કચ્છ : સરકારની ખનીજ નિતીથી નારાજ બેન્ટોનાઇટ ઉદ્યોગકારો હવે વિજ સમસ્યાથી પરેશાન
કચ્છમાં બેન્ટોનાઇટ સંલગ્ન ઉદ્યોગ સાથે અનેક લોકો જોડાયેલા છે. અને કચ્છમાં અંદાજીત 200 જેટલા યુનિટો આવેલા છે. જોકે કચ્છ બેન્ટોનાઇટ વેલ્ફર એસોસીયેશને આ અંગે રાજ્યના મુખ્યમંત્ર સહિત ઉર્જામંત્રીને આ અંગે લેખીત પત્ર લખી વિજ સમસ્યા ઉકેલવા માંગ કરી છે.
કચ્છમાં (Kutch) મોટીમાત્રામાં કુદરતી ખનીજ આવેલુ હોવાથી તેને સંલગ્ન અનેક ઉદ્યોગો કચ્છમાં સ્થપાયા છે. કચ્છમાં બેન્ટોનાઇટ ખનીજનો (Bentonite mineral)જથ્થો વિપુલ પ્રમાણમાં છે. જોકે વાંરવાર સરકારે ખનીજ વ્યવસાય માટે બનાવેલા નિયમોથી કચ્છ બેન્ટોનાઇટ ઉદ્યોગ નારાજ છે. અને વાંરવાર મુખ્યમંત્રી સહિત સંલગ્ન વિભાગમાં આ અંગે બેન્ટોનાઇટ એસોસીયેશને રજુઆત પણ કરી છે. તાજેતરમાંજ બેન્ટોનાઇટ વેલફર એસોસીયેશન દ્વારા ખનીજ પરિવહન માટેના નિયમોમાં ફેરફાર માટે માંગ કરી હતી.
જેમાં રોયલ્ટી સમય પુર્ણ થઇ ગયા બાદ ખોટી રીતે પરિવહન કારોને અટકાવી દંડનીય કાર્યવાહી કરાય છે. પર્યાવરણીય મંજુરીમાંથી 5 હેક્ટરથી ઓછી લીઝ ધરાવતા ઉદ્યોગને બાદબાકી આપવામા આવે, ખાનગી માલિકીની જમીનમાં ઓક્સન પધ્ધતીના બદલે મંજુરી આપવાની અન્ય કોઇ પધ્ધતી અપનાવી નિશ્ચિત સમયમાં લીઝ મંજુરીની પ્રક્રિયા પુર્ણ થાય, ડીઝીટલ ભારતમાં રોયલટી પેજની જગ્યાએ એસ.એસ.કે અન્ય કોઇ પદ્ધતિ અપનાવી કાગળનો બચાવ કરવામાં આવે, આવા અનેક મુદ્દાઓની રજુઆત વચ્ચે હવે અનીયમીત વિજળીની સમસ્યાથી ઉદ્યોગકારો મુશ્કેલી અનુભવી રહ્યા અંગે મુખ્યમંત્રીને રજુઆત કરાઇ છે.
200 યુનિટ પણ વિજળીની સમસ્યા
કચ્છમાં બેન્ટોનાઇટ સંલગ્ન ઉદ્યોગ સાથે અનેક લોકો જોડાયેલા છે. અને કચ્છમાં અંદાજીત 200 જેટલા યુનિટો આવેલા છે. જોકે કચ્છ બેન્ટોનાઇટ વેલ્ફર એસોસીયેશને આ અંગે રાજ્યના મુખ્યમંત્ર સહિત ઉર્જામંત્રીને આ અંગે લેખીત પત્ર લખી વિજ સમસ્યા ઉકેલવા માંગ કરી છે. એસોસીયેશનની ફરીયાદ છે કે ગમે તે સમયે વિજ પુરવઠો બંધ થઇ જાય છે. જેને લઇ ચાલુ કામમાં ઉદ્યોગોને નુકશાન જાય છે. આ અંગે પી.જી.વી.સી.એલના જવાબદારોને ફરીયાદ કરવા છંતા યોગ્ય જવાબ મળતો નથી. જેથી કાયમી સમસ્યાના ઉકેલ માટે કોઇ ફોલ્ટ હોય તો તે નિયત સમયમાં પુર્ણ કરી વિજ પુરવઠો નિયમીત કરવામાં આવે મુખ્યમંત્રી તથા ઉર્જામંત્રી સાથે સ્થાનીક વિજ કચેરીઓને પણ આ અંગે રજુઆત કરાઇ છે.
કચ્છમાં ગેરકાયદેસર ખનીજ ઉતખન્નની પણ અનેક ફરીયાદો છે. તે વચ્ચે એસોસીયેશને આવી પ્રવૃતિને સમર્થન આપ્યુ નથી તેવી લાગણી સાથે અનેકવાર વિવિધ સમસ્યા મુદ્દે રજુઆત કરી છે. જોકે પોલિસીમાં તો સરકાર જ્યારે ફેરવિચારણા કરે ત્યારે પરંતુ હાલ વિજ પુરવઠો અનીયમીત મળતા મોટા નુકશાનની ચિંતા સાથે બેન્ટોનાઇટ ઉદ્યોગકારોએ મુખ્યમંત્રીને પત્ર લખી ફરીયાદ કરી છે.
આ પણ વાંચો : કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલવી કમરગની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો
આ પણ વાંચો : Porbandar: રાતડી ગામે સમુદ્ર કિનારા પરથી બેફામ રેતી ચોરી, કોઈ રોકનાર જ નથી