23 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર: અમદાવાદથી ડાકોર તરફ જઈ રહેલી ખાનગી બસ પલટી
આજે 23 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

વડાપ્રધાન મોદી આજે વારાણસી પહોંચ્યા છે. જ્યાં તેઓ વિશાળ જનસભાને સંબોધિત કરશે. પાણી બિલ સાથે જોડાયેલા ‘સેટલમેન્ટ સ્કીમ’ના મુદ્દા પર AAP 25 ફેબ્રુઆરીએ જંતર-મંતર પર ભાજપ સામે પ્રદર્શન કરશે. બંગાળ ઈડીએ ટીએમસી નેતા શાહજહાંને ત્રીજુ સમન મોકલ્યુ. દેશ-દુનિયાના દરેક નાના-મોટા સમાચાર વાંચો અહીં
LIVE NEWS & UPDATES
-
અમદાવાદમાં બંગલો ભાડે રાખી દારૂનો વેપાર
અમદાવાદ જિલ્લાના મણીપુરમાં લક્ઝુરીયસ બંગલો ભાડે રાખી હોલસેલમાં દારૂનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી છે. જિલ્લા એલસીબી પોલીસે દરોડા પાડી 9 લોકોની ધરપકડ કરી છે. તો સાથે જ મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો છે. બુટલેગરો સૌરાષ્ટ્રમાં દારૂ પહોંચાડતા હતા. તો બોપલ, શીલજ સહિતના વિસ્તારમાં હોમ ડિલિવરી પણ કરતા હતા.

-
અમદાવાદથી ડાકોર તરફ જઈ રહેલી ખાનગી બસ પલટી
અમદાવાદ નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર ડાકોર એક્ઝિટ ટોલ બુથ પાસે બસ પલટી જતાં આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને વ્યક્તિ અમદાવાદના રહેવાસી હતા. અમદાવાદના બાપુનગરમાં રેહતા દેવ દેવેન્દ્ર શાહ અને દિનેશ શાહનું અક્સ્માતમાં મોત નિપજ્યું છે
-
-
પ્લાસ્ટિક બોટલ પરના પ્રતિબંધના વિરોધમાં બંધ
જુનાગઢ: પ્લાસ્ટિકની પાણીની બોટલ પરના પ્રતિબંધના વિરોધમાં ગીરનાર પર્વત વિસ્તારની દુકાનોના વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓ બોટલ પરનો પ્રતિબંધ હટાવવાની માગ કરી રહ્યા છે.
-
ઉત્તરાખંડના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા હરક સિંહ રાવતને EDએ પાઠવ્યું સમન્સ
ઉત્તરાખંડના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા હરક સિંહ રાવતની મુશ્કેલીઓ વધી શકે છે. EDએ PMLA હેઠળ રાવતને સમન્સ પાઠવ્યું છે અને તેમને 29 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ PMLA હેઠળ પૂર્વ મંત્રીને વન વિભાગની જમીન પર ગેરકાયદે કબજો અને વૃક્ષો કાપવાના કેસમાં સમન્સ પાઠવ્યું છે. EDએ હરક સિંહ રાવતની પુત્રવધૂને પણ સમન્સ પાઠવ્યા છે. 7 માર્ચે પુત્રવધૂની પૂછપરછ કરવામાં આવશે.
-
મોડલ તાન્યા સિંહ આત્મહત્યા કેસની તપાસ કરનાર પોલીસ મુકાઈ મુંઝવણમાં
મોડેલ તાન્યા સુસાઇડ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસ મુંઝવણમાં મૂકાઈ ગઈ છે, કારણ કે, આત્મ હત્યા કરનાર મોડલ તાન્યા અને આઈપીએલ ક્રિકેટ રમનાર ક્રિકેટર અભિષેક ફેસટાઈમ દ્વારા એકબીજા સાથે વાતચીત કરતા હતા. આ ફેસટાઈમ એ એપલની મોબાઈલ એપ્સ છે. જેના ડેટા મેળવવા મુશ્કેલ છે. સાથોસાથ બન્ને જણાની સ્નેપચેટથી થતી વાતચીતના રેકોર્ડ પણ સામે આવી શકે તેમ નથી, કેમ કે પચેટની ડીટેલ 24 કલાક બાદ આપો આપ ડીલીટ થઇ જાય છે.
