Porbanadar: મધ્યાહન ભોજનમાં અપૂરતો અને વાસી ખોરાક આપવા અંગે વિવાદ, મધ્યાહન ભોજન સંચાલિકા કરાયા ફરજ મોકૂફ

વાલીઓ આ મામલે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યુ નથી. હાલ તો મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થઈ મહિલા સંચાલકની બદલીની માગ કરી રહ્યા છે તથા મહિલા સંચાલકની બદલી બાદ જ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા વાલીઓ મક્કમ હોય તેમ લાગી રહ્યું છે.

Porbanadar: મધ્યાહન ભોજનમાં અપૂરતો અને વાસી ખોરાક આપવા અંગે વિવાદ, મધ્યાહન ભોજન સંચાલિકા કરાયા ફરજ મોકૂફ
porbandar bad qwality meadday meal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 11:29 PM

પોરબંદરમાં છાયા નવાપરા પ્રાથમિક શાળામાં અપાતા મધ્યાહન ભોજનથી વિવાદ થયો છે. મધ્યાહન ભોજનમાં વિદ્યાર્થીઓને વાસી, અપૂરતો ખોરાક અપાતો હોવાનો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓને જીવાત પડેલા અનાજનું ભોજન અપાતુ હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. મધ્યાહન ભોજન યોજનામાં વિદ્યાર્થીઓને પોષક આહાર આપવામાં આવે તે અનિવાર્ય છે. વાલીઓ આ મામલે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યુ નથી. હાલ તો મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થઈ મહિલા સંચાલકની બદલીની માગ કરી રહ્યા છે તથા મહિલા સંચાલકની બદલી બાદ જ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા વાલીઓ મક્કમ હોય તેમ લાગી રહ્યું છે.

વાલીઓ  બાળકોને શાળાએ ન મોકલવા મક્કમ

રતનપર ગામે આવેલી પ્રાથમિક શાળા માં સરકારના નિયમ મુજબ મધ્યાહન ભોજન આપવામાં આવે છે પરંતુ સંચાલિકા નિયમ વિરુદ્ધ અને જીવાત વાળું અપૂરતું ભોજન આપતા હોવાથી વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવાનો બહિષ્કાર કરી પુરવઠા વિભાગની રજુઆત કરી તંત્ર એ સંચાલિકા સામે પગલા લેવા ખાતરી આપી છે છતાં વાલીઓ બાળકોને સ્કૂલે નહિ મોકલવા મક્કમ છે. સ્થાનિક આગેવાનોએ સમગ્ર મામલે વાલીઓને સાથે રાખી પુરવઠા અધિકારી ને રજુઆત કરી હતી જેને પગલે તંત્રએ આળસ મરડી કાર્યવાહી કરવા વાલીઓને આશ્વાસન આપ્યું હતું. જોકે વાલીઓએ જ્યા સુધી નક્કર કાર્યવાહી ન થાય ત્યાં સુધી બાળકો સ્કૂલે નહીં આવે તે મુદ્દે વાત કરી હતી મધ્યાહન ભોજન ના રસોડા ની મુલાકતે ટીવી9 પહોંચ્યું ત્યારે અનાજ અને કઠોળમાં રીતસર જીવાતો ફરતી જોવા મળી હતી અને ડુંગળી પણ પાકી ગયેલી જોવા મળી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ટીવી9ના અહેવાલની અસર

પોરબંદરનો આ અહેવાલ પ્રસિદ્ધ થતા વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી મધ્યાહન ભોજન સંચાલિકા ગીતાબેન વાણવી ને મામલતદારે  લેખિત હુકમ કરી ફરજ મોકૂફનો આદેશ આપ્યો હતો.

પોરબંદર છાયા નગર પાલિકા વારંવાર વિવિધ કારણોસર આવે છે વિવાદમાં

પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં કાયમી સ્ટાફની અછત હોવાથી કેટલાક કામ અટકી પડે છે. 65 ટકા સ્ટાફની અછતનો કૉંગ્રેસનો આક્ષેપ છે. 35 ટકા સ્ટાફથી કામ ચલાવવામાં આવે છે. અનેક વખત મુશ્કેલી દૂર કરવા આઉટસોર્સિંગથી પાલિકાનું તંત્ર ચાલે છે, ત્યારે ભરતીને લઈને સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે. પોરબંદર, રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. જ્યાં દેશ વિદેશના નેતા અને પર્યટકો શહેરની મુલાકાત લેતા હોય છે. શહેરની ભવ્યતા સામે કોઈ સવાલ નથી, કેમ કે ગાંધીજીનું નામ તેની સાથે જોડાયેલું છે. જોકે સ્થાનિકોના પ્રશ્નોના ઉકેલ બાબતે  સ્ટાફની અછતની સમસ્યા સર્જાય છે તેવો વિપક્ષ તથા સ્થાનિકોનો આક્ષેપ છે.

આ પણ વાંચો : રાજા શાહી સમયના બાગ બગીચાની જાળવણીનો અભાવ અને નવા બગીચાનું પ્લાનિંગ ! શાસક-વિપક્ષના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે જાણો સમગ્ર ઘટના ?

સ્થાનિક નગરપાલિકા વિવિધ મુદ્દે ઉદાસિન

સ્થાનિક નગરપાલિકાને જાણે કે કોઈ ખાસ ચિંતા હોય તેમ લાગતું નથી. કેમ કે શહેરના કેટલાક કામ અટકી પડે છે, તેની પાછળ કારણ છે નગરપાલિકા પાસે અપૂરતો સ્ટાફ છે, જેના લીધે સ્થાનિક લોકો અને પર્યટકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ મુદ્દે કૉંગ્રેસનો આક્ષેપ છે કે નગરપાલિકા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે તો બીજી તરફ પાલિકા સત્તાધીશોએ તો અવારનવાર કમિટીમાં કર્મચારીઓની ભરતી માટે દરખાસ્ત કરી, પરંતુ હાલની કમિટી કર્મચારીઓને લેવામાં ક્યાં કારણે આળસ મરડે છે તે સવાલ ચોક્કસ ઉભો થઈ રહ્યો છે.

વિથ ઇનપુટ , હિતેષ ઠકરાર, ટીવી9 પોરબંદર

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">