AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પાટીદાર સમિટમાં વડાપ્રધાને પાટીદારોને કહ્યું કે ”તમે ખેડૂતોની મહેનતને ચમકાવો અને હીરાની સાથે અન્નદાતાને ઉર્જા દાતા બનાવો”

સુરતમાં (Surat) ત્રણ દિવસીય વૈશ્વિક પાટીદાર બિઝનેસ સમિટનો (Patidar Business Summit ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) વર્ચ્યુઅલ રીતે પ્રારંભ કરાવ્યો છે. સમિટમાં 15થી વધુ સેક્ટરના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.

Surat: પાટીદાર સમિટમાં વડાપ્રધાને પાટીદારોને કહ્યું કે ''તમે ખેડૂતોની મહેનતને ચમકાવો અને હીરાની સાથે અન્નદાતાને ઉર્જા દાતા બનાવો''
Global Patidar Business Summit 2022 - Surat
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 29, 2022 | 5:53 PM
Share

સુરતમાં (Surat) સરદારધામ વિશ્વ પાટીદાર સમાજના ઉપક્રમે આજથી ત્રણ દિવસની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું (Global Patidar Business Summit 2022) આયોજન કરવામાં આવ્યું છે. સુરતના સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે 29 એપ્રિલથી 1 મે સુધી યોજાનાર આ સમિટનું ઉદઘાટન કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુલ રીતે કર્યુ હતુ. આ સાથે જ તેમણે આ સમિટમાં પાટીદારો સાથે વર્ચ્યુલ સંબોધન પણ કર્યુ હતુ. જેમાં તેમણે પાટીદારોને કહ્યુ હતુ કે ”તમે ખેડૂતોની મહેનતને ચમકાવો અને હીરાની સાથે અન્નદાતાને ઉર્જા દાતા બનાવો”

પીએમ મોદીએ સમિટનું ઉદ્ધાટન કરીને કહ્યુ કે,આધુનિક કનેક્ટિવિટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, નવા શહેરોનું નિર્માણ, જૂના શહેરોમાં સ્માર્ટ સુવિધાઓ વિકસાવવી, દેશને જૂના નિયમો અને કાયદાઓમાંથી મુક્ત કરવો અને નવીનતા અને વિચારોનો હાથ પકડવો, આવા તમામ કાર્યો એકસાથે થઈ રહ્યા છે. પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, દેશવાસીઓ, જે શેરીમાં નાનો વેપાર કરે છે, તે પોતાને આજે ભારતની વિકાસગાથા સાથે જોડાયેલો અનુભવે છે. પ્રથમ વખત, શેરી વિક્રેતાઓને પણ PM સ્વાનિધિ યોજનામાંથી ઔપચારિક બેંકિંગ સિસ્ટમમાં ભાગીદારી મળી છે.

વડાપ્રધાને કહ્યુ કે, તાજેતરમાં અમારી સરકારે PM સ્વાનિધિ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે. પીએમ મોદીએ પાટીદારોને ખેડૂતો માટે કામ કરવા માટે પ્રેરણા આપતા જણાવ્યુ કે, અહીં બેઠા છે તેમાંથી 90 ટકા લોકોના વડવાઓ ખેડૂતો હશે. આજે તમે અરબો ખરબોનો વેપાર કરો છો, તો ગુજરાતની ખેતીને આધુનિક બનાવો. આપણે બહારથી અનાજ નથી લાવવું પ્રાકૃતિક ખેતીમાં કામ કરો. જેમ હિરા ચમકાવો છો, એમ ખેડુતોની મહેનત પણ ચમકાવો, જે માટે ભારત સરકારે ગોબરધન પ્રોજેકટ નક્કી કર્યો છે. દરેક જિલ્લામાં 75 મોટા અમૃત સરોવર બનાવીએ.

વડાપ્રધાને પાટીદારના દીકરાઓને ટકોર કરી

વડાપ્રધાને સંબોધન કરતા આડકતરી રીતે કહ્યુ કે, પહેલાના સમયમાં ખેતરમાં પાણી પણ ન હતું, વીજળી પણ ન હતી, ત્યારે તમારા છોકરા હાલમાં તેને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે તેને પણ તમે સમજાવો તેવી આડકતરી રીતે ટકોર કરી હતી. વડાપ્રધાને કહ્યુ કે તમે હીરા ઉદ્યોગમાં આત્મનિર્ભર રહ્યા છો, તેની સાથે હવે ગામડાઓ તરફ આગળ વધો, ખેતી વાડીઓમાં અને ઉર્જામાં ક્રાંતિ લાવો સાથે યુવાનોની ટિમ બનાવીને ખેતી બાબતે રિસર્ચ પણ કરવામાં આવે તો અનેક નવી નીતિઓ જાણવા મળશે અને આવનારા સમયમાં મોટી ક્રાંતિ ઉભી કરી શકાશે.

આ પણ વાંચો :સ્કૂલના એક શિક્ષકના ત્રાસથી પ્રિન્સિપાલએ કર્યો આપઘાત, પોલીસે શિક્ષક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો નોંધ્યો ગુનો

આ પણ વાંચો :રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ મૃત:પાય થવાની સ્થિતિમાં, 10 વર્ષમાં 1400 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ, ચાલુ વર્ષે 80 શાળાઓએ બંધ કરવા DEOને અરજી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">