હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાને લઈને વધુ એક આગાહી, ચોમાસા પહેલા રાજ્યમાં વાવાઝોડાનો ખતરો- Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને ચોંકાવનારી આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાના આગમન પહેલા અરબ સાગરમાં મોટી હલચલ થવાના એંધાણ છે. અરબસાગરમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2024 | 1:05 PM

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાનું આગમન થાય એ પહેલા વાવાઝોડાનો ખતરો છે. અરબસાગરમાં મોટી હલચલ દેખાઈ રહી છે. 8 જુનથી અરબ સાગર હિલોળે ચડી સકે છે. 8 જુનની આસપાસ અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનશે, બંગાળની ખાડીમાં પણ ડીપ ડિપ્રેશન બનશે. 8 થી 14 જુન વચ્ચે અરબસાગરમાં ક્વચિત વાવાઝોડુ, ચક્રવાત બની શકવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. જેના કારણે અરબ સાગરથી આવતા પવનમાં મોટા ફેરફાર જોવા મળશે. સમુદ્રમાં ઉંચી ઉંચી લહેરો જોવા મળશે અને ઘણા ઉંચા મોજા ઉછળી શકે છે.

જુન મહિનાના અંત સુધીમાં રાજ્યભરમાં પડી જશે વાવણીલાયક વરસાદ

અંબાલાલ પટેલની આગાહી મુજબ 13 થી 16 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ દસ્તક દઈ દેશે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત તેજ ગતિના પવન સાથે થશે. 17મી જૂનથી તેજ ગતિના પવન સાથે ધોધમાર વરસાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થશે. જુનના અંતમાં સુધીમાં વાવણીલાયક વરસાદ પડી જતા ખેડૂતો વાવણી કરી શકશે. આ વર્ષે ચોમાસુ સારુ રહેવાનુ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

આ  પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં ક્રાઇમ બ્રાંચે 4 અધિકારીઓની કરી ધરપકડ, તપાસમાં અનેક મોટી બેદરકારી સામે આવી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">