2 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરતમાં રાંદેર પોલીસે જાહેરમાં જ કાઢ્યો બુટલેગરનો વરઘોડો
આજ 02 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
પબુભા માણેકનો વીડિયો વાયરલ, CM ને જે કહેવું હોય તે કહેજો
પબુભા માણેકનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ આઈએએસ અધિકારીને કહી રહ્યાં છે કે, વોટર સ્પોર્ટસ એકટીવીટીને મજૂરી આપો નહીં તો 42 ગામને બીચ ઉપર ઉતારીશું. જાઓ મુખ્યમંત્રીને જે રિપોર્ટીંગ કરવું હોય તે કરો.
-
સુરતમાં રાંદેર પોલીસે જાહેરમાં જ કાઢ્યો બુટલેગરનો વરઘોડો
સુરતમાં રાંદેર પોલીસે જાહેરમાં બુટલેગરનો વરઘોડો કાઢ્યો હતો. આરોપી બિપિન મારુંનો વિસ્તારમાં ખુબ જ દાદાગીરી છે. જેથી પોલીસે આરોપીના વિસ્તારમાં જ વરઘોડો કાઢ્યો અને લોકો પાસે જાહેરમાં માફી મંગાવી હતી. આરોપી બુટલેગર બિપિન મારુએ સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટ કરી હતી.
-
-
બાપુએ ડર્યા વિના જીવવાનું શીખવ્યું…રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને અર્પી શ્રદ્ધાંજલિ
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘બાપુએ મને શીખવ્યું છે કે, જીવવું હોય તો ડર્યા વિના જીવવું. સત્ય, પ્રેમ, કરુણા અને સમરસતાના માર્ગ પર ચાલવાનું છે. ગાંધીજી કોઈ વ્યક્તિ નથી, તેઓ જીવન જીવવાની અને વિચારવાની રીત છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર શત શત વંદન.
बापू ने ही मुझे सिखाया है, जीना है तो डरे बिना जीना है – सत्य, प्रेम, करुणा और सौहार्द के रास्ते पर सबको जोड़ते हुए चलना है।
गांधी जी एक व्यक्ति नहीं, जीने और सोचने का तरीका हैं।
राष्ट्रपिता महात्मा गांधी जी की जयंती पर उन्हें शत-शत नमन। pic.twitter.com/qikJehkZ8B
— Rahul Gandhi (@RahulGandhi) October 2, 2024
-
પીએમ મોદીએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસરે રાજઘાટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
#WATCH | Delhi: PM Narendra Modi pays tributes to Mahatma Gandhi on the occasion of his birth anniversary, at Rajghat. pic.twitter.com/fKz6Pg3smt
— ANI (@ANI) October 2, 2024
-
ઈરાનના ઈઝરાયેલ પરના હુમલા પહેલા એસ જયશંકરે અમેરિકામાં શું કહ્યું ?
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઈરાન-ઈઝરાયેલ હુમલા પહેલા કહ્યું કે, “અમે 7 ઓક્ટોબરને આતંકવાદી હુમલો માનીએ છીએ. અમે સમજીએ છીએ કે ઇઝરાયેલે જવાબ આપવાની જરૂર છે, પરંતુ અમે એ પણ માનીએ છીએ કે કોઈપણ દેશ દ્વારા અપાતા કોઈપણ પ્રતિભાવમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાને ધ્યાનમાં લેવો જોઈએ. “અમે સંઘર્ષને વધારવાની સંભાવના વિશે ચિંતિત છીએ.”
#WATCH | EAM Dr S Jaishankar says, “… We regard October 7 as a terrorist attack. We understand that Israel needed to respond, but we also believe that any response by any country has to take into account international humanitarian law and that it must be careful about any… pic.twitter.com/inGpavn01Y
— ANI (@ANI) October 2, 2024
-
-
ઇઝરાયેલે લેબનોનમાં 5 હુમલા કર્યા
લેબનીઝ સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે બુધવારે સવારે બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં ઓછામાં ઓછા પાંચ ઇઝરાયેલી હુમલાઓ થયા હતા. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તે હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી રહી છે અને તેણે ઘણા લોકોને સ્થળાંતર કરવાનો આદેશ જાહેર કર્યો છે.
-
નવસારીના વાંસદા તાલુકાના ઉપસળ ગામ ખાતેથી દીપડી પાંજરે પુરાઈ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામ ખાતેથી દીપડી પાંજરે પુરાઈ ગઈ છે. ઉપસળ ગામના નિશાળ ફળિયામાંથી આજે વહેલી સવારે દીપડી વન વિભાગે મુકેલા પાંજરામાં પુરાઈ જવા પામી છે. દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાંસદા તાલુકામાં એક અઠવાડિયામાં બે બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. હિંસક દીપડાને પકડવા માટે રાજ્યમાંથી 17 જેટલી ટીમો કાર્યરત હતી.
-
-
ઈઝરાયેલે કહ્યું, ઈરાનને પરિણામ ભોગવવા પડશે, યોગ્ય સમયે અને સ્થળ પર જવાબ આપશે
ઈઝરાયેલે ઈરાનના હુમલાનો જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે. IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે, ઈરાનને આ હુમલાનું પરિણામ ભોગવવું પડશે. અમારી પાસે યોજના છે અને અમે નિશ્ચિત સ્થળ અને સમયે પગલાં લઈશું.
-
ઈરાનનો ઈઝરાયલ પર મોટો હુમલો, 400 બેલેસ્ટિક મિસાઈલ છોડી
ઈરાને ઈઝરાયેલ પર 400 બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે પોતાના નાગરિકોને બંકરોમાં રહેવા માટે કહ્યું છે. આ પહેલા ઈઝરાયેલના જાફા સ્ટેશન પર બે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
ઈરાને ઈઝરાયેલ પર 400થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે. હાલમાં મિસાઈલ હુમલો બંધ થઈ ગયો છે. પરંતુ હુમલા બાદ બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઝારખંડ ભાજપની 6 પરિવર્તન યાત્રા 2જી ઓક્ટોબરે હજારીબાગમાં સમાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સત્રને સંબોધિત કરશે અને ‘PM આદિવાસી ઉન્નત ગ્રામ યોજના’નું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હરિયાણાના ચરખી દાદરીમાં સભા કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વિનેશ ફોગાટ માટે પ્રચાર કરશે. સંઘ પ્રમુખ મોહન ભાગવત આજથી રાજસ્થાનના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન ભાગવત કોટા અને બારનની મુલાકાત લેશે. દિવસભરના મોટા અપડેટ્સ વાંચો…
Published On - Oct 02,2024 6:18 AM