2 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરતમાં રાંદેર પોલીસે જાહેરમાં જ કાઢ્યો બુટલેગરનો વરઘોડો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2024 | 9:40 AM

આજ 02 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

2 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરતમાં રાંદેર પોલીસે જાહેરમાં જ કાઢ્યો બુટલેગરનો વરઘોડો

LIVE NEWS & UPDATES

  • 02 Oct 2024 09:40 AM (IST)

    પબુભા માણેકનો વીડિયો વાયરલ, CM ને જે કહેવું હોય તે કહેજો

    પબુભા માણેકનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ આઈએએસ અધિકારીને કહી રહ્યાં છે કે, વોટર સ્પોર્ટસ એકટીવીટીને મજૂરી આપો નહીં તો 42 ગામને બીચ ઉપર ઉતારીશું. જાઓ મુખ્યમંત્રીને જે રિપોર્ટીંગ કરવું હોય તે કરો.

  • 02 Oct 2024 09:37 AM (IST)

    સુરતમાં રાંદેર પોલીસે જાહેરમાં જ કાઢ્યો બુટલેગરનો વરઘોડો

    સુરતમાં રાંદેર પોલીસે જાહેરમાં બુટલેગરનો વરઘોડો કાઢ્યો હતો. આરોપી બિપિન મારુંનો વિસ્તારમાં ખુબ જ દાદાગીરી છે. જેથી પોલીસે આરોપીના વિસ્તારમાં જ વરઘોડો કાઢ્યો અને લોકો પાસે જાહેરમાં માફી મંગાવી હતી. આરોપી બુટલેગર બિપિન મારુએ સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટ કરી હતી.

  • 02 Oct 2024 09:06 AM (IST)

    બાપુએ ડર્યા વિના જીવવાનું શીખવ્યું…રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને અર્પી શ્રદ્ધાંજલિ

    રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘બાપુએ મને શીખવ્યું છે કે, જીવવું હોય તો ડર્યા વિના જીવવું. સત્ય, પ્રેમ, કરુણા અને સમરસતાના માર્ગ પર ચાલવાનું છે. ગાંધીજી કોઈ વ્યક્તિ નથી, તેઓ જીવન જીવવાની અને વિચારવાની રીત છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર શત શત વંદન.

  • 02 Oct 2024 08:22 AM (IST)

    પીએમ મોદીએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી

    દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસરે રાજઘાટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 02 Oct 2024 08:10 AM (IST)

    ઈરાનના ઈઝરાયેલ પરના હુમલા પહેલા એસ જયશંકરે અમેરિકામાં શું કહ્યું ?

    વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઈરાન-ઈઝરાયેલ હુમલા પહેલા કહ્યું કે, “અમે 7 ઓક્ટોબરને આતંકવાદી હુમલો માનીએ છીએ. અમે સમજીએ છીએ કે ઇઝરાયેલે જવાબ આપવાની જરૂર છે, પરંતુ અમે એ પણ માનીએ છીએ કે કોઈપણ દેશ દ્વારા અપાતા કોઈપણ પ્રતિભાવમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાને ધ્યાનમાં લેવો જોઈએ. “અમે સંઘર્ષને વધારવાની સંભાવના વિશે ચિંતિત છીએ.”

  • 02 Oct 2024 08:01 AM (IST)

    ઇઝરાયેલે લેબનોનમાં 5 હુમલા કર્યા

    લેબનીઝ સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે બુધવારે સવારે બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં ઓછામાં ઓછા પાંચ ઇઝરાયેલી હુમલાઓ થયા હતા. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તે હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી રહી છે અને તેણે ઘણા લોકોને સ્થળાંતર કરવાનો આદેશ જાહેર કર્યો છે.

