Video: સુપ્રીમ કોર્ટમાં અદાણી પોર્ટની મોટી જીત, મુન્દ્રા જમીન કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે

અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. 2005માં રાજ્યના કચ્છ જિલ્લામાં મુંદ્રા બંદર નજીક અદાણી જૂથના એકમને આપવામાં આવી હતી. અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને ગૌચરની 231 એકર જમીન ફાળવવાના નિર્ણય સામે નવીનાલ ગામના રહેવાસીઓએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કર્યાના 13 વર્ષ બાદ સરકારનો આ નિર્ણય આવ્યો છે.

Video: સુપ્રીમ કોર્ટમાં અદાણી પોર્ટની મોટી જીત, મુન્દ્રા જમીન કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે
Image Credit source: Social Media
Follow Us:
| Updated on: Jul 10, 2024 | 10:45 PM

ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.

20 વર્ષ પહેલા અદાણી ગ્રૂપને ફાળવવામાં આવેલી જમીન

તમને જણાવી દઈએ કે કચ્છ પ્રદેશમાં અદાણી પોર્ટ્સને 108 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એક PILની સુનાવણી કરી હતી જેમાં જમીનની ફાળવણીને પડકારવામાં આવી હતી. પીઆઈએલમાં સ્થાનિક સમુદાય માટે ચારાની જમીન ગુમાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 20 વર્ષ પહેલા અદાણી ગ્રૂપને ફાળવવામાં આવેલી જમીનની ફાળવણી રદ કરવા સૂચના આપવામાં આવી હતી.

નવીનાલ ગામના રહેવાસીઓએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી

ગુજરાત સરકારે શુક્રવારે હાઇકોર્ટને જાણ કરી હતી કે તે આશરે 108 હેક્ટર ગૌચર જમીન પાછી લેશે, જે 2005માં રાજ્યના કચ્છ જિલ્લામાં મુંદ્રા બંદર નજીક અદાણી જૂથના એકમને આપવામાં આવી હતી. અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને ગૌચરની 231 એકર જમીન ફાળવવાના નિર્ણય સામે નવીનાલ ગામના રહેવાસીઓએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કર્યાના 13 વર્ષ બાદ સરકારનો આ નિર્ણય આવ્યો છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ગામમાં માત્ર 45 એકર ગોચરની જમીન બચી

રાજ્યના મહેસૂલ વિભાગે 2005માં ફાળવણી કરી હોવા છતાં, 2010માં જ્યારે APSEZએ ગૌચર જમીન પર ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે ગ્રામજનોને તેની જાણ થઈ. રહેવાસીઓના જણાવ્યા મુજબ, APSEZને 276 એકરમાંથી 231 એકર જમીન ફાળવ્યા પછી, ગામમાં માત્ર 45 એકર ગોચરની જમીન બચી છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે આ પગલું ગેરકાયદેસર હતું કારણ કે ગામમાં પહેલેથી જ ગોચરની જમીન ઓછી હતી. વધુમાં, તેમણે દાવો કર્યો હતો કે આ જમીન જાહેર અને સામુદાયિક સંપત્તિ છે.

પંચાયતને ફાળવણી માટે ઉપલબ્ધ જમીન માત્ર 17 હેક્ટર

ગુજરાત હાઈકોર્ટે 2014માં પીઆઈએલનો નિકાલ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે તેના સોગંદનામામાં કહ્યું હતું કે ડેપ્યુટી કમિશનરે 387 હેક્ટર વધારાની સરકારી જમીન ગોચર માટે આપવાનો આદેશ પસાર કર્યો હતો. જ્યારે આવું ન થયું ત્યારે હાઈકોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે 2015માં કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને દલીલ કરી હતી કે પંચાયતને ફાળવણી માટે ઉપલબ્ધ જમીન માત્ર 17 હેક્ટર છે. ત્યારે રાજ્ય સરકારે લગભગ 7 કિલોમીટર દૂર બાકીની જમીન ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે ગામલોકોને સ્વીકાર્ય ન હતો કારણ કે તેઓએ કહ્યું હતું કે પશુઓ માટે આટલું લાંબુ અંતર કાપવું શક્ય નથી.

એપ્રિલ 2024માં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચે રેવન્યુ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)ને ઉકેલ શોધવા માટે નિર્દેશ આપ્યો હતો. શુક્રવારે, ACS એ એફિડેવિટ દ્વારા બેંચને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે લગભગ 108 હેક્ટર અથવા 266 એકર ગૌચર જમીન પાછી લેવાનો નિર્ણય કર્યો છે, જે અગાઉ APSEZને ફાળવવામાં આવી હતી.

આ પણ વાંચો: Adani Group: 2600% વધ્યો અદાણીનો આ શેર, 26 રૂપિયાથી પહોચ્યો 700 રૂપિયાને પાર, 14 લાખથી વધારે છે રોકાણકારો

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">