AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : વિજાપુરના મોતીપુરા ગામે વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ, પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ

વ્યાજના વિષચક્રમાં પીસાયેલા મોતીપુરા ગામના એક વ્યક્તિએ ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનો આરોપ છે કે ચારેય વ્યાજખોરો તેને અને તેના પરિવાર પર અત્યાચાર ગુજારતા હતા.

Mehsana : વિજાપુરના મોતીપુરા ગામે વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ, પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ
Action against money lenders
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 11:16 AM
Share

મહેસાણાના વિજાપુરમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. વ્યાજના વિષચક્રમાં પીસાયેલા મોતીપુરા ગામના એક વ્યક્તિએ ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનો આરોપ છે કે ચારેય વ્યાજખોરો તેને અને તેના પરિવાર પર અત્યાચાર ગુજારતા હતા. અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે તેમાં બિલોદરા ગામના પ્રકાશસિંહ ચાવડા અને સંજયસિંહ ચાવડાનો સમાવેશ થાય છે, જ્યારે ડાભલા ગામન શંકર પ્રજાપતિ અને વસાઈ ગામના જીતુ ચાવડા નામના શખ્સનો સમાવેશ થાય છે. તમામ સામે વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

શંકર પ્રજાપતિ અને જીતુ ચાવડા નામના વ્યાજખોરો સામે ફરિયાદ

ફરિયાદી પ્રમાણે, એક વ્યાજખોર પાસેથી 7.50 ટકા વ્યાજે રૂપિયા 2 લાખ લીધા હતા. જેની સામે 5.55 લાખ વસૂલાયા હતા. બીજા વ્યાજખોર પાસેથી 8 ટકા લેખે 1.38 લાખ લીધા હતા. જેની સામે 3.08 લાખ ચૂકવ્યા હતા. ત્રીજા વ્યાજખોર પાસેથી 10 ટકા વ્યાજે રૂપિયા લીધા. જેમાં 2.50 લાખની સામે રૂપિયા 4.70 લાખ ચૂકવ્યા હતા. જ્યારે ચોથા વ્યાજખોર પાસેથી 7 ટકા લેખે વ્યાજે લીધા હતા. જેમાં 4.50 લાખ રૂપિયા સામે 6.12 લાખ રૂપિયા વસૂલાત કરાઈ હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે.

g clip-path="url(#clip0_868_265)">