AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીમાં અનરાધાર વરસાદથી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી સહિતની નદીઓમાં આવ્યાં પૂર

અમરેલી જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે ખાંભા (Khmabha)પંથકમાં નદી નાળા છલકાઈ ઉઠ્યા હતા. અને તાંતણિયા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી.

અમરેલીમાં અનરાધાર વરસાદથી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી સહિતની નદીઓમાં આવ્યાં પૂર
Rains in Amreli flooded rivers including Shetrunji
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 7:06 PM
Share

અમરેલી(Amreli) જિલ્લા સાર્વત્રિક તેમજ અમરેલીના ખાંભામાં વરસાદ (Rain)થતા વોકળા અને નદી નાળા છલકાઈ ગયા છે. તો સૌથી મોટી શેત્રુંજી  નદીમાં પણ પૂર આવ્યું હતું અને નદી બે કાંઠે વહી ઉઠી  હતી.  જ્યાારે ખાંભાની  તાતણિયા નદી (Flood in River)વરસાદી પાણીને પગલે છલકાઈ ઉઠી હતી. અહીં 3.5 ઈંચ વરસાદ ખાબકતા ખાંભા ગામ પાણીથી તરબોળ થઈ ગયું. ગામ સહિત ખેતરોમાં પણ પાણી ફરી વળ્યું હતું. વરસાદને પગલે મિતિયાળી પુલ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

અમરેલીના વિવિધ જિલ્લાઓમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાથે જ જે ખેડૂતો થોડા સમય પહેલા વાવણી બાદ વરસાદ ન થવાથી ચિંતામાં હતા તે ખેડૂતો પણ  વરસાદને પગલે ખુશખુશાલ થઈ ગયા હતાતો અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભમોદ્રાની વેકરીયા નદીમાં પૂર આવ્યું હતું અને પીપરડી રાણીગામ જવાના માર્ગ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. દામનગર, વડીયા, સાવરકુંડલા, લાઠી, ધારી સહિતના ગામોમાં અવિરત વરસાદ પડયો હતો.

જુઓ શેત્રુંજી નદીનો આહ્લાદક નજારો

શેત્રુંજી નદી બે કાંઠે  વહી ઉઠી હતી અને  તેના ધસમસતા પ્રવાહને  કારણે નદીકાંઠે સુંદર નજારો જોવા મળ્યો હતો.

અમરેલી: વડીયાના ગ્રામ્ય વિસ્તારોમાં  પણ ભારે વરસાદ

વડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ  ખાબક્યો હતો. વડિયાના  બાટવા દેવળી, હનુમાન ખીજડીયા, બરવાળા બાવીસી તથા  અનિડા, લાઠી, બગસરા, લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ  નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ગીર સોમનાથના ગીર જંગલના ઉપરવાસમાં વરસેલા અનરાધાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.ત્યારે ગીરમાંથી પસાર થતી રાવલ નદીમાં પૂર આવ્યું છે.રાવલ નદીમાં નવા નીરની આવક થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. અમરેલી જિલ્લામાં જૂન મહિનાથી ઘણો સારો વરસાદ વરસ્યો છે અને હજી પણ અહીં મેઘમહેર યઆથવત રહેતા મગફળી અને કપાસનું વાવેતર કરનારા ખેડૂતો ખુશકુશાલ છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">