Sri Lanka Food Crisis: શ્રીલંકામાં ફુગાવાએ હદ વટાવી, 400 ગ્રામ દુધના પાવડર 790 રૂપિયામાં, ચોખા, ખાંડના ભાવમાં ધરખમ વધારો

આર્થિક કટોકટીને કારણે ઘણા શ્રીલંકન નાગરીકો દેશ છોડવાની ફરજ પડી છે,બેરોજગારી અને ભોજનની તંગીના કારણે શ્રીલંકન શરણાર્થીઓ ભારત તરફ આવી રહ્યા

Sri Lanka Food Crisis: શ્રીલંકામાં ફુગાવાએ હદ વટાવી, 400 ગ્રામ દુધના પાવડર 790 રૂપિયામાં, ચોખા, ખાંડના ભાવમાં ધરખમ વધારો
Sri Lanka Food Crisis (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 2:20 PM

શ્રીલંકા (Sri Lanka)માં ગહન આર્થિક કટોકટી વચ્ચે, દૂધ અને ચોખા સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને લોકોને ઇંધણ ભરવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી છે. દેશના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. દેશમાં બગડતી પરિસ્થિતિએ લોકોને ભારત આવવા મજબૂર કર્યા છે. સમાચાર એજન્સી IANS અનુસાર, મંગળવારે લગભગ 16 શ્રીલંકાના નાગરિકો બે બેચમાં તમિલનાડુમાં પ્રવેશ્યા હતા.ભારતમાં પ્રવેશતા મોટાભાગના શરણાર્થીઓ બેરોજગાર છે અને તેમનો દેશ છોડવાની ફરજ પાડવામાં આવે છે કારણ કે રેકોર્ડ ફુગાવા (Inflation)ને કારણે આવશ્યક ચીજવસ્તુઓ પહોંચની બહાર અને કાળાબજારીના ભાવો પોષાય તેમ નથી.

2,000 શરણાર્થીઓ ભારત આવવાની તાકમાં

તમિલનાડુ પોલીસના કહેવા પ્રમાણે શ્રીલંકામાં ભારે બેરોજગારી અને ભોજનની તંગીના કારણે શ્રીલંકન શરણાર્થીઓ ભાગીને ભારત તરફ આવી રહ્યા છે. શ્રીલંકાનો ઉત્તરી ભાગ તમિલ બહુમતીવાળું ક્ષેત્ર છે. તમિલનાડુ ઈન્ટેલિજન્સના કહેવા પ્રમાણે આ ફક્ત શરૂઆત છે અને હજુ અનેક લોકો ત્યાંથી આવે તેવી શક્યતા છે. ઈન્ટેલિજન્સના મતે આશરે 2,000 શ્રીલંકન શરણાર્થીઓ ટૂંક સમયમાં જ ભારતનો રસ્તો પકડશે.

દૂધ બે હજાર રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે

શ્રીલંકામાં દૂધની ભારે અછત છે. દૂધની અછતને કારણે ભાવમાં અસાધારણ વધારો થયો છે અને લોકોએ એક કિલો માટે લગભગ બે હજાર રૂપિયા (1,975 શ્રીલંકન રૂપિયા) ચૂકવવા પડે છે. 400 ગ્રામ દૂધ ખરીદવા માટે લોકો 790 રૂપિયા ચૂકવી રહ્યા છે.લોકોનું કહેવું છે કે શ્રીલંકામાં સોનું મળવું સરળ છે પરંતુ દૂધ માટે કલાકો સુધી ભટકવું પડે છે. જેમને દૂધની જરૂર હોય તેમણે વહેલી સવારે દુકાનો પર લાઇનમાં ઉભુ રહેવું પડે છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

ચોખા અને ખાંડની તીવ્ર અછત

શ્રીલંકામાં સરકારની નીતિઓને કારણે ચોખા અને ખાંડની પણ ભારે અછત સર્જાઈ છે. થોડા સમય પહેલા દેશની ગોટાબાયા રાજપક્ષે સરકારે રાસાયણિક ખાતરો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો અને 100% સજીવ ખેતી પર આગ્રહ કર્યો હતો. સરકારના આ નિર્ણયને કારણે દેશમાં કૃષિ ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે. ચોખા અને ખાંડની અછતને કારણે તેના ભાવ આસમાને છે.

શ્રીલંકામાં આવું કેમ બન્યું?

શ્રીલંકાની આ હાલત માટે ઘણા કારણો જવાબદાર છે. વિદેશી મુદ્રા ભંડારનો અભાવ આ સ્થિતિ માટે સૌથી મોટું પરિબળ છે.વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો આ સ્થિતિ માટે સૌથી મોટું પરિબળ માનવામાં આવે છે. જ્યાં ત્રણ વર્ષ પહેલા શ્રીલંકાની વિદેશી મુદ્રા ભંડાર $7.5 બિલિયન હતું, તે ગયા વર્ષે નવેમ્બરમાં ઘટીને $1.58 બિલિયન થઈ ગયું. શ્રીલંકા પર ચીન, જાપાન, ભારત અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનું જંગી દેવું છે પરંતુ વિદેશી હૂંડિયામણ અનામતના અભાવે તેઓ તેમના દેવાના હપ્તા પણ ચૂકવી શકતા નથી. શ્રીલંકા તેના મોટા ભાગના અનાજ, પેટ્રોલિયમ ઉત્પાદનો, દવાઓ વગેરે માટે વિદેશી આયાત પર નિર્ભર છે. પરંતુ વિદેશી મુદ્રા ભંડારના અભાવેઅછતને કારણે તે આયાત પણ કરી શકતો નથી. જેના કારણે દેશની હાલત ખરાબ થઈ રહી છે. દેશમાં વીજળીની કટોકટી પણ ઘેરી બની છે અને લોકોને રોજના 7-8 અંધારામાં રહેવું પડે છે.

આ પણ વાંચો :Banaskantha: વીજળીની માગ સાથે ખેડૂતોના ધરણા યથાવત, ગામે ગામ ઢોલ વગાડી ખેડૂત આંદોલનના જોડાવા અપીલ

આ પણ વાંચો :RRR Twitter Review : દર્શકોને પસંદ આવી રામ ચરણ-જુનિયર NTRની ‘RRR’, કહ્યું બાહુબલી 2 કરતાં 10 ગણી સારી

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">