મહાનગરપાલિકાનો દરજ્જો મળનારા શહેરોમાં ઘણું બધું બદલાઈ જશે, કેવા થશે ફેરફાર? જાણો

|

Feb 07, 2024 | 9:23 AM

રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 8 મહાનગર પાલિકાઓ હતી. હવે નવી વધુ 7 મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવતા રાજ્યમાં હવે તેની સંખ્યા વધીને 15 થશે. નવસારી, ગાંધીધામ, મોરબી સુરેન્દ્રનગર, વઢવાણ ,વાપી આણંદ અને મહેસાણાને મહાનગરપાલિકાઓનો દરજ્જો અપાયો છે.

મહાનગરપાલિકાનો દરજ્જો મળનારા શહેરોમાં ઘણું બધું બદલાઈ જશે, કેવા થશે ફેરફાર? જાણો
કેવા થશે ફેરફાર? જાણો

Follow us on

સૌથી મોટો સવાલ એ છે કે, નવસારી, ગાંધીધામ, મોરબી સુરેન્દ્રનગર, વઢવાણ ,વાપી આણંદ અને મહેસાણાને શું શું નવા ફાયદા મહાનગરપાલિકા દરજ્જો મળવાને લઈ થશે. હાલમાં નગરપાલિકા કાર્યરત છે, ત્યાં હવે આ શહેરોને મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશનનો દરજ્જો મળ્યો છે.

મહાનગરપાલિકા થયા બાદ હવે ચીફ ઓફિસરને બદલે હવે આ શહેરોમાં મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂંક થશે. સાથે જ શહેરમાં હવે પ્રમુખ નહીં મેયર અને ઉપપ્રમુખને બદલે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના હોદ્દાઓ અસ્તિત્વમાં આવશે.

 

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

વડા અધિકારીની સત્તા વધશે

અત્યાર સુધી પ્રમુખ અને ચીફ ઓફિસર પાલિકાનું સંચાલન કરતા હતા. જોકે ચીફ ઓફિસરની પાસે સત્તાઓની કેટલીક મર્યાદા હોય છે. ખાસ કરીને ટેક્નીકલ સ્ટાફને લઈને. પરંતુ હવે કમિશ્નર પદ હોવાને લઈ સત્તાઓ વધશે, જેથી શહેરનું સંચાલન વધારે સારુ થઈ શકશે અને જેનો ફરક શહેરમાં જોવા મળશે.

હવે વર્ગ-1 ના અધિકારીને બદલે IAS અને GAS સ્તરના અધિકારીઓની નિમણૂંક થશે. એટલે કે મહાનગરપાલિકાઓમાં ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક થશે. જેનાથી શહેરના વિકાસ માટેના કેટલાક પડકારોને પહોંચી વળવામાં સરળતા રહશે. સાથે જ વિકાસ અને સંચાલન વધારે સારુ બનશે. ઉચ્ચ અધિકારીઓ હોવાને લઈ તેઓ સરકારમાં પ્રોજેક્ટ મંજૂર કરાવવામાં સરળતા કરી શકે છે.

કોર્પોરેશન અમલમાં આવવાને લઈ શહેરમાં પ્રાથમિક સુવિધાઓ વધુ સારી મળી શકશે. જેમકે ગટર, પાણી, રસ્તાની સુવિધાઓ વધારે સારી થશે. જોકે શહેરીજનોએ પાલિકાના પ્રમાણમાં વેરા વધુ ચુકવવા પડશે.

વધુ ગ્રાન્ટ મળશે

મહાનગરપાલિકાને સ્થાનિક વેરાની આવક ઉપરાંત હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસથી વધુ ગ્રાન્ટ મળી શકશે. જેમકે હવે મનપા થતા હવે 30 ટકા રકમ રોકીને 100નું કામ કરી શકાશે. આ સીવાય કેટલાક 100 ટકા ગ્રાન્ટના પ્રોજેક્ટનો પણ લાભ મળી શકે છે.

આ પણ વાંચો: લક્ષદ્વીપ પ્રશાસક પુત્ર સિદ્ધાર્થ પટેલને શૈક્ષણિક ક્ષેત્રે મળી ‘વિશેષ’ જવાબદારી

1 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા શહેરો અ વર્ગની પાલીકા હોય છે, જ્યારે 3 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળતો હોય છે. જોકે નવી મહાનગર પાલિકાઓ જાહેર થઈ છે, તેમાં અન્ય આસપાસના ગ્રામ્ય વિસ્તારો ભેળવવામાં આવનાર છે. આમ આ શહેરોની વસ્તી પણ વધારે થશે અને આસપાસના ગામડાઓનો વિકાસ પણ થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Published On - 8:23 am, Tue, 6 February 24

Next Article