9 માર્ચના મહત્વના સમાચાર: TMC આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની કરી શકે છે જાહેરાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2024 | 11:52 PM

આજે 9 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

9 માર્ચના મહત્વના સમાચાર: TMC આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની કરી શકે છે જાહેરાત

વડાપ્રધાન મોદી અસમના પ્રવાસ પર છે. વડપ્રધાન શનિવારે બરોની-ગુવાહાટી પ્રાકૃતિક ગેસ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે. મહારાષ્ટ્ર મહાયુતિના નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. સીટ શેયરિંગને લઈ ભાજપ હાઈકમાન્ડની સાથે વાતચીત ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પછાત વર્ગો માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાઓ વિશે બિહારમાં યોજાનારા એક સંમેલનમાં ભાગ લેશે. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ઈડી અધિકારીઓ સાથે મારપીઠના કેસમાં સીબીઆઈની કસ્ટડી મળ્યા બાદ શાહજહાં શેખ 10 માર્ચ સુધી સીબીઆઈ કસ્ટડીમાં છે. દેશ-દુનિયાના તમામ મહત્વના સમાચાર વાંચો અહીં.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Mar 2024 11:52 PM (IST)

    TMC આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની કરી શકે છે જાહેરાત

    તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી રવિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક મેગા રેલીમાંથી લોકસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા છે.

  • 09 Mar 2024 11:21 PM (IST)

    ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિજકોવાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો

    71મી મિસ વર્લ્ડના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિજકોવાએ આ વર્ષે સ્પર્ધા જીતી છે. આ સ્પર્ધામાં 120 દેશોના પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ક્રિસ્ટિના પિજકોવાને તાજ પહેરાવવામાં આવ્યો હતો. સિની શેટ્ટી આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી, પરંતુ તે ટાઈટલ જીતી શકી ન હતી.

    View this post on Instagram

    A post shared by Miss World (@missworld)

  • 09 Mar 2024 10:56 PM (IST)

    બારામતીથી ઉમેદવાર હશે સુપ્રિયા સુલે, શરદ પવારે કરી જાહેરાત

    NCP પ્રમુખ શરદચંદ્ર પવારે સુપ્રિયા સુલેને બારામતીથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ જાહેરાત શરદ પવારે પુણેના ભોર વિસ્તારમાં MVAની બેઠકમાં કરી હતી.

  • 09 Mar 2024 10:19 PM (IST)

    એક્ટ્રેસ શહનાઝ ગિલના પિતા પાસે ખંડણીની માંગણી, મળી જાનથી મારી નાખવાની ધમકી

    બોલિવૂડ એક્ટ્રેસ અને બિગ બોસ ફેમસ શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ ઉર્ફે સુખ પ્રધાનને વિદેશી નંબર પરથી ખંડણીની ધમકી મળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેની પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી, જે નહીં આપવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

  • 09 Mar 2024 09:59 PM (IST)

    પંજાબ પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે એન્કાઉન્ટર, 3 ગુનેગારોને પગમાં ગોળી વાગી

    મોહાલીમાં પંજાબ પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં 3 ગુનેગારોને પગમાં ગોળી વાગી હતી. તમામ ગુંડાઓ હરિયાણાના રહેવાસી છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ થોડા દિવસો પહેલા દેરાબસીમાં ગોળીબાર કર્યો હતો જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ એન્કાઉન્ટરની આગેવાની મોહાલી સ્પેશિયલ સેલના ડીએસપી ગુરશેર સિંહ સંધુએ કરી હતી.

  • 09 Mar 2024 09:24 PM (IST)

    ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપ્યું

    આગામી લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિએ અરુણ ગોયલનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.

  • 09 Mar 2024 08:59 PM (IST)

    ગુજરાત કોર ગ્રુપની બેઠક, ગૃહમંત્રી અમિત શાહ પણ ટૂંક સમયમાં પહોંચશે

    ગુજરાતની 11 બેઠકો માટે બાકી રહેલા લોકસભા ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે ગુજરાત કોર ગ્રુપની બેઠક યોજાઈ રહી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બેઠક માટે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા છે. ટૂંક સમયમાં જ આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે.

