અરવલ્લીઃ CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVSના ‘અનાદિમુક્ત વિશ્વમ’ નો શિલાન્યાસ કરાયો

|

Mar 26, 2024 | 9:54 AM

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્યાન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દેશ વિદેશથી હરીભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એક સાથે 50 હજાર લોકો ધ્યાન કરી શકે એવી સુવિધા સાથે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર નિર્માણ કરવામાં આવનાર છે.

અરવલ્લીઃ CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVSના અનાદિમુક્ત વિશ્વમ નો શિલાન્યાસ કરાયો
'અનાદિમુક્ત વિશ્વમ' નો શિલાન્યાસ

Follow us on

અરવલ્લી જિલ્લામાં સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન દ્વારા ધ્યાન કેન્દ્ર આકાર પામશે. એક સાથે 50 હજાર લોકો ધ્યાન કરી શકે એવી સુવિધા સાથે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર નિર્માણ કરવામાં આવનાર છે. જેના શિલાન્યાસ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સોમવારે સાંજે એટલે કે ધૂળેટીના દિવસે ‘અનાદિમુક્ત વિશ્વમ’ નો શિલાન્યાસ પ્રસંગ યોજાયો હતા. રાજ્યના મુખ્યપ્રધાન ઉપરાંત શિક્ષણ પ્રધાન કુબેર ડિડોર, અન્ન અને નાગરિક રાજ્યકક્ષા પ્રધાન ભીખુસિંહ પરમાર, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત લોકસભાના ભાજપના ઉમેદવાર શોભના બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં શિલાન્યાસ

શિલાન્યાસ પ્રસંગે 70 હજાર હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન એટલે કે, SMVS ના અધ્યક્ષ ગુરુવર્ય સત્યસંકલ્પદાસજી સ્વામીનો સંકલ્પ હતો અને જેને લઈ આ કેન્દ્ર નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્યાન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દેશ વિદેશથી હરીભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

 

350 વિઘામાં પામશે આકાર

સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન દ્વારા આ વિશાળ ધ્યાન કેન્દ્ર તૈયાર કરવામાં આવી રહ્યુ છે. જે મોડાસા-ધનસુરા સ્ટેટ હાઇવે પર લગભગ સાડા ત્રણસો વીઘા જમીનમાં ધ્યાન કેન્દ્ર આકાર લેશે. છેલ્લા પાંચેક વર્ષથી સંસ્થાન દ્વારા રાજ્યમાં ધ્યાન કેન્દ્રના સ્થળ માટે જમીન શોધવામાં આવી રહી હતી. ત્યાર બાદ મોડાસા ધનસુરા હાઇવે પરની આ જગ્યા પર પસંદગી ઉતારવામાં આવી હતી.

આ પણ વાંચો:  સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો

જ્યા નદી અને પર્વતો સહિત તળાવ પણ હોવાને લઈ સુંદર નયનરમ્ય દ્રશ્ય કુદરતે સર્જ્યુ છે. પ્રાકૃતિક સુંદર વાતાવરણ વચ્ચે વિશાળ ધ્યાન કેન્દ્રને આકાર આપવામાં આવશે. આ સ્થળ પર જરુરી તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article