AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aravalli: વરસાદ ખેંચાતા ખેડૂતોની વધી ચિંતા, ખેતરમાં લહેરાતો હરીયાળો પાક મુરઝાવાનો ડર

છેલ્લા વીસ થી પચ્ચીસ દિવસથી અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસતો નથી. જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન ત્યાં પણ વરસાદ વરસ્યો ત્યારે માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા. પરંતુ જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે એવો વરસાદ વરસ્યો નથી.

Aravalli: વરસાદ ખેંચાતા ખેડૂતોની વધી ચિંતા, ખેતરમાં લહેરાતો હરીયાળો પાક મુરઝાવાનો ડર
વરસાદ ખેંચાતા ખેડૂતોની વધી ચિંતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 2:24 PM
Share

ઉત્તર ગુજરાતમાં છેલ્લા વીસેક દિવસ ઉપરાંત થી વરસાદ ખેંચાયો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાવાને લઈ હવે ખેડૂતોને મુશ્કેલી ના દિવસો શરૂ થયા છે. વાદળો અવારનાર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. પરંતુ વરસાદ નહીં વરસવાને લઈ હવે ખેતરમાં હરીયાળો ઉભો પાક હવે મુરઝાવા ની સ્થિતિએ પહોંચવા ખેડૂતોની ચિંતા વધી ચૂકી છે.

વરસાદ ખેંચાવાને લઈ ઉત્તર ગુજરાતના ખેડૂતોની ચિંતા હવે વધી ચૂકી છે. છેલ્લા વીસ થી પચ્ચીસ દિવસથી અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસતો નથી. જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન ત્યાં પણ વરસાદ વરસ્યો ત્યારે માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા. પરંતુ જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે એવો વરસાદ વરસ્યો નથી. જિલ્લામાં હાલમાં વરસાદની સ્થિતિ મુશ્કેલ જોવા મળી રહી છે.

વરસાદ ખેંચાતા ચિંતા વધી

વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. એક તરફ રાજ્યના અન્ય હિસ્સાઓમાં વરસાદ સારો વરસ્યો છે, ત્યાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ખેંચ ખેડૂતો અનુભવી રહ્યા છે. ખેતરમાં તૈયાર પાક લહેરાઈ રહ્યો છે અને હવે તે પાક પણ મુરઝાઈ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. મોડાસા વિસ્તારના ખેડૂત નગીનભાઈ પટેલ કહે છે, ખેતરમાં તૈયાર પાક છે, પરંતુ હવે મુરઝાવા સ્થિતિ પર પહોંચ્યો છે. વરસાદ છેલ્લા વીસ થી પચ્ચીસ દિવસથી ખેંચાવાને લઈ પાકમાં સિંચાઈની સમસ્યા સર્જાઈ છે.

જળાશયોમાં નોંધપાત્ર આવક નહીં

ચોમાસુ પાક નું વાવેતર ઉત્તર ગુજરાતમાં સારુ થયુ છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ સારા પ્રમાણમાં પાકનું વાવેતર થયુ છે. મગફળી, સોયાબીન, કપાસ, મકાઈ, સહિતના પાકોને ખેતી મોટા પ્રમાણમાં થઈ છે. જેમાં ખાસ કરીને ચોમાસુ મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. આ દરમિયાન વરસાદ ખેંચાવાને લઈ ખેડુતોને ચિંતા સર્જાઈ છે.

બીજી તરફ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક મહત્વના જળાશયમાં નહીવત પાણીની આવક થઈ છે. જેમ કે હિંમતનગરના ગુહાઈ, હાથમતી, શામળાજીના મેશ્વો, મોડાસાના માઝમ ડેમ સહિતના જળાશયોમાં પાણીની આવક નોંધપાત્ર થઈ શકી નથી. આમ આગામી ઉનાળામાં પણ સિંચાઈને લઈ સમસ્યા સર્જાશે. વિસ્તારમાં વરસાદ વરસે તો જળાશયો અને ડેમમાં પણ પાણીની આવક થાય તો શિયાળુ અને ઉનાળુ ખેતી ને સારો લાભ થઈ શકે.

ડેમમાં પાણી ભરવાની માંગ

મોડાસાના ખેડૂત મગનભાઈ પટેલ કહે છે. વરસાદ ખેંચાવાને લઈ પાક મુરઝાવાની ભીતી સર્જાઈ છે. તો બીજી તરફ મેશ્વો સહિતના ડેમમાં પાણીની ખાસ આવક થઈ શકી નથી. આમ નર્મદાના પાણી વડે ડેમ ભરવામાં આવે એવી માંગ છે. હવે આગામી સપ્તાહમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતોની સ્થિતિ કફોડી બને તેવી ભીતિ છે. તો વળી વરસાદ વિના રવિ સિઝન અને ઉનાળો સિઝન પણ બગડવાના ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.

આ પણ વાંચોઃ  Breaking News: સાઠંબામાં 4 વર્ષની માસુમ પર 68 વર્ષના ફુવાએ દુષ્કર્મ આચર્યુ, બાળકીની સ્થિતિ ગંભીર

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">