02 માર્ચના મહત્વના સમાચાર : પીએમ મોદીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ સાથે વાત કરી
આજે 02 માર્ચના સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
રાજકોટ: ન્યારી ડેમ નજીકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
રાજકોટ: ન્યારી ડેમ નજીકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. પામ વિલા નજીક આવેલા મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ભભૂકી. ચાર જેટલા ફાયર ફાઈટરે આગને કાબૂમાં લેવાની જહેમત ઉઠાવી. આગના બનાવમાં હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. આગને પગલે મંડપ, ડેકોરેશન સહિતનો સામાન બળીને ખાખ થયો છે.
-
મધ્ય પૂર્વમાં બદલાતી રાજકીય પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં અડચણો
IGT દિલ્હી એરપોર્ટે સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું કે મધ્ય પૂર્વમાં બદલાતી રાજકીય પરિસ્થિતિને કારણે, પશ્ચિમ તરફ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ વિક્ષેપોનો સામનો કરી રહી છે અને તેના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
#WATCH | Visuals from the IGI Airport. Delhi Airport tweeted on X, “Due to the evolving political situation in the Middle East, westbound international flights continue to experience disruptions and schedule changes.” pic.twitter.com/HuClq0erhL
— ANI (@ANI) March 2, 2026
-
-
સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી
સુરત ખાતે મળેલી અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં પ્રધાન કુંવરજી બાવળિયાએ કોળી સમાજના સંગઠનને તોડનારા તત્વો પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણીય છે. આવા તત્વો ખોટી રીતે હોદ્દાઓ ધારણ કરી આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાથે તેમણે કહ્યું કે સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી સંગઠન એજ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે એમાં કોઈ તથ્ય નથી.
-
પીએમ મોદીએ ઇઝરાયલી પ્રધાનમંત્રી નેતન્યાહૂ સાથે વાત કરી
પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પ્રાદેશિક પરિસ્થિતિ પર ટેલિફોન દ્વારા ચર્ચા કરી. ભારતે તાજેતરના વિકાસ અંગે ભારતની ચિંતાઓ વ્યક્ત કરી અને નાગરિકોની સુરક્ષાને ટોચની પ્રાથમિકતા તરીકે ભાર મૂક્યો. ભારતે દુશ્મનાવટનો વહેલાસર અંત લાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો.
Had a telephone call with PM Benjamin Netanyahu to discuss the current regional situation. Conveyed India’s concerns over recent developments and emphasised the safety of civilians as a priority. India reiterates the need for an early cessation of hostilities.@netanyahu
— Narendra Modi (@narendramodi) March 1, 2026
આજે 02 માર્ચના સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Mar 02,2026 7:27 AM