અમદાવાદ: ખાદી કારીગરોને સશક્ત કરવા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે થયા એમઓયુ

|

Jan 03, 2024 | 7:50 PM

અમદાવાદ: ખાદી ઉત્પાદનોને વધુ વેગ મળે અને તેમની ગુણવત્તા વધે તે માટે સરકાર કટિબદ્ધ છે. ખાદી કારીગરોને પણ વધુ સશક્ત કરવા માટે સરકાર પ્રયાસરત છે. આ જ પ્રણાલીને આગળ ધપાવતા ખાદી માટે મેડ ઈન ઈન્ડિયા લેબલ રજૂ કરવા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે.

અમદાવાદ: ખાદી કારીગરોને સશક્ત કરવા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે થયા એમઓયુ

Follow us on

ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા, ખાદી કારીગરોને સશક્ત કરવા અને ખાદી માટે ‘મેડ ઇન ઇન્ડિયા’ લેબલ રજૂ કરવા કવોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા- QCI અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ- KVIC વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે.

ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) એ ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા, કારીગરોને સશક્ત બનાવવા અને ખાદી માટે ‘મેડ ઈન ઈન્ડિયા’ લેબલ રજૂ કરવા માટે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ શરૂ કર્યો.  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ખાદીને આત્મનિર્ભરતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પ્રતીક તરીકે પ્રોત્સાહન આપવાનું વિઝન સાકાર કરે છે. કોચરબ આશ્રમ અમદાવાદ ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે ખાદીના મહત્વ અને મહાત્મા ગાંધીનું પ્રતીક છે.

એમઓયુનું વિનિમય જક્ષય શાહ, ચેરપર્સન QCI અને શ્રી મનોજ કુમાર, ચેરપર્સન, KVICની વિશિષ્ટ ઉપસ્થિતિમાં થયું હતું. QCI અને KVIC વચ્ચેનો સહયોગ વિકસીત ભારત માટેનો માર્ગ મોકળો કરવાના હેતુથી એકંદર ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે ખાદી માત્ર તેની કાલાતીત અપીલને જાળવી રાખે નહી પણ ક્વોલિટી & સસ્ટેનેબિલિટીનું વૈશ્વિક પ્રતીક પણ બને. OCI વિવિધ હસ્તક્ષેપ દ્વારા ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોની ગુણવત્તામાં વધારો કરીને KVICને તેનો ટેકો આપશે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આ પણ વાંચો: અમદાવાદમાં તસ્કરો બેફામ, ઉસ્માનપુરામાં ધોળા દિવસે એક્ટિવાની ડેકીમાંથી 15 લાખ ચોરી તસ્કરો ફરાર- જુઓ સીસીટીવી વીડિયો

ઉપરાંત આ સહયોગ ખાદી માટે ‘મેડ ઇન ઇન્ડિયા’ લેબલ પણ રજૂ કરશે. જે સમગ્ર ખાદી ઉદ્યોગને સમગ્ર વિશ્વમાં ગુણવત્તાના પ્રતીક તરીકે ખાદી ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણમાં નોંધપાત્ર વધારો કરશે. ખાદી કારીગરો માટે તેમને ઉન્નત કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરીને આવકમાં વધારો, વધુ ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સહિત નવી રોજગારીની તકો સહિતના ઘણા ફાયદાઓ લાવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article