ભડકાઉ ભાષણ આપવા મામલે ATSએ કરી મુફતી સલમાન અઝહરીની ધરપકડ, જુનાગઢમાં સભા દરમિયાન આપ્યું હતું ભડકાઉ ભાષણ

જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલામાન અઝહરીની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ મહારાષ્ટ્ર પોલીસની મદદથી અઝહરીને ઝડપી પાડ્યો હતો. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી એટીએસએ અઝહરીની ધરપકડ કરી છે.

Follow Us:
| Updated on: Feb 04, 2024 | 10:58 PM

ઈસ્લામિક ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એટીએસએ મુંબઈથી ધરપકડ કરી છે. જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે તેની ધરપકડ કરનવામાં આવી છે. આ મૌલાનાએ 31 જાન્યુઆરીએ જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યુ હતુ જે ઘણુ વીવાદી હતુ. આ ભાષણનો વીડિયો વાયરલ થયા બાદ જુનાગઢ પોલીસે અઝહરી સામે FIR નોંધી હતી. આ કાર્યક્રમ અંગે પોલીસને એવુ જણાવવામાં આવ્યુ હતુ કે આ ધાર્મિક કાર્યક્રમ છે જેમા મુફ્તી સલમાન અઝહરી તેમા હેટ સ્પીચ આપી હતી.

31 જાન્યુઆરીએ જુનાગઢમાં આપ્યુ હતુ હતુ ભડકાઉ ભાષણ

આ કાર્યક્રમમાં હેટ સ્પીચનો વીડિયો સામે આવ્યા બાદ કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અઝીમ હબીબ સહિત મુફ્તી સલમાન અઝહરી પર કલમ 153એ, 505, 188, 114 અંતર્ગત FIR નોંધવામાં આવી અને યુસુફ અને હબીબની ધરપકડ કરી લેવામાં આવી. ત્યારબાદ મુફ્તી સલમાન અઝહરીની શોધખોળ હાથ ધરાઈ હતી. જેમા બાતમી મળી હતી કે તે મુંબઈના ઘાટકોપરમાં છે. જુનાગઢ એસપી અને સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસની ટીમે લોકેશન ટ્રેક કરી શનિવારે જ એક ટીમ મુંબઈ મોકલી મોકલી અને ત્યારૂબાદ રવિવારે બપોર બાદ અઝહરીની ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી.

મુંબઈના ઘાટકોપરથી અઝહરીની કરાઈ ધરપકડ, મોડી રાત સુધીમાં લવાઈ શકે ગુજરાત

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં પણ કલાકો સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. રવિવાર બપોર બાદ અઝહરીને ગુજરાત પોલીસે અટકાયતમાં લીધો અને ઘાટકોપર પોલીસ સ્ટેશને તેની ધરપકડની કાર્યવાહી માટે લાવી હતી પરંતુ વાયુ વેગે આ ખબર ફેલાઈ ગઈ અને જોતજોતામાં મુસ્લિમ સમાજના ધાડે ધાડા ઘાટકોપર પોલીસ સ્ટેશન બહાર જમા થઈ ગયા. પોલીસ સ્ટેશન બહાર સેંકડો મુસ્લિમ સમાજના લોકો એક્ઠા થઈ ગયા હતા. કલાકોની પૂછપરછ બાદ આખરે તેની ધરપકડ કરાઈ હતી અને તેને મોડી રાત સુધીમાં ગુજરાત લાવવામાં આવે તેવી શક્યતા છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

ધાર્મિક કાર્યક્રમના નામે લીધી હતી પરવાનગી

ગુજરાત ATSના સૂત્રોના જણાવ્યા મુજબ છે કે હજુ આ અંગે તપાસ ચાલી રહી છે. 2 લોકોની ડિસ્ટ્રીક્ટ એસપીએ FIR બાદ ધરપકડ કરી છે. મુફ્તીની તપાસ ચાલી રહી છે. જેમા તેમણે હેટ સ્પીચ શા માટે આપી, તેનો ઈરાદો શું હતુ, શું લોકોની ઉશ્કેરણી કરવાનો હતો કે માહોલ બગાડવાનો ઈરાદો હતો જેનાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે, આ તમામ પાસાઓ પર તેનુ પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચો : ગીર સોમનાથ: વિષમ વાતાવરણની ઘઉંના પાક પર ઘાતક અસર, સૂકારો અને ફુગ આવી જતા ખેડૂતો ચિંતિંત- વીડિયો

મૌલવીએ ધાર્મિક કાર્યક્રમની સ્પીચમાં આપ્યુ ભડકાઉ ભાષણ

મુસ્લિમ મૌલવીને એમ કહેતા સાંભળી શકાય છે કે, “કરબલાની છેલ્લી લડાઈ હજુ બાકી છે.” થોડીવાર માટેનુ આ મૌન છે ત્યારબાદ ફરી અવાજ ઉઠશે. આજે ભલે શ્વાનોનો સમય હોય આવતીકાલે આપણો યુગ હશે. પાછળથી તેઓએ “લબ્બૈક યા રસુલુલ્લાહ” અમે ઇસ્લામના પૈગંબરના આજ્ઞાકારી થવાનો આગ્રહ રાખીએ છીએ. ત્યાર બાદ ભીડે પણ તેનુ પુનરાવર્તન કર્યુ હતુ

Input Credit- Yunus Gazi 

મહારાષ્ટ્ર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">