અમદાવાદમાં આવતીકાલથી લાગુ થશે કર્ફ્યૂ, કોરોના કેસો વધતા લેવાયો મોટો નિર્ણય
અમદાવાદમાં આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ થઈ જશે. કોરોનાના કેસો વધતા લેવાયો આ મોટો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓ એકદમ વધી રહ્યાં છે. ડો.રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય એ માટે આગમચેતી પગલા લેવાની જરૂર છે. તેથી આવતીકાલ એટલે કે 20 […]
અમદાવાદમાં આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ થઈ જશે. કોરોનાના કેસો વધતા લેવાયો આ મોટો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓ એકદમ વધી રહ્યાં છે. ડો.રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય એ માટે આગમચેતી પગલા લેવાની જરૂર છે. તેથી આવતીકાલ એટલે કે 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નવી સૂચના ન આવે ત્યાં સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવે છે. નોંધનીય છે કે 1 ઓગસ્ટે અમદાવાદમાંથી કર્ફ્યૂ હટાવવામાં આવ્યો હતો. લોકડાઉન સમયે જ્યારે કોરોના ગુજરાતમાં ટોપ પર હતો, ત્યારે અમદાવાદ સિવિલમાં આ પ્રકારની સ્થિતિ હતી જે ફરીથી નિર્માણ થઇ છે.
આ પણ વાંચો: અમદાવાદ: દિવાળીના તહેવારો બાદ કોરોના બેકાબૂ, લોકો ટેસ્ટિંગ માટે ખાનગી લેબોરેટરીમાં કરી રહ્યા છે ધસારો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
https://www.facebook.com/tv9gujarati/videos/217839043109218/?t=9
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો