AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી? જાણો લેટેસ્ટ અપડેટ

સામાન્ય રીતે મોટા નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવા આવતા હોય છે અને જનતાને પણ પોતાનો સંદેશ પાઠવતા હોય છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપવા આવશે કે કેમ ચાલો જાણીએ.

Breaking News: શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી? જાણો લેટેસ્ટ અપડેટ
PM MODI
Devankashi rana
| Edited By: | Updated on: Apr 25, 2026 | 5:14 PM
Share

આવતીકાલે ગુજરાતની 15 બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન યોજાવા જઈ રહ્યું છે. સામાન્ય રીતે મોટા નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવા આવતા હોય છે અને જનતાને પણ પોતાનો સંદેશ પાઠવતા હોય છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપવા આવશે કે કેમ ચાલો જાણીએ.

વડાપ્રધાન મોદી આવશે ગુજરાત?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ ગુજરાતમાં મતદાન કરવા આ વર્ષે આવી રહ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીના વ્યસ્ત કાર્યક્રમો અને સત્તાવાર મુલાકાતોને કારણે તેઓ પોતાના મતવિસ્તારમાં આવી શકશે નહીં. દેશના વડાપ્રધાનના આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવે છે પણ વડાપ્રધાન તેમના વ્યસ્ત શિડ્યુલના કારણે મતદાન કરવા નથી પહોંચવાના. જોકે આ પહેલા 2021માં પણ કોરોનાના સમયગાળા દરમિયાન નરેન્દ્ર મોદી મતદાન કરવા પહોંચ્યા ન હતા.

અમિત શાહ આવતીકાલે મતદાન કરવા પહોંચશે

જોકે આવતીકાલની મતદાનમાં ભાગ લેવા માટે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવાના છે. અમિત શાહના મતદાન અને મુલાકાત અંગેના કાર્યક્રમો પણ નક્કી થઈ ગયા છે. અમિત શાહ 26 એપ્રિલ રવિવાર સવારે 10 વાગે અમદાવાદ પહોંચશે, અહીંથી અમિત શાહ સીધા મતદાન કરવા જવા માટે પોતાના મતવિસ્તાર પર જશે, અમિત શાહના આગમનને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

તમામ બૂથ સુરક્ષાની તૈયારીઓ શરુ

આવતીકાલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે સમગ્ર રાજ્યમાં તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ 15 બેઠકો પર મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવી દેવામાં આવી છે. રાજકીય પક્ષો દ્વારા અંતિમ તબક્કાનો પ્રચાર પૂર્ણ થયા બાદ હવે મતદારોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તમામ બૂથ પર કર્મચારીઓની નિમણૂંક, EVM મશીનોની ચકાસણી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી આવતીકાલે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન થઈ શકે.

Breaking News : મહેસાણામાં મનપાની ચૂંટણી બની લોહિયાળ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">