Crime: દહેજના દાનવે વધુ એક પરિણીતાનો ભોગ લીધો, લગ્નના 45 દિવસમાં જ પરિણીતાનો આપઘાત

ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પોલીસ એટલે કે જે લોકોની મદદ કરે, સેવા કરે અને લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં મદદ કરે,પરંતુ આ પોલીસ કોઈ માટે મુશ્કેલી બની જાય તો.. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પોલીસ કર્મચારીના પત્નીએ તેના પતિને કારણે લગ્નના ફક્ત 45 દિવસમાં જ આપઘાત કરવો પડ્યો.

Crime: દહેજના દાનવે વધુ એક પરિણીતાનો ભોગ લીધો, લગ્નના 45 દિવસમાં જ પરિણીતાનો આપઘાત
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 03, 2024 | 1:34 PM

ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પોલીસ એટલે કે જે લોકોની મદદ કરે, સેવા કરે અને લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં મદદ કરે,પરંતુ આ પોલીસ કોઈ માટે મુશ્કેલી બની જાય તો.. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પોલીસ કર્મચારીના પત્નીએ તેના પતિને કારણે લગ્નના ફક્ત 45 દિવસમાં જ આપઘાત કરવો પડ્યો. જોકે ફરિયાદને આધારે આ પોલીસકર્મીની ધરપકડ કરી લેવામાં આવી છે.

આમ તો જ્યારે લગ્ન બાદ સાસરીયા તરફથી પત્ની પાસે કે તેના પરિવાર પાસે દહેજની માગણી કરવામાં આવતી હોય છે, ત્યારે પત્ની અને તેનો પરિવાર પોલીસ મથક પહોંચી પોતાની ફરિયાદ નોંધાવતો હોય છે અને પોતાની પાસે દહેજની માગણી કર્યાની રજૂઆત પોલીસને કરતો હોય છે. જો કે એક પોલીસ કર્મચારી જ તેમની પત્નીને દહેજની માગણી કરીને ત્રાસ આપતો હોય ત્યારે એ વ્યક્તિએ ક્યાં જવુ એ એક સવાલ છે

અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. દહેજના દાનવે વધુ એક પરણિતાનો જીવ લીધો છે. અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ પતિના ત્રાસથી આત્મહત્યા કરી છે. કૃષ્ણનગર પોલીસે જીતેન્દ્ર ચૌધરી નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. તે પોલીસ હેડક્વાટર ખાતે ફરજ બજાવે છે. પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ચૌધરી છેલ્લા 8 વર્ષથી પોલીસ વિભાગમાં કાર્યરત છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

મૃતકના પરિવારની ફરિયાદ બાદ પતિની ધરપકડ

જીતેન્દ્ર ચૌધરીના વેલેન્ટાઇન ડે એટલે કે 14.2.2024નાં દિવસે હરિયાણા ખાતે નૈના ચૌધરી સાથે લગ્ન થયા હતા. લગ્નના દોઢ મહિનામાં જ પોલીસકર્મી જીતેન્દ્ર ચૌધરીની પત્ની નૈના ચૌધરીએ મોતને વ્હાલું કર્યુ છે. જેના પાછળનું કારણ પોલીસકર્મી પતિ તરફથી વારંવાર દહેજની માગણી અને માર મારવાનું સામે આવ્યું છે. જોકે મૃતક પત્નીના પરિવારની ફરિયાદને આધારે કૃષ્ણનગર પોલીસે પતિની ધરપકડ કરી છે.

અવારનવાર કરાતી હતી દહેજની માગ

દોઢ મહિના પહેલા વેલેન્ટાઈન ડેના દિવસે આ બંને લગ્નના પવિત્ર સંબંધથી બંધાયા હતા. જ્યારે મૃતક નૈના ચૌધરીના લગ્ન થયા ત્યારે પિયર તરફથી તમામ જરૂરિયાતની ચીજ વસ્તુઓ સહિત 15 તોલા સોનું આપ્યું હતું. તેમ છતાં દોઢ માસના લગ્નના સમયગાળામાં આરોપી પોલીસકર્મી જીતેન્દ્ર ચૌધરી દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનની અવારનવાર માગણી દહેજ પેટે કરવામાં આવતી હતી. સાથે જ પત્ની નૈનાને માર પણ મારવામાં આવતો હતો.

આ બાબતથી કંટાળીને પોતાના પરિવારને અનેક વાર ફોન કરીને પિયરમાં માતા પિતાને જાણ કરી હતી. તેના પિયરમાં પિતા સામાન્ય ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. જેથી દહેજની માગ પુરી કરી શક્યા નહિ. જેને લઇને આરોપી પોલીસકર્મી જીતેન્દ્ર ચૌધરી ઝગડો કરીને મૃતક નૈના ચૌધરીને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો. જેનાથી કંટાળીને બે દિવસ પહેલા નૈના ચૌધરીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

પિયરમાં પોતાની પુત્રીની આત્મહત્યા કરી લીધાના સમાચાર મળતા હરિયાણા થી પરિવાર અમદાવાદ દોડી આવ્યો હતો અને કૃષ્ણનગર પોલીસ સમક્ષ જમાઈ સામે દહેજ અને આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે પોલીસકર્મી જીતેન્દ્ર ચૌધરીની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">