રાજકોટ: દિવાળીના તહેવારોમાં વધ્યા કોરોના કેસ, સંક્રમણ વધતા તંત્ર બન્યું એલર્ટ
રાજકોટમાં કોરોનાના કેસ વધતા વહીવટી તંત્ર એલર્ટ પર છે. રાજકોટ કલેકટરે અધિકારીઓ સાથે બેઠક કરી હાઈએલર્ટ પર રહેવા સૂચના આપી છે. તો કેન્સર અને સમરસનું ઓક્સિજન કોવિડ સેન્ટર સ્ટેન્ડ બાય રાખવા પણ આદેશ કર્યો છે. રાજકોટ જિલ્લામાં 150 કરતા વધુ વેન્ટિલેટરની સુવિધા છે. રાજકોટ સીટી અને જિલ્લામાં 4308 બેડની સુવિધા છે. આ ઉપરાંત 32 પ્રાઇવેટ, […]
રાજકોટમાં કોરોનાના કેસ વધતા વહીવટી તંત્ર એલર્ટ પર છે. રાજકોટ કલેકટરે અધિકારીઓ સાથે બેઠક કરી હાઈએલર્ટ પર રહેવા સૂચના આપી છે. તો કેન્સર અને સમરસનું ઓક્સિજન કોવિડ સેન્ટર સ્ટેન્ડ બાય રાખવા પણ આદેશ કર્યો છે. રાજકોટ જિલ્લામાં 150 કરતા વધુ વેન્ટિલેટરની સુવિધા છે. રાજકોટ સીટી અને જિલ્લામાં 4308 બેડની સુવિધા છે. આ ઉપરાંત 32 પ્રાઇવેટ, 6 સરકારી અને 12 કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં 50 ધન્વંતરિ રથ અને 11 સંજીવની રથ પણ સતત દોડી રહ્યા છે. જિલ્લામાં 300 આરોગ્ય કેન્દ્રો પર ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. શરદી-ઉધરસ હોઈ તો ખાસ ટેસ્ટિંગ કરાવવા લોકોને અપીલ કરાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી લાગુ થશે કર્ફ્યૂ, કોરોના કેસો વધતા લેવાયો મોટો નિર્ણય
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો