AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિવાદને શાંત પાડવા રૂપાલા લઈ શકે છે સંતોનું શરણ, ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદ બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ લાલઘુમ થયો છે અને જરા પણ નમતુ જોખવાના મૂડમાં નથી. ક્ષત્રિય સમાજે રાજકોટ બેઠક પરથી રૂપાલાને હટાવી અન્ય ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2024 | 6:17 PM
Share

છેલ્લા કેટલાય દિવસોથી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. જે કોઈ રીતે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલાના નિવેદન સામે કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય અગ્રણી આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં બદનક્ષીની અરજી કરી છે. તેમનો દાવો છે કે રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યુ છે. રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરાઈ રહ્યો છે.

આ વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે રૂપાલા વિવાદનો અંત લાવવા સંતનું શરણુ પણ લઈ શકે છે. રૂપાલા ગધેથડ ગાયત્રી આશ્રમમાં લાલબાપુ સાથે મુલાકાત કરી શકે છે. ગધેથડ એ ક્ષત્રિય સમાજની આસ્થાનું ધામ છે. લાલબાપુ પાસે ક્ષમા માગવા રૂપાલા ગધેથડ જઈ શકે છે. ગોંડલમાં મળનારી ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ કરીને પરશોત્તમ રૂપાલા ગધેથડ જશે.

શું છે સમગ્ર વિવાદ?

પરશોત્તમ રૂપાલાએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા.

રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ થયો લાલઘુમ

રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય રોષે ભરાયો છે. રૂપાલાના નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ રૂપાલાએ માફી માગી લીધી પરંતુ રાજ્યના 90 જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત ભવનની એક બેઠક યોજાઈ હતી, જેમા રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માગણી ઉચ્ચારાઈ છે. ક્ષત્રિય સમાજે હવે મતોના માધ્યમથી સબક શીખવવાનું નક્કી કર્યુ છે.

જેની સામે હવે ભાજપે પણ હવે ડેમેજ કંટ્રોલ કરવા ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહેશે. જેમા ભાજપના ચાર ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ભાજપના 9 મોટા નેતાઓ બેઠકમાં હાજર રહેવાના છે.

આ પણ વાંચો: ધારાસભ્યની હત્યા કરવા માફિયા મુખ્તારે સેનામાંથી ચોરાયેલી LMG ખરીદવાની કરી હતી ડીલ, હલી ગઈ હતી આખી સરકાર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
g clip-path="url(#clip0_868_265)">