Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : એસપી ડો. લીના પાટીલે સપાટો બોલાવ્યો, રુઆબદાર તરીકે ઓળખાતા 20 પોલીસકર્મીઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ

સૂત્રો અનુસાર બદલી કરાયેલ પોલીસકર્મીઓમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ , ભરૂચ - અંકલેશ્વર શહેર , જીઆઇડીસી, આમોદ , ઝગડીયા તાલુકા , દહેજ મેરિન , મહિલા સેલ અને ટ્રાફિક સહિતના વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

Bharuch : એસપી ડો. લીના પાટીલે સપાટો બોલાવ્યો, રુઆબદાર તરીકે ઓળખાતા 20 પોલીસકર્મીઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ
Dr. Leena Patil - SP Bharuch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 6:24 PM

ભરૂચ(Bharuch) જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે(Dr. Leena Patil – SP Bharuch) ચાર્જ સંભાળતા સાથે દારૂ જુગાર સહિતની બદીઓ ઉપર નિયંત્રણ મેળવવા જિલ્લા પોલીસની ટીમને કડક સૂચનાઓ આપી હતી. પોલીસ વડાના આદેશના પગલે જિલ્લા પોલીસના તમામ પોલીસ સ્ટેશન અને ક્રાઇમબ્રાન્ચની ટીમોએ સતત દરોડાઓનો દોર ચલાવી મોટી સંખ્યામાં દારૂ – જુગારના કેસ કરી બુટલેગરો અને ખેપિયાઓ સામે ધરપકડ અને વોન્ટેડ જાહેર કરવા જેવા પગલાં ભર્યા હતા. કડક હાથે કામની શરૂઆત કરનાર એસપી ડો. લીના પાટીલે આજે જિલ્લામાં 20 પોલીસકર્મીઓ અને ૪ પોલીસ સબ ઈન્સ્પેકટરોના બદલીના ઓર્ડર કર્યા છે. એક સમયે પોતાની કચેરીમાં રુઆબદાર તરીકે નોકરી કરનારા આ પોલીસકર્મીઓને હેડ ક્વાર્ટર ભેગા કરવામાં આવ્યા છે.

ભરૂચ એસપી તરીકે ચાર્જ સાંભળ્યા બાદ ડો. લીના પાટીલે પોતાના સૂત્રો તરફથી જીલાલ પોલીસની ટીમનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ૪૦ પેટી વિદેશી દારૂ ઝડપી પાડવાની ઘટના બાદ ૪ સ્થાનિક પોલસીકર્મીઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાયા બાદ આજે ફરી એકવાર જિલ્લામાં પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ તમામ પોલીસકર્મીઓને હેડક્વાર્ટર ભેગા કરવામાં આવ્યા છે.

સૂત્રો અનુસાર બદલી કરાયેલ પોલીસકર્મીઓમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ , ભરૂચ – અંકલેશ્વર શહેર , જીઆઇડીસી, આમોદ , ઝગડીયા તાલુકા , દહેજ મેરિન , મહિલા સેલ અને ટ્રાફિક સહિતના વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. સબ ઇન્સ્પેકટરની બદલીઓમાં ૩ પોલીસકર્મીઓને રીડર તરીકે બદલી અપાઈ છે જેમાં એસઓજી અને ટ્રાફિક વિભાગના સબ ઇન્સ્પેકટરોનો સમાવેશ થાય છે. સૂત્રો મુજબ બદલી કરાયેલ પોલીસકર્મીઓ તેઓ જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેના રુઆબદાર પોલીસકર્મીઓ તરીકે ઓળખાતા હતા જયારે કેટલાક લાંબા સમયથી એકજ સ્થાને હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે અભ્યાસ બાદ આવા પોલીસકર્મીઓની યાદી તૈયાર કરી બદલી કરી હોવાની ચર્ચા થઇ રહી છે.

રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલું ભણેલી છે?
સુનિતા વિલિયમ્સની નેટવર્થ કેટલી છે, જાણો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
Snake Seeing Sign: ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે

બદલી કરાયેલ તમામ ૨૦ પોલીસકર્મીઓને હેડવર્ટર ભેગા કરાયા

બદલીઓના ઓર્ડર કરતા આ પોલીસકર્મીઓની બદલી ક્યાં થઇ તે સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લા પોલીસ વડાએ આજે આદેશ કરાયેલા તમામ 20 પોલીસકર્મીઓને હેડક્વાર્ટર ભેગા કરી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. પોલીસકર્મીઓ સામે આ એક કડકાઈભર્યું પગલું પણ માનવામાં આવી રહ્યું છે.

કરો એક નજર બદલીના આદેશ ઉપર

આ પણ વાંચો : ફ્લાઈટમાં સ્મૃતિ ઈરાનીને મુસાફરે પૂછ્યું રાંધણગેસ આટલો મોંઘો કેમ? જાણો શું મળ્યો જવાબ

આ પણ વાંચો : Gujarat Election 2022: હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે, પાટીદાર આંદોલનના કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">