જુનાગઢના શ્રીધામ ગુરુકુળના વિજયપ્રકાશ સ્વામીને કેટલાક લોકોએ માર્યો માર, વ્યભિચારનો લગાવ્યો આરોપ- Video

જુનાગઢમાં શ્રીધામ ગુરુકુળના સ્વામીનો વિવાદ સામે આવ્યો છે. સ્વામીને માર મારતો વીડિયો સામે આવ્યો છે. ધોરાજીના ઝાલનસર ગામે હુમલાખોરોએ સ્વામીને મેથીપાક આપ્યાનો દાવો કર્યો છે. સ્વામી વિજયપ્રકાશ પર હુમલાખોરોએ વ્યભીચારનો આરોપ લગાવ્યો છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2024 | 1:52 PM

જુનાગઢમાં વધુ એક સ્વામી વિવાદમાં આવ્યા છે. શ્રીધામ ગુરુકુળના સ્વામીને માર મારતો વીડિયો વાયરલ થયો છે. સુરતના જમીન કૌભાંડ મામલે સ્વામીની કેટલાક લોકોએ મારપીટ કરી કર્યાનુ પ્રાથમિક કારણ સામે આવ્યુ છે. હુમલાખોરોએ સ્વામી વિજયપ્રકાશ પર વ્યભિચારનો આરોપ લગાવ્યો છે. સ્વામીએ હુમલાખોરોના આરોપ ફગાવતા કહ્યુ મને ખોટી રીતે માર મારવામાં આવ્યો છે. જસ્મીન માઢક, જય મોલીયા અને પ્રકાશ વાઘ નામના શખ્સોએ તેમને માર માર્યો હોવાનું જણાવ્યુ છે.

શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી છે વિજયપ્રકાશ દાસ સ્વામી

સ્વામી સામે વ્યભિચારના આક્ષેપ થતા ફરી અકવાર ભગવો લજવાયો છે અને આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. સ્વામી કથાકાર અને શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી છે અને સંસ્થા પણ ચલાવે છે. થોડા દિવસ પહેલા સુરતમાં જે કે સ્વામી ઉપર જમીન કૌભાંડ મામલે ફરિયાદ દાખલ થઈ છે. જે. કે. સ્વામી પણ જુનાગઢના છે અને તેમનો સાસણગીર ખાતે આશ્રમ આવેલો છે. આ બંને જે. કે. સ્વામી અને વિજયપ્રકાશદાસ સ્વામી બંને મિત્રો હતા.

સુરતના જમીન કૌભાંડ મામલે વિજય પ્રકાશ દાસ સ્વામીએ જણાવ્યુ હતુ કે તેમા મારો કોઈ હાથ નથી. અજાણ્યા લોકોએ મારી સાથે મારકૂટ કરી છે અને મને જે માર મારવામાં આવ્યો છે તે બાબતે પણ તેના અનુયાયીને બોલાવીને આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વરસાદમાં છોડની આ રીતે રાખો કાળજી, આખુ ચોમાસુ રહેશે લીલાછમ
મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video

જમીન કૌભાંડના તાર જુનાગઢના સ્વામી સુધી પહોંચ્યા

જે રીતે જે કે સ્વામીએ વર્ષ 2015, 2016માં સુરતમાં કરોડોની જમીનનું કૌભાંડ કર્યુ હતુ, જેમા એક તબીબ પાસેથી જમીનના પૈસા લેવાયા હતા. આ મામલે થોડા દિવસ પહેલા જ સુરતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદ બાદ જે કે સ્વામી હાલ ફરાર છે. આ સમગ્ર મામલે જમીન કૌભાંડ મામલે શ્રીધામ ગુરુકુળના વિજયપ્રકાશ દાસ સ્વામી સાથે મારપીટ કરાઈ હોવાનું સ્વામીનું જણાવવુ છે. જો કે ક્યા કારણોસર સ્વામીને માર મારવામાં આવ્યો તો પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.

Input Credit- Vijaysinh Parmar- Jungadh

આ પણ વાંચો: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાને લઈને વધુ એક આગાહી, ચોમાસા પહેલા રાજ્યમાં વાવાઝોડાનો ખતરો- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">