અમદાવાદમાં તસ્કરો બેફામ, ઉસ્માનપુરામાં ધોળા દિવસે એક્ટિવાની ડેકીમાંથી 15 લાખ ચોરી તસ્કરો ફરાર- જુઓ સીસીટીવી વીડિયો

અમદાવાદમાં દિવસે દિવસે તસ્કરો બેફામ બની રહ્યા છે અને ચોરી લૂંટના બનાવો વધી રહ્યા છે. ઉસ્માનપુરામાં એક્ટિવાની ડેકીમાંથી 15 લાખની ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે સીસીટીવી ફુટેજને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 03, 2024 | 6:47 PM

શહેરમાં એક બાદ એક ચોરી અને લૂંટ તથા ચિલઝડપના કિસ્સા સામે આવી રહ્યા છે. તેવામાં અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં એક વાહનની ડેકીમાંથી યુવકના ધંધાના 15 લાખ રૂપિયા અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સીસીટીવી સામે આવ્યા છે જેને લઈ વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આંગડિયા પેઢીમાંથી લીધેલા નાણાંની થઈ ચોરી

અમદાવાદનાં રાણીપમાં રહેતા શાબાઝ શકીલ કુરેશી તેમના માસીના દીકરાના ત્યાં કામ કરે છે. રાણીપના બકરા મંડીમાં શાબાઝભાઈ નોકરી કરે છે. તેમના ત્યાં પશુઓની લે વેચના નાણાં આંગડિયા પેઢીમાં આવ્યા હતા. તે 15લાખ રૂપિયા તેઓ સીજી રોડ પર આંગડિયા પેઢીમાં લેવા ગયા હતા. આંગડિયા પેઢીમાંથી નાણાં લઈને શાબાઝ ભાઈ નીકળ્યા અને ઉસમાનપુરા પહોંચ્યા હતાં. ત્યાં વાહન પાર્ક કર્યા બાદ અજાણ્યા શખ્સો ડેકીમાંથી 15 લાખ ચોરી કરી ફરાર થઈ જતા વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ રામકથા માટે આવેલા જગદગુરુ રામભદ્રાચાર્યનો હુંકાર, અયોધ્યા બાદ કાશી અને મથુરા પણ લઈને રહીશુ- વીડિયો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તસ્કરો જાણભેદુ હોવાની પોલીસને આશંકા

આ મામલે સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમાં ડેકી ખોલીને આરામથી તસ્કરો ડેકીમાથી પૈસા કાઢીને ફરાર થઈ જાય છે. પોલીસે ચોરીના સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે. હાલ ફરિયાદીની ઉલટ તપાસ ચાલી રહી છે. સાથે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આ ગુનો આચરનારની શોધખોળ શરૂ કરાઇ છે. ત્યારે ચોરી કરનાર કોઈ જાણભેદુ હોવાની પણ પોલીસને શંકા છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ તો વાડજ પોલીસે ચોરને પકડવાની તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">