરતનું નામ''
Prime Minister Narendra Modi inaugurated the three-day Patidar Business Summit Virtually
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 1:01 PM
Share

સુરતમાં (Surat) ત્રણ દિવસીય વૈશ્વિક પાટીદાર બિઝનેસ સમિટનો  (Patidar Business Summit ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) વર્ચ્યુઅલ રીતે પ્રારંભ કરાવ્યો છે. સમિટમાં 15થી વધુ સેક્ટરના ઉદ્યોગકારો હાજર રહ્યા છે. આ સમિટના ઉદ્ઘાટ પ્રસંગે કરેલા સંબોધનમાં વડાપ્રધાને ગુજરાતની ખેતીને આધુનિક બનાવવા માટે આહવાન કર્યુ. સાથે જ તેમણે ન માત્ર હીરા ઉદ્યોગ પરંતુ ફુડ પ્રોસેસિંગમાં ખાસ ધ્યાન આપવાની જરુર હોવાનું જણાવ્યુ હતુ.

વડાપ્રધાને પોતાના સંબોધનની શરુઆત સુરત શહેરની પ્રશંસા સાથે કર્યા. વડાપ્રધાને જણાવ્યુ કે દેશના સૌથી ઝડપી વિકસીત થતા શહેરોમાં સુરતનું નામ છે. તેમણે કહ્યુ કે ગુજરાતને ખેતી ક્ષેત્રે આધુનિક બનાવવાની જરુર છે. ગુજરાતની જમીનોનું અધ્યયન કરવા ટીમ બનાવવા તેમણે જણાવ્યુ. વડાપ્રધાને કહ્યુ કે જ્યારે દેશને આઝાદી મળી ત્યારે સરદાર સાહેબે કહ્યું હતું કે ભારતમાં સંપત્તિની કોઈ કમી નથી. આપણે ફક્ત આપણા મન અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. જ્યારે આપણે આવનારા 25 વર્ષનો સંકલ્પ લઈને આવ્યા છીએ, ત્યારે આપણે સરદાર સાહેબની આ વાત ભૂલવી ન જોઈએ

વડાપ્રધાન કહ્યુ કે છેલ્લાં 8 વર્ષમાં દેશમાં બિઝનેસ, એન્ટરપ્રાઇઝ અને ક્રિએટિવિટીમાં નવો વિશ્વાસ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારનો તેની નીતિઓ, કાર્યો દ્વારા સતત પ્રયાસ છે કે દેશમાં એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ કે સામાન્ય પરિવારના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બને અને તેમના માટે સ્વપ્ન જુએ. આજે મુદ્રા યોજના દેશના તે લોકોને પોતાનો વ્યવસાય કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે, જેમણે ક્યારેય તેના વિશે વિચાર્યું પણ ન હતું. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની તે નવીનતા અને પ્રતિભા પણ યુનિકોર્નના સપનાને સાકાર થતા જોઈ રહી છે, જેણે ક્યારેય બહાર નીકળવાનો રસ્તો જોયો ન હતો.

વડાપ્રધાને કહ્યુ કે કોરોના યુગના અભૂતપૂર્વ પડકારો છતાં, દેશમાં MSME ક્ષેત્ર આજે ઝડપથી વિકાસ કરી રહ્યું છે. લાખો કરોડો રૂપિયાની મદદ કરીને MSME ને લગતી લાખો નોકરીઓ બચાવી હતી અને આજે આ ક્ષેત્ર ઝડપથી નવી રોજગારીનું સર્જન કરી રહ્યું છે. દેશવાસીઓ, જે શેરીમાં નાનો વેપાર કરે છે, તે પોતાને આજે ભારતની વિકાસગાથા સાથે જોડાયેલો અનુભવે છે. પ્રથમ વખત, શેરી વિક્રેતાઓને પણ PM સ્વાનિધિ યોજનામાંથી ઔપચારિક બેંકિંગ સિસ્ટમમાં ભાગીદારી મળી છે. તાજેતરમાં અમારી સરકારે આ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે.

વડાપ્રધાન મોદીએ ચૂંટણી પહેલાં પાટીદારોને આકર્ષવાના પ્રયાસોના ભાગ રૂપે એપ્રિલ મહિનામાં જ બીજી વખત પાટીદાર સમાજના લોકોને સંબોધન કર્યુ. આ અગાઉ 10 એપ્રિલના રોજ પીએમ મોદીએ જૂનાગઢ નજીક આવેલા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિર ઉમાધામ ગાંઠીલા ખાતે મહાપાટોત્સવ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહી કડવા પાટીદારોને સંબોધન કર્યું હતું. જેમાં પાટીદાર સમાજની સમજશક્તિના વખાણ કર્યાં હતાં અને આ રીતે પાટીદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે, કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોને અને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકરોને સંબોધશે

આ પણ વાંચોઃ Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો, સ્વામીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">