Surat : કોરોના કાળમાં રેલવે સ્ટેશન પર મળેલા 36 બાળકોનો પરિવાર સાથે ભેંટો કરાવાયો

|

Sep 10, 2021 | 4:11 PM

સુરત રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક બાળકો ટ્રેનમાં ચઢતી વખતે પરિવારજનોથી છૂટા થઈ જાય છે. તો કેટલાક માતા-પિતાના ઠપકા, માર, ઘર કંકાસ, આર્થિક તંગી વગેરે કારણોથી ઘરેથી ભાગી જાય છે.

Surat : કોરોના કાળમાં રેલવે સ્ટેશન પર મળેલા 36 બાળકોનો પરિવાર સાથે ભેંટો કરાવાયો
Surat Railway Station

Follow us on

કોરોનાકાળમાં માતા-પિતાનો ઠપકો, ગૃહ કંકાસ અને આર્થિક તંગી જેવા કારણોથી ઘરથી બહાર ભાગેલા 74 બાળકો રેલવે સ્ટેશન પર મળી આવ્યા છે. આરપીએફ દ્વારા 36 બાળકોના તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. બાકી આડત્રીસ બાળકોને એનજીઓને સોંપી દેવામાં આવ્યા છે.

આરપીએફના જણાવ્યા પ્રમાણે 2020 માં કોરોનાકાળ દરમિયાન કુલ 25 બાળકો મળ્યા હતા. જેમાંથી 16 જેટલા બાળકોને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. જ્યારે 9 બાળકોને ચાઈલ્ડ લાઈન એનજીઓને સોંપી દેવામાં આવ્યા હતા. આ વર્ષે અત્યાર સુધી કુલ 49 બાળકોને રેલવે  સ્ટેશનથી પકડવામાં આવ્યા હતા. જેમાંથી 20 બાળકો તેમના પરિવારજનો સાથે ભેંટો કરાવવામાં આવ્યો હતા. જ્યારે 29 બાળકોને ચાઈલ્ડ લાઈન એનજીઓને સોંપવામાં આવ્યા હતા.

આ વર્ષે પશ્ચિમ રેલવેના બધા જ સ્ટેશનો પર કુલ 919 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ બાળકો ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, બિહાર, મહારાષ્ટ્રથી ભાગીને આવ્યા હતા. કેટલાક બાળકો ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી ભાગીને આવ્યા હતા. સુરત સ્ટેશન પર આરપીએફ એ તેમને રખડતા પકડ્યા હતા. સુરત સ્ટેશન પર રોજ અંદાજે દોઢસો જેટલી ટ્રેન રોકાય છે અને લગભગ 45 હજાર જેટલા મુસાફરો અવર જવર કરે છે. અમુક બાળકો સ્ટેશન પર ઉતરી જાય છે, તો કેટલાક પરિવારથી વિખુટા પડી જાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પાછલા ચાર વર્ષની વાત કરવામાં આવે તો સુરત સ્ટેશન પર 141 જેટલા બાળકો મળ્યા હતા. સુરત સ્ટેશન પર કોરોના પહેલા રોજ 250 એક્સપ્રેસ ટ્રેનોની અવર જવર થતી હતી. સુરત રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક બાળકો ટ્રેનમાં ચઢતી વખતે પરિવારજનોથી છૂટા થઈ જાય છે. તો કેટલાક માતા-પિતાના ઠપકા, માર, ઘર કંકાસ, આર્થિક તંગી વગેરે કારણોથી ઘરે થી ભાગી જાય છે. આવા બાળકોની ઉંમર બે વર્ષથી 18 વર્ષ સુધીની હોય છે. તે પ્લેટફોર્મ પર જ રાત દિવસનો સમય ગુજારે છે અને ઉદાસ ચહેરા સાથે ભટકતા મળી જાય છે.

અન્ય અસામાજિક તત્વોના હાથે ચડી જાય તો બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે અને કેટલાક બાળકો તો ગુનાખોરીના રવાડે પણ ચડી જતા હોય છે. ત્યારે આવા બાળકોને પરિવારજનો સાથે ભેંટો કરવાનું કામ રેલવે પોલીસ વર્ષોથી કરતી આવી છે.

આંકડા પ્રમાણે જોવા જઈએ તો આટલા બાળકો ચાર વર્ષથી રેલવે સ્ટેશન પર મળી આવ્યા છે.

વર્ષ                      બાળકો
2021                      49
2020                      25
2019                       31
2018                      36

કુલ                         141

 

આ પણ વાંચો : Surat : ડાયમંડ સીટી સુરતમાં છે દેશના સૌથી મોંઘા 600 કરોડના શ્રી ગણેશ

આ પણ વાંચો : યુદ્ધની સ્થિતિ અને ઈમરજન્સી લેન્ડીંગ માટે રાજ્યમાં આ 2 હાઈવે પર એરસ્ટ્રીપ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે

Next Article