-
-
ગાંધીનગર અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ
ગાંધીનગર અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરાયો છે. મેટ્રો રેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. હાલમાં આ રૂટ પર આજથી ટ્રાયલ રન શરૂ કરી દેવાયો છે. આ ટ્રાયલ રન સફળ રહ્યાં બાદ જરૂરી પરવાનગી મેળવીને, મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી લઈને ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે.
-
હિમાચલના કુલ્લુમાં ખાઈમાં પડી સ્કૂલ બસ, પાંચ વિદ્યાર્થીઓ ઘાયલ
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ઉજ્જડ વિસ્તારમાં શુક્રવારે સવારે એક સ્કૂલ બસ પાર્ક કરેલી કાર સાથે અથડાઈને ખાઈમાં પડી ગઈ હતી. આ ઘટનામાં પાંચ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે દીક્ષા અને યુવલ નામના બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને કુલ્લુની પ્રાદેશિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ બંજરમાં સારવાર હેઠળ છે. અધિકારીઓએ જણાવ્યું કે મિનર્વા પબ્લિક સ્કૂલની બસ ગિયાગીથી બંજર જઈ રહી હતી.
-
હિમાચલના જબાલીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બંબર ઠાકુર પર હુમલો
કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય બંબર ઠાકુર સાથેની દલીલ બાદ જબલીમાં કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ કેસમાં પોલીસે કેટલાક શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે. તમને જણાવી દઈએ કે, જબાલીમાં રેલવે લાઇન નિર્માણ કાર્યાલયમાં ગયેલા ઠાકુર પર કેટલાક લોકો સાથેની દલીલ બાદ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. કોંગ્રેસ નેતાના સમર્થકોએ ઘટનાને લઈને વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ઠાકુરને સારવાર માટે બિલાસપુરની હોસ્પિટલમાં લઈ ગયા.
-
યુપીમાં વિધાન પરિષદની 13 બેઠકો માટે 21 માર્ચે મતદાન થશે.
ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદની ખાલી પડેલી 13 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. વિધાન પરિષદની તમામ 13 બેઠકો પર 21 માર્ચે મતદાન થશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
-
ED, IT, CBIનો દુરુપયોગ કરીને PM દાન માંગવાનો બિઝનેસ કરી રહ્યા છે – રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલે ટ્વિટ કરીને લખ્યું, શું તમે વડાપ્રધાનની ‘ચાંદા દો, જામીન અને બિઝનેસ લો’ યોજના વિશે ખબર છે? દેશમાં વડાપ્રધાન રિકવરી ભાઈની જેમ ઈડી, આઈટી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને ડોનેશનનો ધંધો કરી રહ્યા છે.
-
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટો ફટકો, ઝારખંડ હાઈકોર્ટે અરજી ફગાવી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને શુક્રવારે મોટો આંચકો લાગ્યો છે. બદનક્ષીના કેસમાં તેમની અરજી ઝારખંડ હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ મામલો ગૃહમંત્રી અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણી કરવા સંબંધિત છે. નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સ સામે રાહુલ ગાંધી હાઈકોર્ટ પહોંચ્યા હતા. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. અરજી પર ચુકાદો આપતાં કોર્ટે તેને ફગાવી દીધી હતી.
-
દિલ્હી એલજીએ કેજરીવાલને CAG રિપોર્ટ રજૂ કરવા લખ્યો પત્ર
દિલ્હી એલજી વી.કે. સક્સેનાએ સીએમ અરવિંદ કેજરીવાલને પત્ર લખીને દિલ્હી વિધાનસભામાં દિલ્હી સરકારના નાણાં સંબંધિત પાંચ CAG રિપોર્ટ રજૂ કરવા વિનંતી કરી છે.
-
મની લોન્ડરિંગ કેસમાં EDએ SP નેતા વિનય શંકર તિવારીના ઘર પર પાડ્યા દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા વિનય શંકર તિવારીના ઘર સહિત ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. સૂત્રોના હવાલાથી આ માહિતી બહાર આવી છે.
