AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને સેશન્સ કોર્ટે આપી રાહત, જામીન અરજી કરી મંજૂર

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને સેશન્સ કોર્ટે રાહત આપી છે. સેશન્સ કોર્ટે માલિની પટેલની જામીન અરજી મંજૂર કરી છે.

Breaking News : મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને સેશન્સ કોર્ટે આપી રાહત, જામીન અરજી કરી મંજૂર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 5:51 PM
Share

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને સેશન્સ કોર્ટે રાહત આપી છે. અમદાવાદ સેશન્સ કોર્ટે માલિની પટેલની જામીન અરજી મંજૂર કરી છે. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. જે પછી કિરણ પટેલની પત્ની માલિની પટેલની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. અગાઉ 13 એપ્રિલે માલિની પટેલની અરજી નામંજૂર કર્યા બાદ આજે કોર્ટે તેની જામીન અરજી મંજૂર કરી છે.

આ પણ વાંચો-Breaking News : મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને સેશન્સ કોર્ટે આપી રાહત, જામીન અરજી કરી મંજૂર

ગુજરાતી ઠગ કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરના સરકારી અધિકારીઓને PMOના અધિકારી હોવાનુ કહીને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી હતી. જે પછી સતત મહાઠગના કારનામા બહાર આવ્યા હતા. જે પછી તેની પત્નીની પણ કેટલાક કેસમાં સંડોવણી હોવાનું સામે આવ્યુ હતુ.

કિરણ પટેલ અને તેની પત્ની સામે છેતરપિંડીની થઇ છે ફરિયાદ

કિરણ પટેલ અને તેની પત્ની સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. PMOના અધિકારી અને મોટી ઓળખ બતાવીને સિંધુ ભુવન રોડ પર જગદીશ ચાવડાના બંગલાના રિનોવેશનનું કામ 35 લાખમાં હાથ પર લીધું હતુ. જે બાદ બંગલાના માલિકની નેમ પ્લેટ બદલી બંગલો પોતાની બતાવી વાસ્તુ પૂજન કર્યું. જેના ફોટો બતાવી બંગલાની માલિકી લેવા કિરણ પટેલે સિવિલ કોર્ટમાં ખોટો કેસ દાખલ કરાવ્યો. આ મહાઠગે સમાધાન માટે માણસો મોકલીને રૂપિયા પડાવવાનો પણ પ્રયાસ કર્યો. જો કે માલિકે કોઈ પણ વ્યવહાર કરવાની ના પાડી હતી.

બીજી તરફ ઘોડાસરમાં પતિ-પત્ની જે ભાડાના બંગલોમાં રહેતા હતા, તેનું પણ ભાડુ તેમણે પાંચ વર્ષથી ચુકવ્યુ ન હતુ. રાજકીય નેતાઓ સાથે સારી ઓળખાણ હોવાનું કહીને કિરણ પટેલ બંગલામાં રહેવા આવ્યો હતો. જે બાદ બંગલો ખાલી કરવાનું વારંવાર વચન આપ્યું હતુ. પરંતુ કોઈ ને કોઈ બહાના બતાવીને બંગલો ખાલી કરતો ન હતો. ત્યારે આ મકાન માલિક દ્વારા તેમનો બંગલો પચાવી પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મકાન માલિક પણ ક્રાઇમ બ્રાંચ પહોંચ્યા હતા. જો કે મિલકતનો પ્રશ્ન હોવાથી સિવિલ કેસ કરવાની સલાહ ક્રાઈમ બ્રાંચે આપી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">