  • 09 Mar 2024 08:21 PM (IST)

    વારાણસીમાં PM મોદી કરી રહ્યા છે મેગા રોડ શો, વિશ્વનાથ ધામમાં કરશે પૂજા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. આ પહેલા તેમણે આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી અને ત્યાંથી તેઓ સીધા તેમના સંસદીય ક્ષેત્ર પહોંચ્યા હતા. બે દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી શિલાન્યાસ કરશે અને અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે.

  • 09 Mar 2024 08:00 PM (IST)

    Tv9 સત્તા સંમેલનમાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાના મુદ્દા પર ગૃહ પ્રધાને કરી મહત્વની વાત

    આ સાથે ગુજરાતમાં ગુનાઓ સાથે સંડોવાયેલા લોકો અંગે તેમણે જણાવ્યું કે, આવા ગુનેનગરોને છોડવામાં નહીં આવે. આ સાથે બુલડોઝર અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, હાલમાં જે બુલડોઝર ફેરવવામાં આવે છે તે સરકારી જગ્યા પર ફેરવવામાં આવે છે. આ સાથે તેમણે જામનગરના આરોપીની વાત કરી હતી. જેમાં સોપારી ખોર વિરુદ્ધ કાર્યવાહી કરી જગ્યા ખુલ્લી કારવાઈ જેનો લાભ જામનગરના લોકોને થવાનો છે.

    Tv9 ના મધ્યમથી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નાગરિકોની આસ્થાનું સમ્માન અમે કરીએ છીએ પરંતુ આસ્થાના નામે સરકારી જમીન પર બાંધકામ નહીં કરવા અંગે ગૃહ મંત્રીએ જણાવ્યું. અને વિનંતી કરી કે, આ રીતે કોઈ પણ નાગરિક બાંધકામ ના કરે. અમે કોઈ પણ જગ્યાએ બુલડોઝર ફેરવવા નથી માગતા.

  • 09 Mar 2024 07:30 PM (IST)

    મોદી સરકારની Google, Facebookને ફટકાર

    મોદી સરકારના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ અને ફેસબુકની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંઈપણ પોસ્ટ કરવાનું શક્ય બનશે નહીં. મેટા, ગૂગલ, એમેઝોન અને માઈક્રોસોફ્ટને સંબોધતા મંત્રીએ કહ્યું કે તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ તેમની જવાબદારી નિભાવવી પડશે. તેઓએ જોવું પડશે કે તેમના પ્લેટફોર્મ પર શું પોસ્ટ થઈ રહ્યું છે અને શું નથી.

    સરકારે કહ્યું કે સોશિયલ મીડિયા પર ફરતા ફેક ન્યૂઝ અને ડીપ ફેક્સ પર ઝીરો ટોલરન્સ લાગુ કરવામાં આવશે. તેમજ AI મોડલ બનાવવા માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. તમને જણાવી દઈએ કે લગભગ 2 અઠવાડિયા પહેલા ગૂગલના જેમિની AI ટૂલે પીએમ નરેન્દ્ર મોદી વિશે ખોટા સમાચાર પ્રકાશિત કર્યા હતા.
  • 09 Mar 2024 07:05 PM (IST)

    મહિલાઓના હક, રાજકારણમાં પ્રવેશ અંગે Tv9 સત્તા સંમેલનમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ કહી મહત્વની વાત

    રિવાબાને મોદીકા પરિવાર અંગે સવાલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, પરિવારના ડેફિનેશન પર ચર્ચા કરી હતી. રિવાબા એ કહ્યું કે, જ્યારે pm મોદીએ ઘર છોડ્યું ત્યારથી તેમણે તમામ નાના વર્ગની સાથે સમય વિતાવ્યો છે. ત્યારે અમે કેમ એમનો પરિવાર ના બનીએ. તેમણે સમાજના દરેક વર્ગને સાથે રાખીને વિકાસ કરવા કામ કર્યું છે.

    મહિલાઓ અંગે સરકારે કરેલ કામો અંગે રિવાબાએ જણાવ્યું હતું કે, બાળકો માટે 1 રૂપિયામાં સેનેટરી નેપકિન થી લઈ વિવિધ સેવાઓ માટે મહિલાઓ માટે મોદી સરકારે આપી છે. એટલે મહિલાઓ માટે એક કરતાં વધુ કામો તેમની સુરક્ષા હોય, તેમની તકો હોય કે કઈ પણ, મહિલાઓ માટે અનેક કામો સરકારે કર્યા હોવાની વાત તેમણે કરી છે.

