Rajkot: પ્રિ મોન્સુન કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનરે યોજી બેઠક, એક પણ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ન રહે તે માટે આપી સૂચના

Rajkot News : મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અનુસંધાને ડેપ્યુટી કમિશનર અનિલ ધામેલિયા,ચેતન નંદાણીને સૂચના અને માર્ગદર્શન આપ્યુ હતુ.

Rajkot: પ્રિ મોન્સુન કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનરે યોજી બેઠક, એક પણ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ન રહે તે માટે આપી સૂચના
| Edited By: | Updated on: Apr 24, 2023 | 3:55 PM

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારી સાથે આજે મીટિંગ યોજી હતી. આપત્તિ સામેની બચાવ અને રાહત કામગીરીની વ્યવસ્થાના કામે તેમજ કોઈ જાનહાની ન થાય તેને લક્ષમાં રાખીને આ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાના પ્રશ્નો, તેના કારણો અને ઉકેલો સહિતના મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કમિશનરે ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાના પ્રશ્નને ધ્યાનમાં લઈને તંત્રની કામગીરીમાં કચાસ નાં રહે તેના પર ખાસ ભાર મુક્યો હતો.

આ પણ વાંચો-Breaking News : તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી ગુજરાત ATSને મળી, દાણચોરીના કેસમાં ટ્રાન્ઝિટ કસ્ટડી મંજૂર

અધિકારીઓને સ્થળ મુલાકાત લઈ સમસ્યાનો ઉકેલ લાવવા આપી સૂચના

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અનુસંધાને ડેપ્યુટી કમિશનર અનિલ ધામેલિયા,ચેતન નંદાણીને સૂચના અને માર્ગદર્શન આપ્યુ હતુ. જે જે વિસ્તારોમાંથી પાણી ભરાવાની ફરિયાદો આવતી રહે છે, ત્યાં સ્થળ મુલાકાત કરી ફીડબેક મેળવવા અને તેમાં એન્જિનિયરિંગ દ્રષ્ટિકોણ સાથે કેવા કેવા પ્રકારના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉકેલ લાવી શકાય તે સુનિશ્ચિત કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

રેડ ઝોન અને યલો ઝોનમાં વહેંચાશે શહેરના વિસ્તારો

જે વિસ્તારોમાં વધુ સમય માટે વરસાદી પાણી એકત્ર થતું હોય એ વિસ્તારોને રેડ ઝોન તરીકે આઇડેન્ટિફાય કરી ત્યાં લોકોની ફરિયાદની રાહ જોયા વગર સત્વરે સમસ્યા હલ કરવા સૂચના આપી હતી. તો આ મામલે મહાનગરપાલિકાની ટીમ પહોંચે અને વિનાવિલંબે પાણી નિકાલની કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. જે વિસ્તારોમાં પ્રમાણમાં ઓછું પાણી ભરાય છે અને થોડા સમય બાદ પાણી ઓસરી પણ જતા હોય છે, જોકે આવા યલો ઝોનમાં આવશ્યકતા અનુસાર પાણી નિકાલની કામગીરી કરવા જણાવ્યું હતું.

કંટ્રોલ રૂમ શરૂ કરી ફરિયાદોનો નિકાલ કરાશે

વધુમાં મ્યુનિસિપલ કમિશનરે વાવાઝોડાની આગાહી તથા ભારે વરસાદ વખતે કેવા પગલા લેવા, વરસાદમાં વિપરીત પરિસ્થિતિ ઉભી થાય ત્યારે વહીવટી તંત્રની કામગીરી જ શ્રેષ્ઠ કામગીરી કરતી હોય છે, નાગરિકોના હિત માટે કંટ્રોલ રૂમ શરૂ કરી આવતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરી શકાય તેવું આયોજન કરવું, વોંકળા સફાઈ, ગટર સફાઈ, પાણીના વહેણ ઉપર આવતા દબાણો દુર કરવા, વોર્ડ ઓફિસ ખાતે આવતા નાના-મોટા પ્રશ્નો કે ફરિયાદોનો તત્કાલ નિકાલ કરવો જેવી સૂચના આપી હતી.

સાથે જ જોખમી કે જર્જરિત બિલ્ડિંગોને સાવચેત કરવા, ખાસ કરીને મુખ્ય માર્ગો અને જ્યાં લોકોની અવરજવર થતી હોય તેવા રસ્તાઓ પરથી જર્જરિત બિલ્ડિંગો દુર કરવા, જોખમી પોલ અને વાયરને સલામત કરવા, નવા બનતા બિલ્ડિંગમાં બિલ્ડિંગ એસોસિએશન સાથે બેઠક કરી કાળજી રાખવી, ગટરનાં કોઈ ઢાંકણા ખુલ્લા ન રાખવા, નબળા ઢાંકણાને તાત્કાલિક બદલાવવા, ચાલુ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવી, જળ સંચયનાં કામોઝુંબેશનાં રૂપમાં કરવા તેમજ ટ્યુબવેલને ફરી સજીવન કરવા જેવી કામગીરી પર મ્યુનિ. કમિશનરએ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

વિકટ પરિસ્થિતિ માટે ટીમો રહેશે સ્ટેન્ડ બાય

વધુમાં મ્યુનિસિપલ કમિશનરે દરેક વોર્ડમાં એડવાન્સ પ્લાનિંમાં રોસ્ટર મુજબ કર્મચારીઓની ટીમો સ્ટેન્ડ બાય રાખવા અને જ્યાં પણ પાણી ભરાતા હોય તેવા એરીયામાં પાણી નિકાલ માટેની લાઈનની ઝાળીઓ ચોખ્ખી રાખવા પર ખાસ ભાર મુક્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…