Heavy Rain : નવસારી જિલ્લાના સતત વરસાદ વચ્ચે નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો, તંત્ર બન્યું સતર્ક, જુઓ Video

સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નવસારી વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતા અનરાધાર વરસાદના પગલે તંત્ર એકશન મોડમાં કામગીરી કરી રહ્યું છે.

Heavy Rain : નવસારી જિલ્લાના સતત વરસાદ વચ્ચે નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો, તંત્ર બન્યું સતર્ક, જુઓ Video
Follow Us:
| Updated on: Jul 24, 2024 | 3:57 PM

નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડતાં વરસાદને કારણે જિલ્લાની નદીઓના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. કલાકે-કલાકે જળસ્તરમાં વધ-ઘટ થઈ રહી છે.

નવસારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ આજરોજ તા.24-07-2024 સવારના 10 વાગ્યા સુધી કાવેરી નદી 18 ફુટ પાણીની સપાટી સાથે તેના ભયજનક સપાટી 19 ફુટથી ફક્ત એક ફુટની દુરી ઉપર હતી. પરંતું બપોરે 12 વાગ્યા સુધીમાં ઉપરવાસ અને જિલ્લામાં વરસાદ ઓછો થતા હાલ કાવેરી નદી 14.50 ફુટ ઉપર નદી વહી રહી છે. જ્યારે પૂર્ણા અને અંબિકા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે.

અંબિકા નદી હાલ 23.61 ફુટ જળ સપાટી સાથે તેની ભયજનક સપાટી 28 ફુટથી 04.39 ફુટ દુર છે. આ સાથે પૂર્ણા નદી 22 ફુટની સપાટી સાથે તેની ભય જનક સપાટી કુલ-23 ફુટ પર પહોંચી છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

નવસારી જિલ્લામાં વરસાદના અંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. નદીઓના જળસ્તર વધતા અમુક અસરગ્રસ્ત ગામોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જલાલપોર તાલુકાના વાડા ગામમાં કરોડીવાસ ફળીયામાં 12 જેટલા ઘરોમાં અડધાથી એક ફુટ સુધીનું પાણી ભરાતા 40 જેટલા લોકોને ઉંચાણવાળી જગ્યાએ પ્રાથમિક શાળા વાડા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે.

નવસારી શહેરમાં રેલ રાહત કોલોની ખાતે ખાડીના પાણી 25 જેટલા ઘરોમાં ભરાય જવાથી રેલરાહત કોલોની ખાતે આવેલ આંગણવાડીમાં તમામ 20 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અન્ય 30 જેટલા લોકો આજુબાજુના ઊંચા મકાનોમાં હાલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થળાંતર કરેલા લોકોની આરોગ્ય તપાસ કરી જરૂરી દવા વિતરિત કરવામાં આવી હતી.

(input : Information Dep. Navsari)

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">