    સત્તા સંમેલનમાં રિવાબે કહ્યું કે, કોઈ પણ સફળ મહિલાઓ પાછળ તેના પરિવાર, તેનું બેક ગ્રાઉન્ડ સહિત અનેક વાતો મહત્વની બની જાય છે. ત્યારે રિવાબાએ જણાવ્યું હતું કે, કોઈ પણ ક્ષેત્રમાં મહિલા આગળ વધે તો તેને અનેક અડચણો આવે છે. ત્યારે આ માટે મહિલા કેટલી સશક્ત છે તાકતવર છે તેના પર નિર્ભર કરે છે તેવું તેમણે જણાવ્યું.

  • 09 Mar 2024 05:55 PM (IST)

    ભારત-ચીન બોર્ડર પર તૈનાત થશે પિનાકા રોકેટ લોન્ચર

    ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુમાં સતત બાંધકામ કરી રહ્યું છે. જેના કારણે ભારત પણ પોતાના તરફથી કોઈ કમી રાખવા માંગતું નથી. ભારતીય સેના સતત LACની આસપાસ પોતાની સ્થિતિ મજબૂત કરવામાં વ્યસ્ત છે. જેના માટે ભારતીય સેના પિનાકા લોન્ચ રોકેટ સિસ્ટમની બે રેજિમેન્ટ તૈનાત કરવા જઈ રહી છે. સરકારે ભારતીય સેના માટે પિનાકા રોકેટની છ રેજિમેન્ટને પણ મંજૂરી આપી છે.

  • 09 Mar 2024 05:26 PM (IST)

    Tv9 ગુજરાતીના સત્તા સંમેલનમાં હાર્દિક પટેલનું મોટું નિવેદન

    આ સાથે હાર્દિક પટેલને ભાજપમાં કોંગ્રેસ જેવુ જ લાગે છે તેવા નિવેદનને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના અનેક લોકો ભાજપમાં જોડાયા છે. કારણ કે કોંગ્રેસ રાષ્ટ્ર વિરોધી વાત કરે છે. ન્યાય યાત્રા કાઢી જાતિવાદ જેવી જ વાતો રાહુલ ગાંધી કરે છે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું. CM ચહેરો પાટીદાર હોવા અંગે હાર્દિક પટેલને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે હાર્દિક પટેલે જવાબ આપ્યો કે, મે આજ સુધી આવું નિવેદન આપ્યું નથી કે CM ચેહરો પાટીદાર હોવો જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ જોશીએ જણાવ્યું કે, 400 પાર આ વખતે 400 પાર નહીં હોય. કારણ કે, આ બધું ગઠબંધન છે.

  • 09 Mar 2024 04:58 PM (IST)

    રૂપાલાએ મણિયા પરિવાર-વિજય રૂપાણી સાથે કરી મુલાકાત

    રાજકોટના જનસંઘ અને ભાજપના પીઢ અગ્રણી,ભાજપના પાયાના પથ્થર એવા સ્વ.અરવિંદભાઇ મણિયાર પરિવાર સાથે પરસોતમ રૂપાલાએ મુલાકાત કરી હતી.રૂપાલાએ આજે સ્વ.અરવિંદભાઇ રૈયાણીના નિવાસસ્થાને પહોંચીને પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને ચૂંટણી માટે આર્શિવાદ લીધા હતા. રાજકોટમાં મણિયાર પરિવાર જનસંઘના પાયાના પથ્થર સમાન છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં પણ મણિયાર પરિવારનો ઘરોબો રહેલો છે. જેના કારણે જ મણિયાર પરિવાર સાથે રૂપાલાએ મુલાકાત કરીને જૂના સંસ્મરણો વાગોળ્યા હતા.પરષોતમ રુપાલા આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેના નિવાસસ્થાને મળ્યા હતા. રૂપાલા રાજકોટ ખાતેના નિવાસસ્થાને વિજય રૂપાણી સાથે મુલાકાત કરીને લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરી હતી.

