સાબરકાંઠાઃ સતત પાંચ દિવસથી વરસાદી માહોલ, ખેડબ્રહ્માં, પોશીના સહિતના વિસ્તારોમાં વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ઉત્તરીય વિસ્તારમાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન વરસાદ નોંધાતા આ ક્ષેત્રમાં પણ વરસાદી માહોલ જળવાયો હતો. ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છેલ્લા 48 કલાક દરમિયાન નોંધાતા ખેડૂતોને રાહત થઈ હતી. જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં અંતિમ 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો […]

સાબરકાંઠાઃ સતત પાંચ દિવસથી વરસાદી માહોલ, ખેડબ્રહ્માં, પોશીના સહિતના વિસ્તારોમાં વરસાદ
સતત વરસાદી માહોલ
Follow Us:
| Updated on: Jul 05, 2024 | 10:07 AM

સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ઉત્તરીય વિસ્તારમાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન વરસાદ નોંધાતા આ ક્ષેત્રમાં પણ વરસાદી માહોલ જળવાયો હતો. ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છેલ્લા 48 કલાક દરમિયાન નોંધાતા ખેડૂતોને રાહત થઈ હતી.

જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં અંતિમ 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠામાં સૌથી વધારે વરસાદ આ દરમિયાન ખેડબ્રહ્મામાં નોંધાયો હતો. વિસ્તારમાં વરસાદને પગલે સ્થાનિકોમાં આંનદ છવાયો હતો. આ વિસ્તારમાં જાણે કે મેઘરાજાએ વિરામ લીધો હોય એમ અહેસાસ થઈ રહ્યો હતો. ત્યાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ હતી.

સૌથી વધારે ખેડબ્રહ્મામાં વરસાદ નોંધાયો

સાબરકાંઠામાં અંતિમ 24 કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ ઉત્તરીય વિસ્તારના તાલુકાઓમાં વરસ્યો હતો. ખાસ કરીને ખેડબ્રહ્મા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ખેડબ્રહ્મા તાલુકામાં અંતિમ 24 કલાક દરમિયાન સવા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. એટલે કે 31 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વડાલીમાં પણ એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વડાલીમાં 24 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.

Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
ડાન્સ ફ્લોર પર મુકેશ અંબાણીનો અલગ અંદાજ, જમાઈ આનંદને ગળે લગાવ્યા...સાથે કર્યો ડાન્સ

આ ઉપરાંત વિજયનગર અને પોશીનામાં અડધો અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. પ્રાંતિજ, ઈડર અને હિંમતનગરમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. ઈડરમાં 08 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સતત વરસાદી માહોલ જિલ્લામાં જળવાઈ રહેવાને લઈ ખેડૂતોમાં આનંદ છવાયો છે અને વાવણીમાં વ્યસ્ત બન્યા છે.

અરવલ્લીમાં પણ વરસાદી માહોલ

દરમિયાનમાં ગત 24 કલાકમાં અરવલ્લી જિલ્લામાં પણ માલપુર અને ભિલોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. માલપુરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ભિલોડામાં 09 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બાયજડ અને ધનસુરામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. વાત્રક, માઝમ અને મેશ્વોમાં ઉપરવાસમાં વરસાદને પગલે નવા પાણીની આવક નોંધાઈ હતી.

સાબરકાંઠામાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન વરસેલ વરસાદ

  • ખેડબ્રહમાઃ 31 મીમી
  • વડાલીઃ 24 મીમી
  • વિજયનગરઃ 16 મીમી
  • પોશીનાઃ 10 મીમી
  • ઈડરઃ 08 મીમી
  • પ્રાંતિજઃ 02 મીમી
  • હિંમતનગરઃ 01 મીમી
  • તલોદઃ 00 મીમી

આ પણ વાંચો: અરવલ્લીઃ જિલ્લામાં સતત વરસાદી માહોલ રહેતા ખેડૂતોને રાહત, ક્યાં, કેટલો વરસાદ વરસ્યો? જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">