Gujarat સરકારના પાંચ વર્ષની ઉજવણી કાર્યક્રમને અપાયો આખરી ઓપ, 01 ઓગસ્ટ થી 9 ઓગસ્ટ સુધીનો સમગ્ર કાર્યક્રમ જાહેર
જેમાં તારીખ 01 થી 09 ઓગસ્ટ દરમ્યાન વિવિધ જન સેવાના કામોની સમગ્ર વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં 03 ઓગસ્ટના રોજ પીએમ મોદી અને 07 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ અનેક કાર્યક્રમોનું લોકાર્પણ કરશે.
ગુજરાત(Gujarat) સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી માટેના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેમાં તારીખ 01 થી 09 ઓગસ્ટ દરમ્યાન વિવિધ જન સેવાના કામોની સમગ્ર વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં 03 ઓગસ્ટના રોજ પીએમ મોદી(PM Modi) અને 07 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ અનેક કાર્યક્રમોનું લોકાર્પણ કરશે.
- તા.1 ઓગસ્ટે જ્ઞાનશક્તિ દિવસ અન્વયે શિક્ષણના વિકાસકાર્યો- ગુણવત્તા સભર અને અદ્યતન સુવિધા યુકત શિક્ષણના લાભ-સહાય રૂ. ૩૨૩ કરોડ
- તા.2 ઓગસ્ટે સંવેદના દિવસે નાના-ગરીબ-વંચિત લોકો પ્રત્યેની સંવેદના સાથે પ૦૦ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમોમાં લાખો લોકોને સરકારની યોજનાઓના લાભ અપાશે ૪૯૪૧ અનાથ-નિરાધાર બાળકોને રૂ. ૧.૧૮ કરોડની સહાય
- તા. 3 ઓગસ્ટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજ્યના 17 હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ અન્વયે ૪.રપ લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ પ કિલો અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ કરશે.
- તા.4 ઓગસ્ટે રાજ્યના 10 હજાર સખી મંડળોની 1 લાખ બહેનોને રૂ. 100 કરોડ સહાય રાજ્ય સરકાર વગર વ્યાજે આપશે
- તા.5 મી ઓગસ્ટે કિસાન સન્માન દિવસે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ૩૦૨૫ ખેડૂતોને રૂ. 5.18 કરોડનું સહાય વિતરણ 1400 ગામોના 1 લાખ 10 હજાર ખેડૂતોને દિવસે વીજળી કિસાન સૂર્યોદય યોજના અન્વયે અપાશે
- તા.6 મી ઓગસ્ટે કોરોનાના કપરાકાળમાં પણ વિકાસની ગતિ અટકી નથી-રાજ્યના 50 હજારથી વધુ યુવાઓને વિવિધ વિભાગોમાં રોજગારી અંગેના નિમણૂંક પત્રો અપાશે
- તા.7 ઓગસ્ટે વિકાસ દિવસ અન્વયે હિંમતનગરમાં મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે 100 ટકા રસીકરણ થયેલા ગામોના ૧૦૦૦ સરપંચોનું સન્માન-૧૦૦ થી વધુ PSA પ્લાન્ટ લોકાર્પણ-કોરોના વોરિયર્સના સન્માન થશે. તા.૭મી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ‘વતન પ્રેમ’નવતર યોજનાનો પ્રારંભ અને રૂ. ૩૯૦૬ કરોડના મોટા પ્રોજેકટના લોકાર્પણ-ખાતમૂર્હત કરશે
- તા.8 મી ઓગસ્ટે પાંચ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કામો શહેરી વિસ્તારોમાં લોકાર્પણ-શુભારંભ શહેરી જનસુખાકારી દિવસે થશે
- તા.9 મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ૩ આદિજાતિ તાલુકાઓમાં રૂ. 817 કરોડના વિવિધ 186 વિકાસ કામો હાથ ધરાશે.
તા. ૧ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘જ્ઞાન શક્તિ દિવસ’ની અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજ્યની ૧૦૦ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ૫૧ ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ ૧૫૧ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૩૫ કરોડના ખર્ચે ૩૬૫૯ શાળાઓના તૈયાર થયેલા ૧૨ હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
આ પણ વાંચો : IMD Heavy Rain Alert: 1 ઓગસ્ટ સુધીમાં 15 રાજ્યમાં થશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ
આ પણ વાંચો : દીપિકાએ વધાર્યો અતનુનો જોશ, તીરંદાજીના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા અતનુ