  • 09 Mar 2024 04:58 PM (IST)

    લોકસભા ચૂંટણી મોડમાં પરષોતમ રૂપાલા, રાજકોટ જનસંઘ ભાજપના નેતાઓ સાથે કરી મુલાકાત

    રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પરષોતમ રૂપાલાનું નામ જાહેર થયું છે. પરષોતમ રૂપાલા હાલમાં કેન્દ્ર સરકારના મંત્રી છે અને કડવા પાટીદાર અગ્રણી છે. રૂપાલાનું મૂળ વતન તો અમરેલી છે પરંતુ ભાજપે સિનિયર આગેવાનને ભાજપ માટે મજબૂત ગણાતી રાજકોટ લોકસભા સીટ પર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે રૂપાલા પણ ચૂંટણી મોડમાં આવી ગયા છે આજે રૂપાલાએ રાજકોટમાં જનસંઘ અને ભાજપના પીઢ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.લોકસભાની ચૂંટણી પહેલા પરષોતમ રૂપાલા તમામ પીઢ નેતાઓ અને તેના પરિવારોને મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં કોઇ જુથવાદ ન રહે અને બધા એક બનીને સાથે રહે તેવા પ્રયત્નો કરતા રૂપાલા જોવા મળી રહ્યા છે.

  • 09 Mar 2024 04:48 PM (IST)

    400 પારને લઈ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે TV9 સાથે કરી ખાસ વાત

    સત્તા સમેલનાના પહેલા સેશનમાં લોકસભા ચૂંટણી 2024 માટે કેન્દ્રીય પ્રધાન અને ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પહોંચ્યા હતા. તેમણે સૌથી પહેલી વાત મોદીની ગેરંટીને લઈ કરી હતી. તેમણે કહ્યું કે સરકારે કરેલા કામો પર મોદી સરકારને લોકો વોટ આપશે.

  • 09 Mar 2024 04:48 PM (IST)

    ફરી મોદી સરકાર બનાવો, દેશમાં કોઈને ગરીબ નહીં રહેવા દઈએઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

    છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કિસાન મહાકુંભને સંબોધિત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 25 કરોડ લોકો ગરીબીના સંકટમાંથી બહાર આવ્યા છે. આ હું નહીં પરંતુ નીતિ આયોગ કહી રહ્યો છું. આ વખતે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવો, અમે ભારતમાં એક પણ ગરીબ રહેવા દઈશું નહીં.

  • 09 Mar 2024 03:34 PM (IST)

    કોંગ્રેસ રાહુલ ગાંધીને પીએમ બનાવવા માંગે છે અને લાલુ યાદવ તેમના પુત્રને સીએમ બનાવવા માંગે છેઃ અમિત શાહ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારની રાજધાની પટના પહોંચી ગયા છે. જ્યાં તેમણે બેકવર્ડ-એક્સ્ટ્રીમ બેકવર્ડ મહાસંમેલનને સંબોધતા કહ્યું કે પાટલીપુત્રની ભૂમિ ચંદ્રગુપ્ત અને ચાણક્યની ભૂમિ છે. હું કર્પૂરી ઠાકુરને વંદન કરું છું. બિહારના લોકો વતી હું જનનાયક કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવા બદલ મોદીજીનો આભાર માનું છું. સોનિયા ગાંધી તેમના પુત્રને પીએમ બનાવવા માંગે છે અને લાલુ તેમના પુત્રને સીએમ બનાવવા માંગે છે. આ તેમનો ઉદ્દેશ્ય છે.

  • 09 Mar 2024 03:02 PM (IST)

    ભાજપના ધારાસભ્યએ કેજરીવાલની સરખામણી રાવણ સાથે કરી, કહ્યું- ઘમંડ તુટશે

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ભગવાન રામના ઘરે ED, CBI મોકલવાના નિવેદન પર BJP MLAએ વળતો પ્રહાર કર્યો છે. ભાજપના ધારાસભ્ય અભય વર્માએ કેજરીવાલની સરખામણી રાવણ સાથે કરી છે. તેણે કહ્યું કે રાવણનું અભિમાન તૂટી જશે અને તેનો નાશ થશે.

  • 09 Mar 2024 02:33 PM (IST)

    ભારતે ઈંગ્લેન્ડને હરાવીને બદલ્યો 112 વર્ષનો ઈતિહાસ, 4-1થી જીતી સીરીઝ

    હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. ત્યારે એવું લાગી રહ્યું હતું કે ઈંગ્લેન્ડની ટીમ ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે. બીજી મેચમાં પણ કંઈક આવું જ બન્યું હતું પરંતુ ભારતે આ મેચ જીતી લીધી હતી. આ પછી ઈંગ્લેન્ડની ટીમ ભારતને તે પ્રકારની સ્પર્ધા ન આપી શકી જેનું અપેક્ષિત હતું.

