AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Monsoon 2022: જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતીકાલે શાળાઓ રહેશે બંધ

ભારે વરસાદની આગાહીને પગલે ગીર સોમનાથ, જૂનાગઢ (Junagadh)અને અમરેલીમાં તારીખ 14 જૂલાઈ અને 15 જૂલાઇના રોજ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat Monsoon 2022: જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતીકાલે શાળાઓ રહેશે બંધ
Gujarat Monsoon 2022: Schools will remain closed tomorrow in Junagadh and Gir SomnathImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 11:08 PM
Share

ગુજરાત (Gujarat) રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ (Rain) રહેવાની હવામાન વિભાગે આગાહી (forecast) આપી છે. ખાસ કરીને ગીર સોમનાથ તેમજ જૂનાગઢ  (Junagadh) અનેઅમરેલી જિલ્લામાં ભારે  વરસાદની આગાહીને  પગલે  શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે શાળાના શિક્ષક તથા અન્ય સ્ટાફે શાળામાં હાજર રહેવું પડશે, જોકે વિદ્યાર્થીઓ માટે રજા રહેશે.

શાળાના કર્મચારીઓ નહીં છોડી શકે હેડક્વાર્ટર

તેમજ સ્થળાંતરની પરિસ્થિતિમાં શાળામાં લોકો આશ્રય લઈ શકે તે માટે વ્યવસ્થા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આચાર્યોને હેડક્વાટર છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તેમજ કોઈ પણ કર્મચારીને હેડક્વાર્ટર ન છોડવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આચાર્ય તેમજ શિક્ષકો સહિતનો અન્ય સ્ટાફ  શાળા છોડી શકશે નહીં. તેમજ કટોકટીની પરિસ્થિતિમાં શાળામાં લોકોને સ્થળાંતર કરાવવા માટે તેમજ  રાહત કેન્દ્ર શરૂ કરવા માટે શાળા ખૂલ્લી  રાખવાની રહેશે.

આ પણ વાંચો

ગીર સોમનાથમાં પણ શાળાઓ રહેશે બંધ

15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ,અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરીને અમરેલીમાં બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી.  નોંધનીય છે કે  જૂનાગઢના કેશોદની ઉતાવળિયા નદીમાં તણાયેલા બાળકને બે યુવાનોએ જીવના જોખમે બચાવ્યું હતું. સાયકલ લઈને જઈ રહેલું બાળક પાણીના પ્રવાહમાં તણાયું હતું. જેની જાણ થતાં જ એક યુવકે તાત્કાલિક નદીમાં કૂદકો માર્યો હતો અને બાળકને હેમખેમ બચાવી લીધું હતું.

બાળકને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવાયું હતું. હાલ બાળકની હાલત સ્થિર છે. પૂર અને વરસાદની સ્થિતિમાં જો બાળકો શાળાએ જાય તો જોખમભરેલી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે માટે જૂનાગઢ તેમજ ગીર સોમનાથ અને  અમરેલીમાં શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">