AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાહેબને ખાલી ફોટો પડાવવાનો હતો ? સાબરમતી સફાઈ અભિયાનમાં મંત્રીની ટૂંકી હાજરી પર ઉઠ્યા સવાલો, જુઓ Video

સાબરમતી નદીના કિનારે યોજાયેલા સફાઈ અભિયાનમાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની ૧૫ મિનિટની હાજરી ચર્ચાનો વિષય બની છે. શહેરીજનો સવારથી જ સફાઈમાં જોડાયા હતા.

સાહેબને ખાલી ફોટો પડાવવાનો હતો ? સાબરમતી સફાઈ અભિયાનમાં મંત્રીની ટૂંકી હાજરી પર ઉઠ્યા સવાલો, જુઓ Video
| Updated on: Jun 02, 2026 | 10:19 PM
Share

અમદાવાદના સાબરમતી નદીના કિનારે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો, પરંતુ આ અભિયાન સ્વચ્છતા કરતાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની ટૂંકી હાજરી અને ફોટોગ્રાફીના કારણે વધુ ચર્ચામાં રહ્યું છે. આ સફાઈ અભિયાનમાં શહેરીજનો અને વિવિધ સ્વયંસેવક સંસ્થાઓ સવારે ૭ વાગ્યાથી સફાઈ કાર્યમાં જોડાઈ ગઈ હતી. જોકે, કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ સવારે ૮ વાગ્યે સ્થળ પર પહોંચ્યા અને માત્ર ૧૫ મિનિટમાં જ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરાવીને રવાના થઈ ગયા હતા. આનાથી સમગ્ર અભિયાન “ફોટો અભિયાન” કે “પબ્લિસિટી સ્ટંટ” છે તેવા સવાલો ઉભા થયા છે.

આ ઘટનાક્રમ દરમિયાન મેયર સહિત એએમસીના પદાધિકારીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત હતા. નાગરિકોમાં ચર્ચા છે કે નેતાઓને માત્ર તસ્વીરોમાં જ રસ છે, જ્યારે વાસ્તવિક સફાઈનું કામ એનજીઓ અને સામાન્ય શહેરીજનો દ્વારા પાર પાડવામાં આવી રહ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “સ્વચ્છતા માટેની વ્યવસ્થા સરકાર ઊભી કરી શકે, પણ સ્વચ્છતાને સ્વભાવ બનાવવાનું કામ પ્રજાએ જાતે જ કરવું પડે.” તેમણે સ્વચ્છ ગામડા, મોહલ્લા અને શહેરો બનાવવાના મોટા અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો, જેનો ઉદ્દેશ્ય લોકોમાં સ્વચ્છતાનો સ્વભાવ કેળવવાનો છે.

જોકે, અમદાવાદના મેયર હિતેશ બારોટે મંત્રીના ટૂંકા રોકાણનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મંત્રીને અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી તેઓ વહેલા નીકળી ગયા હતા અને તેમનો મુખ્ય હેતુ માત્ર અભિયાનનો પ્રારંભ કરાવવાનો હતો. મેયરે વધુમાં સ્પષ્ટતા કરી કે મંત્રી અન્ય કાર્યક્રમમાંથી સીધા આવી રહ્યા હોવાથી થોડા મોડા પડ્યા હતા અને તેમને આ કાર્યક્રમની જાણ અર્જન્ટમાં કરાઈ હતી. તેમણે એ પણ ઉમેર્યું કે અભિયાન વાસ્તવમાં પર્યાવરણ દિવસથી શરૂ કરવાનું હતું, પરંતુ ત્રણ દિવસ વહેલા શરૂ કરાયું. મેયરે દાવો કર્યો કે નદીમાં સફાઈનું કામગીરી ચાલુ જ છે અને હજારો લોકો આ અભિયાનમાં જોડાયા છે.

સાબરમતી નદીને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ નિઃશંકપણે આવકારદાયક છે, પરંતુ કોઈપણ અભિયાનની સફળતા માત્ર ફોટોગ્રાફી કે પ્રચારથી નહીં, પરંતુ તેના પરિણામોથી માપવામાં આવે છે. સવાલ એ છે કે આ “સાબરમતી સફાઈ અભિયાન” ખરેખર નદીમાં બદલાવ લાવશે કે પછી માત્ર થોડા દિવસોની ચર્ચા બાદ ફાઈલોમાં જ સીમિત રહી જશે. આ સમગ્ર ઘટનાક્રમે જનતામાં નેતાઓની કાર્યશૈલી અને અભિયાનોના હેતુઓ વિશે ગંભીર ચર્ચાઓ જગાવી છે.

Follow Us
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
g clip-path="url(#clip0_868_265)">