AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર:જુગારની રેડ દરમિયાન ત્રણ યુવકોના મોત, પોલીસથી બચવા ભાગવાનો પ્રયાસ કરતા કૂવામાં પડવાથી થયુ મૃત્યુ

ભાવનગરમાં વાડીમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડા કર્યા. આ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરનારા ત્રણ યુવકોના કૂવામાં પડવાથી રહસ્યમય મોત નિપજ્યા છે. જો કે પોલીસ દ્વારા દરોડા કર્યાની વાત નકારી દેતા વરતેજ પોલીસની તપાસ સામે સવાલ ઉઠી રહ્યા છે.

ભાવનગર:જુગારની રેડ દરમિયાન ત્રણ યુવકોના મોત, પોલીસથી બચવા ભાગવાનો પ્રયાસ કરતા કૂવામાં પડવાથી થયુ મૃત્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2026 | 8:18 PM
Share

ભાવનગરમાં કૂવામાં પડી જતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણ યુવકો વાડીમાં જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પોલીસે દરોડા કરતા યુવકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન કૂવામાં પડવાની દુર્ઘટના ઘટી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જો કે વરતેજ પોલીસ દરોડા ન કર્યા હોવાની કબુલાત કરી રહી છે ત્યારે પોલીસની તપાસ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. હાલ વરતેજ પોલીસના ડીસ્ટાફ રૂમમાં વાડીમાં હાજર અન્ય કેટલાક લોકોને પણ પૂરી દેવાયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કૂલ 11 લોકો જુગાર રમી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. ત્રણ યુવકોના કૂવામાં પડવાથી મોત બાદ અન્ય લોકોને ડીસ્ટાફ રૂમમાં પુરી દેવાયાનો દાવો કરાઈ રહ્યો છે.

હાલ પરિવારજનો કે મીડિયાના લોકોને રૂમમાં બંધ લોકોને મળવા ન દેવાતા પોલીસની તપાસ શંકાના ઘેરામાં આવી છે.

સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો ઉખરલા ગામની વાડીમાં રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના વ્યક્તિનું કૂવામાં પડતા મોત નિપજ્યુ છે. વાડી વિસ્તારમાં 11 લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાદ પોલીસે દરોડા કરતા તમામ લોકોએ નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કૂવામાં પડતા ત્રણ યુવકોના મોત થયા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ અને વરતેજ પોલીસ દરોડા કર્યા હોવાની વાત જ નકારી દીધી છે. હાલ આ ઘટનામાં સમગ્ર હકીકત સામે ન આવે ત્યા સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની જ ના પાડી દીધી છે.

હાલ એવા આક્ષેપો પણ સામે આવી રહ્યા છે કે 11 વ્યક્તિમાંથી બાકીના લોકોને વરતેજ પોલીસના ડિસ્ટાફ રૂમમાં પૂરી દેવાયા છે અને ત્યાં હાલ કોઈને પણ મળવાની પરવાનગી નથી અપાઈ રહી. અલબત પોલીસે રેડની વાતને સંપૂર્ણ નકારી દીધી છે. પોલીસનું કહેવું છે કે મોટો અવાજ થવાને લીધે નાસભાગ મચી હતી અને કુલ ચાર લોકો કૂવામાં પડ્યા હતા. જેમાંથી કેવલ સોલંકી નામના વ્યક્તિનો બચાવ થયો છે. જેણે પણ આ જ પ્રકારે જણાવ્યું છે. છતાં જો કોઈ અન્ય શખ્સો ત્યાં ગયા હશે. તો તે અંગે પણ તપાસ હાથ ધરાશે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

CM પદ છોડવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા, PM મોદી સાથે કરી મુલાકાત

Follow Us
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
g clip-path="url(#clip0_868_265)">