ભાવનગર : દિવાળી નિમિતે બજારોમાં તેજીનો માહોલ, મોટી ઘરાકીથી વેપારીઓ ખુશખુશાલ

વેપારીઓનું કહેવું છે કે આવનારા દિવસોમાં હજુ પણ વધારે ખરીદી નીકળશે. વેપારીઓએ લોકોને અપીલ કરી છે કે ઓનલાઈન ખરીદી બંધ કરીને નાના વેપારી પાસેથી ખરીદી કરે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 4:27 PM

દિવાળી નિમિત્તે ભાવનગરના બજારોમાં તેજીનો માહોલ છે. બે વર્ષ ધંધામાં મંદી રહ્યા બાદ દિવાળીમાં ઘરાકી નીકળતા વેપારીઓ ખુશખુશાલ થઈ ગયા છે. આ દિવાળી વેપારીઓ માટે નવી આશા અને નવો ઉત્સાહ લઈને આવી છે. ભાવનગરના બજારોમાં શહેર અને ગામડાના લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી રહ્યા છે. ઘરવખરી, કપડાં, બૂટ-ચપ્પલ, હોઝિયરી, મીઠાઈ સહિતની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કોરોનાનો ડર લોકોમાંથી દૂર થતાં હવે બજારમાં જાણે હવે પ્રાણ પૂરાયા હોય તેમ લાગી રહ્યું છે. વેપારીઓનું કહેવું છે કે આવનારા દિવસોમાં હજુ પણ વધારે ખરીદી નીકળશે. વેપારીઓએ લોકોને અપીલ કરી છે કે ઓનલાઈન ખરીદી બંધ કરીને નાના વેપારી પાસેથી ખરીદી કરે. જેથી નાનો વેપારી પણ મહામારીમાં પોતાનું ઘર ચલાવી શકે.

નોંધનીય છેકે દશેરા બાદથી રાજયભરમાં મોટાશહેરોમાં ઘરાકીનો માહોલ જામ્યો છે. તેમાં પણ લોકો સોનું અને જવેલરીની મોટાપાયે ખરીદી કરી રહ્યાં છે. જેને કારણે હાલ બજારમાં કરોડો રૂપિયાની ખરીદદારી થઇ રી છે. જેને કારણે હાલ વેપારીઓ સહિત સ્થાનિકોમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો છે. અને, દિવાળીની રોનક બજારમાં દેખાતા લોકોના જીવનમાં નવા પ્રાણનો સંચાર થયો છે. સાથે જ સામાન્ય વેપારીઓના ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. ત્યારે આ વરસે દિવાળી સૌ-કોઇના જીવનમાં ખુશાલી લાવશે તેવું દેખાઇ રહ્યું છે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી અને જર્મન એમ્બેસેડરની સૌજન્ય મુલાકાત, જર્મની-ગુજરાત વચ્ચે બિઝનેસ સંબંધો વિકસાવવા CMની નેમ

Follow Us:
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">