Video : રેલવે ટ્રેક પર થતાં સિંહોના મોત રોકવા સરકારનો એક્શન પ્લાન, જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનો માટે લેવાયો આ નિર્ણય
રેલવે ટ્રેક પર સિંહોના મોત રોકવા ચોક્કસ આયોજન સાથે કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે. રેન્જ લેવલ કમિટી, ડિવિઝનલ લેવલ રીવ્યુ કમિટી, સર્કલ લેવલ રીવ્યુ કમિટીની રચના કરાઈ. રેન્જ લેવલ કમિટીની બેઠક દર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળશે.
Follow us on
ગીર વિસ્તારમાં ટ્રેનની અડફેટે સિંહનાં મોતને લઇને હાઇકોર્ટની ફટકાર બાદ હવે રાજ્ય સરકારે SOP નક્કી કરી છે. હાઈકોર્ટના આદેશ મુજબ 10 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં 5 સભ્યો વન વિભાગના અને 5 સભ્યો રેલવેના ઉચ્ચ અધિકારીઓ છે.
આ ઉપરાંત રેન્જ લેવલ કમિટીની બેઠક દર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળશે. ડિવિઝનલ લેવલ રીવ્યુ કમિટીની બેઠકમાં હોટસ્પોટ સહિતના વિસ્તારો અને તેના નિર્ણય લેવાશે. તો સર્કલ લેવલ રીવ્યુ કમિટીની બેઠક દર ત્રણ મહિને મળશે જેમાં તમામ બાબતે ચર્ચા થશે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ નક્કી કરવામાં આવી છે.
5 વર્ષમાં સિંહની સંખ્યામાં 29% વધારો જ્યારે 2024 માં એટલે કે હાલમાં સિંહની સંખ્યા હજુ પણ વધી હોવાનો રાજ્ય સરકારનો હાઇકોર્ટમાં ખુલાસો.