AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વાપીના રાતા ગામે ભાજપના ઉપપ્રમુખની ગોળી મારી હત્યા, હત્યારા ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિજનોએ કર્યો ઇન્કાર

વાપીના રાતા ગામે ભાજપના ઉપપ્રમુખની ગોળી મારી હત્યા, જૂની અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શૈલેષ પટેલ તેના પરીવાર સાથે દર્શન કરવા ગયા હતા.

Breaking News : વાપીના રાતા ગામે ભાજપના ઉપપ્રમુખની ગોળી મારી હત્યા, હત્યારા ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિજનોએ કર્યો ઇન્કાર
Vapi
| Updated on: May 09, 2023 | 10:01 AM
Share

વલસાડના વાપીમાં ભાજપના નેતાની સરાજાહેર હત્યાથી ચકચાર મચી છે. વાપી તાલુકા ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પોતાના પરિવાર સાથે દર્શન કરવા જઇ રહ્યા હતા. જે દરમિયાન રાતા ગામ નજીક બે બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ગોળી વાગતા શૈલેષ પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શૈલેષ પટેલની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. હાલ પોલીસે ઠેરઠેર નાકાબંધી કરીને હત્યારાઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો : Valsad : કપરાડાના શુકલબારી ગામની શાળા બની ખંડેર,વિદ્યાર્થીઓ મંદિરમાં શિક્ષણ મેળવવા થયા મજબુર

તો વાપીમાં ભાજપ નેતાની હત્યાના સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભાજપ નેતાની હત્યાની ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી છે. અને હત્યાની ઘટના અંગે રાજ્યના મુખ્યપ્રધાન સહિત પ્રદેશ સંગઠનને માહિતગાર કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ નેતાની માગ છે કે પોલીસ હત્યાની ઘટનામાં કડક કાર્યવાહી કરે અને ત્વરિત અસરથી દોષિતોને ઝડપીને જેલના સળીયા પાછળ ધકેલે. તો બીજી તરફ પરિવારજનોએ પણ હત્યારા ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કર્યો છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી હોસ્પિલ પહોંચ્યા છે.

મહત્વપૂર્ણ છે કે પોલીસે હત્યારાઓને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિલ્લા પોલીસ વડાએ હત્યા મુદ્દે તપાસ માટે અલગ અલગ ટીમો પણ બનાવી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

ભરૂચમાં ભાજપના બે નેતાની થઈ હતી હત્યા

આ અગાઉ ભરૂચમાં ભાજપના બે નેતાની હત્યા થઈ હતી. ભરૂચમાં ભાજપના બે નેતાની હત્યામાં પણ અંડરવર્લ્ડની સંડોવળી હોવાનો એનઆઈએની તપાસમા ઘટસ્ફોટ થયો હતો. ભરૂચમાં શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ચકચારી હત્યા કેસમાં એનઆઈએએ 10 આરોપીઓ સામે 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ હત્યાકાંડના તાર દાઉદ ઈબ્રાહીમ સાથે પણ જોડાયા હતા. આ બન્ને નેતાઓની હત્યા માટે જાવેદ ચીકનાએ સાઉથ આફ્રિકાથી સોપારી આપી હોવાની હકિકત એનઆઈએની તપાસમાં સામે આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">