  • 02 Oct 2024 07:54 AM (IST)

    નવસારીના વાંસદા તાલુકાના ઉપસળ ગામ ખાતેથી દીપડી પાંજરે પુરાઈ

    નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામ ખાતેથી દીપડી પાંજરે પુરાઈ ગઈ છે. ઉપસળ ગામના નિશાળ ફળિયામાંથી આજે વહેલી સવારે દીપડી વન વિભાગે મુકેલા પાંજરામાં પુરાઈ જવા પામી છે. દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાંસદા તાલુકામાં એક અઠવાડિયામાં બે બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. હિંસક દીપડાને પકડવા માટે રાજ્યમાંથી 17 જેટલી ટીમો કાર્યરત હતી.

  • 02 Oct 2024 06:46 AM (IST)

    ઈઝરાયેલે કહ્યું, ઈરાનને પરિણામ ભોગવવા પડશે, યોગ્ય સમયે અને સ્થળ પર જવાબ આપશે

    ઈઝરાયેલે ઈરાનના હુમલાનો જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે. IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે, ઈરાનને આ હુમલાનું પરિણામ ભોગવવું પડશે. અમારી પાસે યોજના છે અને અમે નિશ્ચિત સ્થળ અને સમયે પગલાં લઈશું.

  • 02 Oct 2024 06:19 AM (IST)

    ઈરાનનો ઈઝરાયલ પર મોટો હુમલો, 400 બેલેસ્ટિક મિસાઈલ છોડી

    ઈરાને ઈઝરાયેલ પર 400 બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે પોતાના નાગરિકોને બંકરોમાં રહેવા માટે કહ્યું છે. આ પહેલા ઈઝરાયેલના જાફા સ્ટેશન પર બે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

ઈરાને ઈઝરાયેલ પર 400થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે. હાલમાં મિસાઈલ હુમલો બંધ થઈ ગયો છે. પરંતુ હુમલા બાદ બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઝારખંડ ભાજપની 6 પરિવર્તન યાત્રા 2જી ઓક્ટોબરે હજારીબાગમાં સમાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સત્રને સંબોધિત કરશે અને ‘PM આદિવાસી ઉન્નત ગ્રામ યોજના’નું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હરિયાણાના ચરખી દાદરીમાં સભા કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વિનેશ ફોગાટ માટે પ્રચાર કરશે. સંઘ પ્રમુખ મોહન ભાગવત આજથી રાજસ્થાનના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન ભાગવત કોટા અને બારનની મુલાકાત લેશે. દિવસભરના મોટા અપડેટ્સ વાંચો…

Published On - Oct 02,2024 6:18 AM

Follow Us:
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
નવરાત્રી પહેલા માતાજીની ફેન્સી અને ડિઝાઈનર ગરબીની માગ વધી
નવરાત્રી પહેલા માતાજીની ફેન્સી અને ડિઝાઈનર ગરબીની માગ વધી
સિંહ ગરૂડની આવી ભાઈબંધી ક્યાંય નહીં જોઈ હોય, વિશ્વાસ ન આવે તો જુઓVideo
સિંહ ગરૂડની આવી ભાઈબંધી ક્યાંય નહીં જોઈ હોય, વિશ્વાસ ન આવે તો જુઓVideo
રાજુલાના કોટડી ગામે આવી ચડ્યા સિંહો, ગામમાં આંટાફેરા કરતા દેખાયા
રાજુલાના કોટડી ગામે આવી ચડ્યા સિંહો, ગામમાં આંટાફેરા કરતા દેખાયા
રાજકોટમાં દારુની રેલમછેલ ! દેશી દારુની ભઠ્ઠી પર પીસીબીના દરોડા
રાજકોટમાં દારુની રેલમછેલ ! દેશી દારુની ભઠ્ઠી પર પીસીબીના દરોડા
સુરતમાં હોટલ પર માલિકનું નામ લખવાની ભાજપ કોર્પોરેટર વિજય ચોમાલેની માગ
સુરતમાં હોટલ પર માલિકનું નામ લખવાની ભાજપ કોર્પોરેટર વિજય ચોમાલેની માગ
g clip-path="url(#clip0_868_265)">