AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી 160 ખરીદ કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીનની કરાશે ખરીદી

ગુજરાત સરકારે અગાઉ કરેલ જાહેરાત અનુસાર, ખેડૂતો પાસેથી રૂપિયા 7645 કરોડની કુલ 11,27,000 મે ટન મગફળીની ખરીદી કરવામાં આવશે. જ્યારે રૂપિયા 451 કરોડના મૂલ્યની 92,000 મે ટન સોયાબીનની ખરીદી કરવામાં આવશે.

આજથી 160 ખરીદ કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીનની કરાશે ખરીદી
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2024 | 8:35 AM
Share

ગુજરાત સરકારે, ખેડૂતોને તેમના કૃષિપાકને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આજથી વિવિધ તાલુકાઓમાં આવેલ 160 ખરીદ કેન્દ્ર દ્વારા ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી કરશે. ગુજરાત સરકારે મગફળી માટે પ્રતિ મણના રૂ. 1356.60 નો ભાવ નિર્ધાર કર્યો છે. જ્યારે પ્રતિ મણ મગ માટે રૂ. 1736.40, પ્રતિમણ સોયાબીન માટે રૂ. 978.40 અને પ્રતિ મણ અડદ માટે રૂ. 1480નો ભાવ નક્કી કર્યો છે.

ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કૃષિ પાક ખરીદવા માટેનો રાજ્યસ્તરનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. જે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકણોલ ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, રાજ્યકક્ષાના કૃષિ પ્રધાન બચુભાઈ ખાબડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સરકાર દ્વારા આજે 11 નવેમ્બરથી લઈને 8 ફેબ્રુઆરી 2025 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે.

ગુજરાત સરકારે અગાઉ કરેલ જાહેરાત અનુસાર, ખેડૂતો પાસેથી રૂપિયા 7645 કરોડની કુલ 11,27,000 મે ટન મગફળીની ખરીદી કરવામાં આવશે. જ્યારે રૂપિયા 451 કરોડના મૂલ્યની 92,000 મે ટન સોયાબીનની ખરીદી કરવામાં આવશે.

ગુજરાત સરકારે ગોઠવેલ ખરીદી માટેની વ્યવસ્થાનો લાભ લેવા માટે 3 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જે ખેડૂત તેમનો પાક ટેકાના ભાવે વેચવા માંગે છે તેવા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની હતી. જે ગઈકાલ 10 નવેમ્બર સુધીની હતી. જે ખેડૂતે નોંધણી કરાવી હશે તેવા તમામ ખેડૂતો પાસેથી સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરશે. મગફળી પકવતા ખેડૂત પાસેથી એક દિવસમાં એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 200 મણ મગફળીની ખરીદી કરવામા આવશે.

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">