AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સી આર પાટીલના સભામાં ઉછળી ખુરશીઓ, રુપાલાના વિરોધમાં સભા મંડપમાં ખુરશીઓ તોડાઇ, જુઓ Video

પરશોત્તમ રુપાલાના વિરોધનો પડઘો હવે સી આર પાટીલના કાર્યક્રમ સુધી પહોંચ્યો છે. ખંભાળિયામાં ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી પરશોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરનારાઓએ સભા મંડપમાં ખુરશીઓ પણ તોડી હોવાનું સામે આવ્યુ છે.

Breaking News : સી આર પાટીલના સભામાં ઉછળી ખુરશીઓ, રુપાલાના વિરોધમાં સભા મંડપમાં ખુરશીઓ તોડાઇ, જુઓ Video
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 06, 2024 | 1:16 PM
Share

પરશોત્તમ રુપાલાના વિરોધનો પડઘો હવે સી આર પાટીલના કાર્યક્રમ સુધી પહોંચ્યો છે. ખંભાળિયામાં ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી પરશોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરનારાઓએ સભા મંડપમાં ખુરશીઓ પણ તોડી હોવાનું સામે આવ્યુ છે.

વિરોધ કરનારાઓએ કાર્યક્રમમાં ખુરશીઓ તોડી

આજે દેવભૂમિ દ્વારકામાં ભાજપના કમલમ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે થવાનું હતુ. જો કે આ કાર્યક્રમમાં પરશોત્તમ રુપાલાના વિરોધના પડઘા જોવા મળ્યા. સી આર પાટીલ એક તરફ ઉદ્ઘાટન માટે રિબિન કટ કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ વિરોધ કરનારાઓએ કાર્યક્રમમાં ખુરશીઓ તોડી રહ્યા હતા.

રેલિંગ તોડી લોકો સભામાં ઘૂસ્યા

સી આર પાટીલના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા. પરશોત્તમ રુપાલા સામેનો વિરોધ લોકો અહીં ઠાલવતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ધસી આવતા તેમને રોકવામાં આવ્યા હતા. જો કે ખંભાળિયા દ્વારકેશ કમલમના ઉદઘાટન સમયે લોકો રેલિંગ તોડી સભામાં ઘૂસ્યા હતા અને વિરોધ દર્શાવવા લાગ્યા હતા.

SPએ લોકોને બહાર કાઢવા પડ્યા

સી આર પાટીલનું આ કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓએ ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ, જો કે બીજી જ તરફ થોડી જ વારમાં લોકોએ સભામાં આવીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. લોકોનું સંખ્યાબળ એટલુ હતુ કે SPએ ઘટના સ્થળે પહોંચીને સભા મંડપમાંથી ક્ષત્રિય સમાજના લોકોને બહાર કાઢ્યા હતા.

રોડ પર વિશાળ સંખ્યામાં રાજપૂતો થયા હતા એકત્ર

ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ ગામે ગામ ઉઠી રહી છે. આ માગ સાથે જ ક્ષત્રિય સમાજના લોકો ખંભાળિયા દ્વારકેશ કમલમના ઉદઘાટન સમયે પણ પહોંચી ગયા હતા. ક્ષત્રિય સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઇને આ કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવ્યા હતા.આ સાથે જ લોકોએ પોતાનો રોષ ખુરશીઓ તોડીને વ્યક્ત કર્યો હતો.

પોલીસે થોડી જ વારમાં વિરોધ કરનારાઓને હટાવી તો લીધા હતા. હાલ સ્થિતિ તો થાળે પડી ગઇ છે. જો કે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે.તેઓ કોઇપણ ભોગે પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ પર અડગ જોવા મળી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">