  • 09 Mar 2024 02:16 PM (IST)

    ભાજપે PDA પરિવારો સાથે દગો કર્યો – અખિલેશ યાદવ

    ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ નર્વસ થશે કારણ કે તેણે પીડીએ (પછાત, દલિત અને લઘુમતી)ના અધિકારો છીનવી લીધા છે. વાઈસ ચાન્સેલરોની નિમણૂંક થઈ છે, પરંતુ તેમની વચ્ચે કેટલા પીડીએ છે? એવા ઘણા જિલ્લાઓ છે જ્યાં પીડીએમાંથી કોઈ વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર નથી. તેણે પીડીએ પરિવારોને દગો આપ્યો છે.

  • 09 Mar 2024 01:24 PM (IST)

    કાન ખોલીને સાંભળી લો, અરુણાચલનો દરેક વ્યક્તિ મોદીનો પરિવાર.. વિપક્ષને પીએમનો જવાબ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 9 માર્ચે પૂર્વોત્તરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે 55,600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જેમાં મહત્વપૂર્ણ સેલા ટનલનો પણ સમાવેશ થાય છે. PM એ ઇટાનગરમાં એક કાર્યક્રમ દરમિયાન મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું.

  • 09 Mar 2024 12:57 PM (IST)

    ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ સાથે અમિત શાહની બેઠક પૂરી થઈ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ સાથે બેઠક ચાલી રહી હતી, જે પૂરી થઈ ગઈ છે. ચંદ્રાબાબુ નાયડુ એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે અને ઈશારા દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.

  • 09 Mar 2024 12:57 PM (IST)

    PM મોદીએ સેલા ટનલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- પૂર્વોત્તર માટે અમારું વિઝન અષ્ટલક્ષ્મી છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું છે કે ભારત વિકસિત રાજ્ય બનવાની રાષ્ટ્રીય ઉજવણી સમગ્ર દેશમાં ઝડપથી ચાલી રહી છે. આજે મને વિકસિત ઉત્તર-પૂર્વની આ ઉજવણીમાં ઉત્તર-પૂર્વના તમામ રાજ્યો સાથે મળીને ભાગ લેવાની તક મળી છે. ઉત્તર-પૂર્વના વિકાસ માટે અમારું વિઝન અષ્ટલક્ષ્મી રહ્યું છે. આપણું ઉત્તર પૂર્વ દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા સાથે ભારતના વેપાર, પ્રવાસન અને અન્ય સંબંધોમાં મજબૂત કડી બનવા જઈ રહ્યું છે.

  • 09 Mar 2024 11:13 AM (IST)

    ભોપાલના મંત્રાલય ભવનમાં લાગી ભીષણ આગ, ઘણા જરૂરી દસ્તાવેજ સળગીને રાખ થયા

    ભોપાલના મંત્રાલય ભવનમાં ભીષણ આગ લાગી છે. આગ ચોથા માળે લાગી હતી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આગની માહિતી મળતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઝડપથી બિલ્ડિંગમાંથી બહાર આવી ગયા. આગની માહિતી મળતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

  • 09 Mar 2024 10:07 AM (IST)

    એલ્વિશ યાદવ વિરુદ્ધ ગુરુગ્રામમાં નોંધાયો કેસ, યુટ્યુબરને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી

    યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ ગુરુગ્રામના સેક્ટર 53 પોલીસ સ્ટેશનમાં હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કેટલાક લોકો સાથે એક છોકરાને મારતો જોવા મળી રહ્યો છે. એલ્વિશ યાદવ વિરુદ્ધ આઈપીસીની કલમ 147, 149, 323, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, યુટ્યુબર મેક્સટર્ન (સાગર ઠાકુર) એ એલ્વિશ પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તે એમ પણ કહે છે કે તે એકલો હતો અને એલ્વિશ ઘણા બધા લોકો સાથે આવ્યો હતો.