-
કાશી નવા ભારતની ઓળખ બનશે, મહાદેવ થશે ખૂબ જ ખુશ – PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં સંસદ સંસ્કૃત સ્પર્ધાના વિજેતાઓને ઈનામોનું વિતરણ કર્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કાશી તમામ જ્ઞાનની રાજધાની છે. આજે કાશીની તાકાત અને સ્વરૂપ ફરી સુધરી રહ્યું છે. કાશીમાં આવું કરનાર એક માત્ર મહાદેવ છે. જ્યાં જ્યાં મહાદેવના આશીર્વાદ હોય ત્યાં ધરતી સમૃદ્ધ બને છે. આ સમયે મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે.
-
કાશીનું રૂપ ફરી સુધરી રહ્યું છે, મહાદેવ ખૂબ જ ખુશ – PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં MP સંસ્કૃત સ્પર્ધાના વિજેતાઓને ઈનામોનું વિતરણ કર્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કાશી તમામ જ્ઞાનની રાજધાની છે. આજે કાશીની તાકાત અને સ્વરૂપ ફરી સુધરી રહ્યું છે. કાશીમાં આવું કરનાર એક માત્ર મહાદેવ છે. જ્યાં જ્યાં મહાદેવના આશીર્વાદ હોય ત્યાં ધરતી સમૃદ્ધ બને છે. આ સમયે મહાદેવ ખૂબ પ્રસન્ન છે.
-
પીએમ મોદીએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ મનોહર જોશીજીના નિધનથી દુખી છે. તેઓ એક અનુભવી નેતા હતા જેમણે જાહેર સેવામાં વર્ષો ગાળ્યા હતા અને મ્યુનિસિપલ, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે તેમણે રાજ્યની પ્રગતિ માટે અથાક મહેનત કરી હતી. તેમણે કેન્દ્રીય મંત્રી તરીકે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. લોકસભાના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે આપણી સંસદીય પ્રક્રિયાઓને વધુ ગતિશીલ અને સહભાગી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. મનોહર જોશીજીને ધારાસભ્ય તરીકેની તેમની સખત મહેનત માટે પણ યાદ કરવામાં આવશે, તેમને ચારેય વિધાનસભામાં સેવા આપવાનું સન્માન મળ્યું હતું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના.
-
દરિયાઇ પટ્ટી પર ગીર સોમનાથ પોલીસનું મેગા ઓપરેશન, 50 કિલો હેરોઇનના જથ્થા સાથે 9 શખ્સોની કરાઇ ધરપકડ
- ગીર સોમનાથ-વેરાવળ દરિયાઇ પટ્ટી પર ગીર સોમનાથ પોલીસનું મેગા ઓપરેશન
- વેરાવળ દરિયાઇ પટ્ટી પરથી કરોડો રૂપિયાનું હેરોઇન પકડી પાડ્યું
- 50 કિલો હેરોઇનના જથ્થા સાથે 9 શખ્સોની કરાઇ ધરપકડ
- 1 સેટેલાઇટ ફોન,2 બોટ અને 1 વાહન જપ્ત કરાયું.
- વેરાવળ દરિયાઇ માર્ગથી ડિલેવરી થાય તે પહેલા પોલીસે કરી કાર્યવાહી
- ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ ઓપરેશન પાર પાડ્યું
- હેરોઇનનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને ડિલેવરી આપવાની હતી તે દિશામાં પોલીસની તપાસ.
-
વડોદરા: ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે નોંધાઈ FIR, માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચિટિંગ અને ધમકીનો ગુનો નોંધાયો
- વડોદરા: ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે નોંધાઈ FIR
- કોર્ટના આદેશ બાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચિટિંગ અને ધમકીનો ગુનો નોંધાયો
- રિવોલ્વર બતાવીને ધમકી આપતા હોવાનો પણ કોર્પોરેટર કલ્પેશ પટેલ પર આરોપ
- માંજલપુરની વૈષ્ણોદેવી સોસાયટીની કોમર્શિયલ પ્રોપર્ટી બેંકમાં ગિરવે મૂકેલી હોવા છતાં ટાઈટલ ક્લિયર હોવાનું જણાવી 1 કરોડ પડાવી લેવાનો છે આરોપ
- બિઝનેસમેન પ્રાણનાથ શેટ્ટીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
-
કાણોદરમાં બે સ્થળે ફૂડ વિભાગના દરોડો, 8200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો
બનાસકાંઠા જિલ્લામાં અનાજ અને ખાદ્ય પદાર્થોને લઈ તંત્રએ છેલ્લા કેટલાક દિવસોથી સપાટો બોલાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એકવાર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. કાણોદરમાં આવેલ શ્રીમુલ ડેરી તથા નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં દરોડાની કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. લગભગ 53 લાખ રુપિયાની કિંમતના 8,200 કિલો ઘીના શંકાસ્પદ જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે.
