Amulની સત્તા જાળવવા શામળ પટેલને મોટી રાહત, સાબરડેરીની ચૂંટણીમાં બિનહરીફ જાહેર

અમૂલની સત્તા જાળવવા માટે GCMMF ના ચેરમેન શામળ પટેલને મોટી રાહત સર્જાઇ છે. સાબરડેરીની ચૂંટણી હાલમાં યોજાઇ રહી છે, આ દરમિયાન ફોર્મ ચકાસણીની પક્રિયા પૂર્ણ થતા બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં અમૂલની સત્તા જાળવી રાખવા માટેનો પ્રથમ દાવ શામળ પટેલ માટે સફળ રહ્યો છે. શામળ પટેલ બિનહરીફ જાહેર થયા છે.

Amulની સત્તા જાળવવા શામળ પટેલને મોટી રાહત, સાબરડેરીની ચૂંટણીમાં બિનહરીફ જાહેર
સાબરડેરીની ચૂંટણીમાં બિનહરીફ
Follow Us:
| Updated on: Feb 27, 2024 | 10:45 AM

સાબરડેરીની સામાન્ય ચૂંટણીને લઈ સહકારી રાજકારણનો માહોલ ગરમ બન્યો છે. આ દરમિયાન સાબરડેરીના ચેરમેન શામળ પટેલ બિનહરીફ જાહેર થયા છે. શામળ પટેલની ઉમેદવારી સામે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. જેને લઇ તેમની ઉમેદવારી પર રાજ્યના સહકારી રાજકારણીઓની નજર ઠરી હતી. આ દરમિયાન હવે સોમવારે આખરી ઉમેદવાર યાદી પ્રસિદ્ધ થતા શામળ પટેલને મોટી રાહત સર્જાઈ હતી. જોકે હજુ તેઓએ બે કોઠા પાર કરવા જરુરી છે.

શામળ પટેલને બાયડની બેઠક પરથી બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. આમ તેઓ સાબરડેરીના ડિરેક્ટર પદે ચૂંટાઇ આવ્યા છે. શામળ પટેલ માટે બાયડ-1 બેઠક પરથી સાબરડેરીની ચૂંટણીમાં ઉમેદવાર બન્યા હતા.

રજૂ થયો હતો વાંધો

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળ પટેલ માટે અમૂલની સત્તા ટકાવી રાખવા માટે સાબરડેરીની સત્તા જાળવી રાખવી સૌથી જરુરી છે. તેઓ સાબરડેરીની ચૂંટણીમાં ડિરેક્ટર પદે ચૂંટાઇ આવે એ જરુરી છે. આ દરમિયાન હવે શામળ પટેલ બિન હરીફ થવાને લઈ તેમને મોટી રાહત છે. સાબરડેરીની ચૂંટણીમાં તેમની સામે હરીફ ઉમેદવારે વાંધો રજૂ કર્યો હતો, જોકે તે ઉમેદવારની ઉમેદવારી રદ થઇ હતી. જોકે હવે શામળ પટેલ સામેનો વાંધાનો નિર્ણય થઇ જતા તેઓ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો: સાબરકાંઠા લોકસભા બેઠક માટે BJPના દાવેદારોની લાંબી યાદી, ટેકેદારોએ માહોલ ગરમ કર્યો

સાબરડેરીમાં 16 બેઠકો માટે ચૂંટણી યોજાઇ રહી છે. આ દરમિયાન 2 ઝોનની બેઠકો બિનહરીફ થઇ છે. જ્યારે મેઘરજ બેઠક પરથી જ્યંતી ભીખાભાઇ પટેલ બિનહરીફ જાહેર થયા છે. આમ હવે 14 બેઠકો માટે 76 ઉમેદવારો મેદાને છે. જોકે ઉમેદવારી પત્ર ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

હજુ બીજા 2 કોઠા પાર પાડવા પડશે

અમૂલમાં સત્તાને ટકાવી રાખવા માટે શામળ પટેલે પ્રથમ અને મહત્વનો કોઠો ચૂંટણીમાં પાર પાડી દીધો છે. જોકે હવે આગળ વધુ બે કોઠા પાર કરવા જરુરી છે. જેમાં તેઓના સમર્થનમાં રહેનારા ડિરેક્ટરો ચૂંટણીમાં વિજયી થવા જરુરી છે, આમ તેઓના સમર્થક ડિરેક્ટરો વિજયી થતા તેઓ સાબરડેરીના ચેરમેન પદે ફરીથી ચૂંટાઇ આવવા જરુરી છે. આમ થવા બાદ તેઓ અમૂલની સત્તા જાળવી શકશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">