  • 09 Mar 2024 09:54 AM (IST)

    છોટા ઉદેપુર: કોંગ્રેસ-AAP ગઠબંધન બાદ બંને પાર્ટીના કાર્યકરો જોડાયા, બોડેલી માં AAP કાર્યકરો રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા

    1. છોટા ઉદેપુર: કોંગ્રેસ-AAP ગઠબંધન બાદ બંને પાર્ટીના કાર્યકરો જોડાયા
    2. બોડેલી માં AAP કાર્યકરો રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા
    3. વિધાનસભા ચૂંટણીના મનદુઃખ ને ભુલી બંને પાર્ટીના કાર્યકરો એકસાથે
    4. આજે નેત્રંગમાં AAP ઉમેદવાર ચૈતર વસાવા પણ રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કરશે
    5. સામાન્ય સંજોગોમાં ગઠબંધનમાં નેતાઓ જોડાતા હોય છે પરંતુ કાર્યકરોમાં મનદુઃખ રહેતું હોય છે
  • 09 Mar 2024 09:30 AM (IST)

    સુરત: મનપાના સેનેટરી ઇન્સ્પેકટર પર દુષ્કર્મ આચરવાના આરોપ બાદ ધરપકડ

    મહાનગરપાલિકા તેના એક અધિકારી પાર થયેલા ચોંકાવનારા આક્ષેપોના કારણે વિવાદમાં સપડાઈ છે. એક પરિણીતા પર સેનેટરી ઇન્સ્પેકટરે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મુકાયો છે તો મામલાની ગંભીરતા પારખી સુરત પોલીસે આ અધિકારીની ધરપકડ પણ કરી લીધી છે. સૂત્રો અનુસાર અધિકારીના ઘરે સત્સંગ કરવા આવેલી પરિણીતા પર સેનેટરી ઇન્સ્પેકટરે દુષ્કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ થયો છે. મનપાના આધેડ સેનેટરી ઇન્સ્પેકટરે મહિલાના વાંધાજનક ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું તેવો  આરોપ મુકવામાં આવ્યો છે. સુરતની સલાબતપુરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ મામલામાં પોલીસે આરોપી ભીખુ અંજારાની ધરપકડ પણ કરી લીધી છે.

  • 09 Mar 2024 08:16 AM (IST)

    PM મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં કરી હાથીની સવારી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. PMએ અહીં હાથીની સવારી પણ કરી હતી.

  • 09 Mar 2024 08:03 AM (IST)

    ચૂંટણી પહેલા LPG Gas Cylinderના ભાવ 30 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા

    આજથી એટલે કે શનિવાર તારીખ 9 માર્ચ 2024થી દેશભરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ બીજી વખત ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે 6 મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ 3 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. મતલબ કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત છેલ્લા 3 વર્ષમાં સૌથી નીચી થઈ ગઈ છે. છેલ્લી વખત ગેસ સિલિન્ડરની કિંમત 900 રૂપિયાથી ઓછી હતી તે 30 મહિના પહેલા ઓક્ટોબર 2021માં જોવા મળી હતી.

  • 09 Mar 2024 07:29 AM (IST)

    પીએમ મોદી આજે કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લેશે

    વડાપ્રધાન મોદી આજે આસામના પ્રવાસે છે. તે હવેથી ટૂંક સમયમાં કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લેશે.

  • 09 Mar 2024 06:49 AM (IST)

    મોરબીમાં નિર્માણાધીન મેડિકલ કોલેજની બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી, 4 ઘાયલ

    મોરબીમાં નવનિર્મિત મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડ્યો. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. રેસ્ક્યુ ટીમે તેને બહાર કાઢ્યો હતો. આ અંગે માહિતી આપતા ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાત્રે 8 વાગ્યે અમને જાણકારી મળી હતી કે નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ પડ્યો છે અને તેમાં કેટલાક લોકો ફસાયા છે. તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. 4 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

  • 09 Mar 2024 06:39 AM (IST)

    PM મોદી આજે આસામમાં બરૌની-ગુવાહાટી ગેસ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામમાં બરૌની-ગુવાહાટી નેચરલ ગેસ પાઈપલાઈન (BGPL)નું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર-પૂર્વ વિસ્તારને રાષ્ટ્રીય ગેસ ગ્રીડ સાથે જોડવાનું કામ કરશે. આ પાઈપલાઈન બિછાવી રહેલી કંપની ગેઈલ (ઈન્ડિયા) લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એકે ત્રિપાઠીએ શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે આ પાઈપલાઈન સ્વચ્છ ઉર્જાનો વિશ્વસનીય સ્ત્રોત પૂરો પાડશે, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે અને પ્રદેશના લોકોનું એકંદર કલ્યાણ વધારશે.

Published On - Mar 09,2024 6:39 AM

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">