અનંત અંબાણીની 140 કિમી દ્વારકા પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા , જુઓ વીડિયો
મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી હાલ દ્વારકાધીશ મંદિરની પદયાત્રાએ જઈ રહ્યો છે. અનંત અંબાણી ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ રહ્યો છે. અનંત અંબાણીની 140 કિમી દ્વારકા પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા અને સંકલ્પ છે.

અંબાણી પરિવારના જે વિશ્વના સૌથી ધનવાન પરિવારોમાંનો એક છે, તેમજ વેપાર અને પરોપકાર પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને કારણે જાણીતા છે. અંબાણી પરિવારના નાના દીકરા અનંતે પોતાના 30મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા માટે પવિત્ર દ્વારકાધીશ મંદિર સુધી પદયાત્રાની શરૂઆત કરી છે. શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક રૂપરૂપ, અનંત પોતાના ગૃહનગરી જામનગરથી દ્વારકા સુધી 140 કિમીથી વધુ ચાલી રહ્યાં છે. દિવસ દરમિયાન અવરોધ ઊભા ન થાય તે માટે તેઓ રાત્રે ચાલે છે અને આ પદયાત્રાને શુભ રામ નવમીના દિવસે પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે.
દ્વારકાની પદયાત્રાનો અનંત અંબાણીનો વીડિયો વાયરલ, ખાવડીથી દ્વારકાની પદયાત્રાએ અનંત અંબાણી | TV9Gujarati#anantambanitowalk #khawditodwarka #anantambanitowalkeveryday #gujarat #tv9gujarati pic.twitter.com/9UPuYqdXTM
— Tv9 Gujarati (@tv9gujarati) March 28, 2025
ધીરજ અને દ્રઢ મનોબળથી પડકારોને હાર આપી
અનંતે પોતાના આરોગ્યને લઈ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે, છતાં તેમની પદયાત્રા પ્રત્યેની સમર્પિતતા અડગ રહી છે. બાળપણથી જ તેમને ગંભીર ફેફસાંની બીમારી, થાઇરોઇડની સમસ્યા અને કુશિંગ સિન્ડ્રોમ જેવા આરોગ્ય સંબંધિત સંઘર્ષો રહ્યા છે, જેના કારણે શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ આરોગ્ય સમસ્યાઓ હોવા છતાં, તેઓ ક્યારેય આને પોતાની ઓળખ તરીકે સ્વીકારી નથી. ધીરજ અને દ્રઢ મનોબળથી તેમણે આ પડકારોને હરાવી નાંખ્યા છે.
ઉંડા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક
અનંત અંબાણીનો આ સંઘર્ષ અને તકલીફો સામેની લડત તેમના ઉંડા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક છે. તેમની આ યાત્રા માત્ર ભક્તિ માટે નથી, પણ આ છે શ્રદ્ધા અને માનસિક શક્તિનું ઉત્તમ ઉદાહરણ, જે તેમને જીવનની દરેક મુશ્કેલીનો સામનો કરવાની હિંમત આપે છે.
View this post on Instagram
હવે અનંત અંબાણી ફરી એક વખત જગત મંદિરની યાત્રાને લઈ ચર્ચામાં છે. જામનગરથી દ્વારકાધીશ મંદિરનું અંતર અંદાજે 140 કિલોમીટર છે. અનંત અંબાણી ગત્ત મહિને પિતા મુકેશ અંબાણી સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પણ પહોંચ્યા હતા.