Rajkot : પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે પુત્ર શિવરાજે આપ્યું મોટું નિવેદન

થોડા દિવસો પહેલા નરેશ પટેલે મિડીયા સાથેની વાતચીતમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય 30 માર્ચ સુધીમાં લઇ લેશે તેવો દાવો કર્યો હતો.નરેશ પટેલ ટૂંક સમયમાં નિર્ણય લેશે તેવો તેમના દ્રારા દાવો કરવામાં આવ્યો છે. પરંતુ તેઓ જોડાશે કે કેમ કે તે એક મોટો સવાલ છે

Rajkot : પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે પુત્ર શિવરાજે આપ્યું મોટું નિવેદન
Rajkot: Patidar leader Naresh Patel's son Shivraj made a big statement about his political entry
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 25, 2022 | 4:39 PM

Rajkot : લેઉવા પાટીદાર અગ્રણી નરેશ પટેલના (Naresh Patel) રાજકીય પ્રવેશ અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે પુત્ર શિવરાજ પટેલ (Shivraj Patel) આજે મિડીયા સામે આવ્યા હતા. શિવરાજ પટેલે કહ્યું હતું કે તેમના પિતા નરેશ પટેલ રાજકારણમાં આવે તે જરૂરી છે. હું વ્યક્તિગત ઇચ્છીશ કે સારા લોકોએ રાજકારણમાં આવવું જોઇએ,શિવરાજ પટેલે કહ્યું હતું કે તેમના પિતા નરેશ પટેલનો રાજકીય પ્રવેશ થશે કે કેમ અને થશે તો ક્યાં પક્ષમાં થશે તેનો આખરી નિર્ણય તેના પિતા જ લેશે.જોકે પિતાનો જે પણ નિર્ણય હશે તેને પરિવાર સહયોગ આપશે. નરેશ પટેલ 30 માર્ચ સુધીમાં (Politics)રાજકારણના પ્રવેશ અંગે નિર્ણય લઇ લેશે તેવો પણ દાવો કર્યો હતો.

શિક્ષણ અને આરોગ્ય રહેશે પ્રાથમિકતા-શિવરાજ

શિવરાજ પટેલે કહ્યું હતું કે જો તેમના પિતા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે તો શિક્ષણ અને આરોગ્ય તેમની પ્રાથમિકતા હશે. તેઓના રાજકીય પ્રવેશ બાદ તેઓ શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપશે અને તે પ્રમાણે કામ કરશે. શિવરાજે કહ્યું કે નરેશ પટેલે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી છે. હું મારા પિતાને ઓળખું છું ત્યાં સુધી તેઓ શિક્ષણ અને આરોગ્ય પર કામ કરશે કોઇપણ રાજ્યને મોટું કરવું હોય તો શિક્ષણ અને આરોગ્ય સારૂ હોવું જોઇએ. જેથી તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે તો આ મુદ્દે કામ કરશે તેવો વિશ્વાસ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

દિલીપ સંઘાણીએ કરેલી ટિપ્પણી પર કહ્યું, સૌ કોઇને બોલવાનો અધિકાર

થોડા દિવસ પહેલા ભાજપ નેતા દિલીપ સંઘાણીએ(Dilip Sanghani) નરેશ પટેલ પર ટિપ્પણી કરી હતી. અને કહ્યું હતું કે સમાજને હાથો બનાવીને રાજકારણમાં પ્રવેશ કરનારની હાલત હાર્દિક પટેલ જેવી થાય છે. ત્યારે નરેશ પટેલે ચેતી જવું જોઇએ.આ ટિપ્પણી અંગે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે કહ્યું હતું કે લોહશાહીમાં સ્વતંત્રતાનો સૌ કોઇને અધિકાર છે,સૌ કોઇ વાણી સ્વાતંત્ર્યના આધારે પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે.

નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહિ તે મોટો સવાલ

થોડા દિવસો પહેલા નરેશ પટેલે મિડીયા સાથેની વાતચીતમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય 30 માર્ચ સુધીમાં લઇ લેશે તેવો દાવો કર્યો હતો.નરેશ પટેલ ટૂંક સમયમાં નિર્ણય લેશે તેવો તેમના દ્રારા દાવો કરવામાં આવ્યો છે. પરંતુ તેઓ જોડાશે કે કેમ કે તે એક મોટો સવાલ છે અને જોડાશે તો ક્યાં પક્ષમાં જોડાશે તે જોવાનું રસપ્રદ છે. કારણ કે તમામ રાજકીય પાર્ટીઓ નરેશ પટેલને તેના પક્ષમાં જોડાવા માટે આમંત્રણ આપી ચૂકી છે.

આ પણ વાંચો : KUTCH : બાંધકામ મંજુરી નથી લીધી તો મેળવી લેજો, ભુજના ભરચક વિસ્તારમાં ઉભો કરાયેલ શો-રૂમ સીલ કરાયો

આ પણ વાંચો :Sri Lanka Food Crisis: શ્રીલંકામાં ફુગાવાએ હદ વટાવી, 400 ગ્રામ દુધના પાવડર 790 રૂપિયામાં, ચોખા, ખાંડના ભાવમાં ધરખમ વધારો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">