-
ખેડૂતો આજે કાળો દિવસ મનાવશે અને ટ્રેક્ટર માર્ચ કાઢશે
સંયૂક્ત કિસાન મોર્ચાએ પંજાબ-હરિયાણા સરહદ પર એક પ્રદર્શનકારી ખેડૂતના મોતને લઈ પ્રાથમિક ફરિયાદ દાખલ કરવાની માગ કરી અને કહ્યું કે આ ઘટનાના વિરોધમાં આજે કાળો દિવસ મનાવવાની સાથે જ ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. હરિયાણા પોલીસ અને પંજાબના ખેડૂતોની વચ્ચે બુધવારે થયેલી ઝડપમાં ખેડૂત શુભકરણ સિંહનું મોત થયું હતું.
-
આણંદ: સમરસ હોસ્ટેલ આવી વિવાદમાં, હોસ્ટેલ સંચાલકો સામે ગેરવર્તણૂક, ભોજનમાં ખામી સહિતના વિવિધ આક્ષેપ
- આણંદ: સમરસ હોસ્ટેલ આવી વિવાદમાં
- હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ ગત રાત્રીએ મચાવ્યો હોબાળો
- હોસ્ટેલ સંચાલકો સામે ગેરવર્તણૂક, ભોજનમાં ખામી સહિતના વિવિધ આક્ષેપ
- અનેક ફરિયાદો અને આવેદન પત્ર આપતા પણ કોઈ નિકાલ નહીં
-
PM મોદી આજે બનારસ પ્રવાસે, ઘણા પ્રોજેક્ટ્સની આપશે ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય મતવિસ્તાર પહોંચ્યા છે, જ્યાં તેઓ આજે ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આજે વડાપ્રધાન કાશી હિન્દુ યુનિવર્સિટીના સ્વતંત્ર ભવનમાં સાંસદ જ્ઞાન સ્પર્ધા, સાંસદ ફોટોગ્રાફી સ્પર્ધા અને સાંસદ સંસ્કૃત સ્પર્ધાના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. આ દરમિયાન વડાપ્રધાન પાંચ અગ્રણી પ્રતિભાગીઓને પણ સન્માનિત કરશે.
-
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન મનોહર જોશીનું નિધન, હિન્દુજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થયુ છે. તેમને મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. 21 ફેબ્રુઆરીએ તબિયત બગડ્યા બાદ તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
-
અમેરિકાની ખાનગી કંપનીએ ચંદ્ર પર મુક્યો પગ, નોવા-સી લેન્ડરનું ચંદ્ર પર પ્રથમ લેન્ડિંગ
અમેરિકાની ખાનગી કંપનીએ ચંદ્ર પર મુક્યો પગ, નોવા-સી લેન્ડરનું ચંદ્ર પર પ્રથમ લેન્ડિંગ
#WATCH | American company Intuitive Machines’ Nova-C lander, named Odysseus spacecraft makes the first commercial moon landing.
This landing comes months after India’s Chandrayaan-3 lander, which became the first spacecraft from the country to safely reach the lunar surface… pic.twitter.com/ZuIBV2GP4q
— ANI (@ANI) February 22, 2024
-
મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 12 માર્ચ સુધી વધી
આબકારી નીતિ મામલે મનીષ સિસોદીયાને ન્યાયિક કસ્ટડીનો સમય પૂર્ણ થયા બાદ રાઉજ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, કોર્ટે મનીષ સિસોદીયાની ન્યાયિક કસ્ટડીનો સમય 12 માર્ચ સુધી વધાર્યો છે. આગામી સુનાવણી 12 માર્ચે થશે.
Published On - Feb 23,2024 6:25 AM