ભ્રષ્ટાચારીઓમાં ACBના ફફડાટ વચ્ચે ગાંધીનગરની ટીમને 150 રુપિયા ‘લેતો’ ST ડ્રાઇવર હાથ લાગ્યો!

આમ તો ભ્રષ્ટાચારના મોટા વહિવટો કરનારાઓમાં રાજ્યની ACB એ એક ફફડાટ લાવી દીધો છે. આ દરમિયાન કેટલાક કિસ્સાઓમાં કેટલાક અધિકારીઓ દ્વારા હવે નાના નાની બાબતોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનુ સામે લાવવા માટે પ્રયાસ કરવાનો સરળ રસ્તો અપનાવ્યો છે. આવી જ રીતે ST ડ્રાઇવરને પાર્સલ લઈ જવાની રકમ લેતા તેને લાંચ ગણીને કેસ નોંધ્યો છે.

ભ્રષ્ટાચારીઓમાં ACBના ફફડાટ વચ્ચે ગાંધીનગરની ટીમને 150 રુપિયા 'લેતો' ST ડ્રાઇવર હાથ લાગ્યો!
ST ડ્રાઇવર લાંચ લેતા ઝડપાયો
Follow Us:
| Updated on: Jan 27, 2024 | 10:46 PM

રાજ્યામાં ACB એ ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓમાં ફફડાટનો માહોલ બનાવ્યો છે. ભ્રષ્ટાચાર આચરીને લાખો અને હજારો રુપિયા પડાવતા અધિકારીઓ અને કર્મચારીઓને જેલના સળિયા ગણતા કરાવ્યા છે. આ વચ્ચે કેટલાક ACB અધિકારીઓ સરળ રસ્તાની ટ્રેપ ગોઠવીને નાના ભ્રષ્ટાચાર ઝડપી બતાવવાનો પ્રયાસ કર્યો છે. આવી જ રીતે એક ST ડ્રાઇવરને એસીબીના અધિકારીઓને ઝડપ્યો છે.

ગાંધીનગર એસીબીના અધિકારીઓને એવી માહિતી હતી કે, એસટી બસમાં ડ્રાઇવર સહિતના કર્મચારીઓ દ્વારા પાર્સલને હેરફેર કરવા માટે લાંચની રકમ લેવામાં આવે છે. જે પાર્સલને તેઓએ એક થી બીજા સ્ટેશન પહોંચાડતા હોય છે. જેને લઈ ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સાથે જ એસટીના અધિકારીઓની બસના સંચાલન અને તેની પર નજર રાખવામાં બેદરકારી દાખવી હોવાનું પણ જણાઈ રહ્યુ છે.

માત્ર 150 લેતા ડ્રાઇવર ઝડપાયો

ACB ના ગાંધીનગર પોલીસ મથકના PI ડીએ ચૌધરીને માહિતી મળી હતી કે, ST બસમાં પ્રજાજનોના પાર્સલ અને સામાનને ગાંધીનગર જિલ્લાના દહેગામથી અન્ય ડેપો સુધી પહોંચાડવામાં આવે છે. આ માટે અવેજ પેટે રકમ વસુલવામાં આવે છે, એટલે કે લાંચ લેવામાં આવે છે. આમ દહેગામથી બીજા સ્ટેશન સુધી પાર્સલ બસમાં મોકલવાને લઈ પૈસા લેવામાં આવતા હોવા અંગેની માહિતી હતી.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

આ માહિતીને લઈ એક ડિકોય છટકાંનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં એક ડિકોયરનો સહકાર મેળવીને દહેગામ એસટી ડેપોમાં ડિકોય છટકુ ગોઠવ્યું હતુ. જેમાં એક પાર્સલને દહેગામથી રાજકોટના વિરપુર પહોંચાડવા માટેનું ડ્રાઇવર કનુ મોઘાભાઈ વણકરને વાત કરી હતી. જેઓને 150 રુપિયાની રકમ આપવામાં આવી હતી.

આ માટે હેતુલક્ષી વાતચીત કરીને રકમ મેળવતા લાંચની માંગણી કરી સ્વિકારી હોવાનો એસીબીએ ગુનો નોંધીને ડ્રાઇવરને પકડ્યો હતો. કનુ વણકર મોડાસા ડેપોની મોડાસા સોમનાથ બસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે અને જે શનિવારે બસ લઈને રુટ માટે રવાના થયો હતો. ત્યાંજ એસીબીના છટકામાં ઝડપાયો હતો.

મોટી લાંચ પર પણ નજર!

રાજ્યમાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓને અનેક જિલ્લાઓમાંથી એસીબીની ટીમોએ સફળ ટ્રેપ દ્વારા ઝડપી લીધા છે. જેમાં બેનામી સંપત્તિ એકઠી કર્યાનું પણ ઝડપી લીધું છે. આમ હવે ગાંધીનગર એસીબીની ટીમ પણ આવી જ રીતે મોટી ટ્રેપ કરવાની યાદીમાં ઝડપથી સામેલ થશે કે કેમ એવા પણ સવાલો થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં સ્વચ્છતા માટે નવી પહેલ, વેસ્ટમાંથી ‘બેસ્ટ’ કોલસાનું પ્રોડક્શન શરુ કર્યુ

ગાંધીનગરમાં સ્થાનિક એસીબી દ્વારા મોટી ટ્રેપ કેટલાક સમયથી જોવા નથી મળી રહી, ત્યાં પાર્સલ આપવાની રકમમાં ડ્રાઇવરને ઝડપ્યો છે. પરંતુ મોટા ભ્રષ્ટાચારોથી સ્થાનિક લોકો અને ગાંધીનગરની કચેરીઓના મુલાકાતીઓમાં લોકોમાં પરેશાની વર્તાઈ રહી છે. જે હવે ગાંધીનગર એસીબીની માહિતી નેટવર્કના રડારમાં આવી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">