સાબરકાંઠા લોકસભા બેઠક માટે BJP ના દાવેદારોની લાંબી યાદી, ટેકેદારોએ માહોલ ગરમ કર્યો

સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે સોમવારે હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા યોજી હતી. સેન્સ પ્રક્રિયામાં રાજ્યના પ્રધાન ભાનુબેન બાબરીયા, પંકજ મહેતા અને વજુભાઈ ડોડીયા પ્રદેશ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ મેરેથોન બેઠક યોજીને સેન્સ લેવાની પ્રક્રિયા યોજી હતી.

સાબરકાંઠા લોકસભા બેઠક માટે BJP ના દાવેદારોની લાંબી યાદી, ટેકેદારોએ માહોલ ગરમ કર્યો
દાવેદારોની લાંબી યાદી
Follow Us:
| Updated on: Feb 27, 2024 | 10:44 AM

રાજ્યમાં તમામ લોકસભા બેઠક પર સોમવારે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. સાબરકાંઠા લોકસભા બેઠક માટે સોમવારે પ્રદેશ ભાજપના નિરીક્ષકો હિંમતનગર આવી પહોંચ્યા હતા. જ્યાં હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા યોજી હતી. સાંજે ચાર વાગ્યાના અરસા દરમિયાન શરુ થયેલ પ્રક્રિયા રાત્રીના 10 વાગ્યાના અરસા દરમિયાન સમાપ્ત થઈ હતી. નિરીક્ષકો સમક્ષ દાવેદારોની રજૂઆતો મુજબ અંતે લાંબી યાદી થઈ હતી. જે 34 જેટલા નામો હોવાની ચર્ચા રહી હતી.

સાબરકાંઠા લોકસભા બેઠક વિસ્તારમાં બે જિલ્લાઓનો સમાવેશ થાય છે. અરવલ્લી અને સાબરકાંઠા એમ બે જિલ્લાના હોદ્દેદારો અને પદાધિકારીઓને સાંભળવામાં આવ્યા હતા. જેમાં નિરીક્ષકો સામે પોતાના મત રજૂ કર્યા હતા. ખાસ કરીને કેટલાક દાવેદારોએ ગોઠવણ પૂર્વકની રજૂઆત સેન્સમાં કરાવી હોવાની પણ ચર્ચા સર્જાઈ હતી.

વર્તમાન સાંસદ, પૂર્વ પ્રધાન સહિત દાવેદાર

લોકસભાની ચૂંટણીને લઈ છેલ્લા કેટલાક સમયથી દાવેદારો પોતાના તરફી પ્રયાસ શરુ કરતા નજર આવી રહ્યા હતા. પરંતુ હવે સેન્સ પ્રક્રિયા યોજાતા દાવેદારોના નામને લઈ સેન્સ પ્રક્રિયા યોજાતા જેમાં અનેક સામે આવ્યા હતા. જોકે કેટલાકની દાવેદારીતો જ્ઞાતિગત સમીકરણ કે અન્ય રાજકીય ગણિતની રીતે નબળા હોય એવા દાવેદારો પણ સામે આવ્યા હતા અને તેમના તરફી ટેકેદારો મારફતે નામ રજૂ કરવામાં આવ્યા હતા.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

જોકે વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ ફરી ત્રીજીવાર લોકસભા ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હોવાનું ચર્ચામાં રહ્યુ હતુ. તેઓએ વિવાદ વિના બે ટર્મ સાંસદ તરીકે પૂર્ણ કરી છે. જ્યારે પૂર્વ સાંસદ અને પૂર્વ રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન જયસિંહ ચૌહણ પણ ટિકિટ માટે દાવેદાર રહ્યા હતા. તેઓ નિરીક્ષક તરીકે દક્ષિણ ગુજરાતમાં હતા, પરંતુ તેમના ટેકેદારોએ તેમનું નામ ચર્ચામાં રાખ્યુ. હતુ. પૂર્વ ધારાસભ્ય અને એડવોકેટ મહેન્દ્રસિંહ બારીયાને માટે પણ પદાધીકારીઓ અને હોદ્દેદારોએ રજૂઆત કરી હતી.

ટેકેદારો વતી રજૂ કરાવ્યા નામ

અરવલ્લી જિલ્લામાંથી ભીખીબેન પરમારનું અને ભીખાજીનું નામ ઉભરી આવ્યુ હતુ. મહિલા અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ભીખીબેન માટે રજૂઆત કરવામાં આવી હતી. ઇડર અને વડાલીમાંથી અશ્વિન પટેલનું નામ રજૂ કરવામાં આવ્યુ હતુ. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા પણ ઇડર ક્ષેત્ર તરફથી સેન્સ આપવા માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ બાદ અહમદ શાહે અહમદનગરની સ્થાપના કરી હતી, આજે આ નામથી ઓળખાય છે, જાણો

પૂર્વ પ્રધાન અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ પણ પોતાના મતને રજૂ કરીને બેઠકમાં પોતાના વિસ્તારના રાજકીય ગણિતને રજૂ કર્યુ હતુ. લોકસભા બેઠક માટે સામાજિક ગણિત મહત્વનું પાસુ છે. જેમાં શિક્ષિત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ પર એકંદરે રજૂઆતમાં ભાર રહ્યો હતો. લોકસભા બેઠક વિસ્તારમાં હળીમળીને રહેવા સાથે કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યોને લાગુ કરે એવા ઉમેદવારની પસંદગી માટેનો સૂર જોવા સેન્સ દરમિયાન જોવા મળ્યો હતો. જેથી આગામી પાંચ વર્ષમાં વિકાસની ગતિ વધુ ઝડપી આ વિસ્તારમાં બની રહે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">