GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 3 સપ્ટેમ્બરે કોરોનાના નવા 16 કેસ, 5.25 લાખ લોકોનું રસીકરણ થયું

રાજ્યમાં આજે 3 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 17 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,230 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 3  સપ્ટેમ્બરે કોરોનાના નવા 16 કેસ, 5.25 લાખ લોકોનું રસીકરણ થયું
Gujarat Corona Update 16 new cases of corona, 17 patients recovered in Gujarat on 3 September 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 8:25 PM

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે, તો સાથે એક્ટીવ કેસો પણ ઘટી રહ્યાં છે. કોરોનાથી મૃત્યુ પણ નહીવત થઇ ગયું છે, 6-7 કે 8 દિવસે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થાય છે. તો સામે રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે.

કોરોનાના 16 નવા કેસ, 1 મૃત્યુ રાજ્યમાં આજે 3 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,461 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 થયો છે.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ અને વડોદરામાં 4-4, ભાવનગર જિલ્લામાં 3 અને સુરત મહાનગર અને જિલ્લામાં 2-2 તેમજ મહીસાગર જિલ્લામાં કોરોના વાયસરનો એક નવો કેસ નોંધાયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

17 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 149 થયા રાજ્યમાં આજે 3 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 17 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,230 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 3 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ ઘટીને 149 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર પહોચ્યો છે.

આજે 5.25 લાખ લોકોનું રસીકરણ રાજ્યમાં આજે 3 સપ્ટેમ્બરના રોજ 5,25,818 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18 થી 45 ઉમરવર્ગના 2,62,781 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18 થી 45 ઉમરવર્ગના 1,08,310 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે થયેલા રસીકરણ બાદ કુલ 4 કરોડ 82 લાખ, 68 હજાર અને 514 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

દેશમાં 69 કરોડથી વધુ નાગરિકોનું કરવામાં આવ્યું રસીકરણ દેશમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 67 કરોડ 9 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.છેલ્લાં 24 કલાકમાં 74 લાખ 84 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. આ સમય ગાળામાં કોરોનાના 45 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 34 હજારથી વધુ લોકો સાજા થયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 366 દર્દીઓના મોત થયા છે. સત્તાવાર યાદી જણાવે છે કે, દેશમાં કોરોનાના દર્દીઓ સાજા હવાનો દર હવે 97.45 ટકા થયો છે.

આ પણ વાંચો : GANDHINAGAR : ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, માનસિક બીમાર લોકોને સ્થળ પર જઈને કોરોના રસી અપાશે

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">